દેશમાં દર મિનિટે નોંધાય છે 700થી વધુ સાયબર ગુના; એન્ડ્રોઈડ મોબાઈલ નથી સુરક્ષિત

  • India
  • February 26, 2025
  • 0 Comments
  • દેશમાં દર મિનિટે નોંધાય છે 700થી વધુ સાયબર ગુના; એન્ડ્રોઈડ મોબાઈલ નથી સુરક્ષિત

દેશમાં દિવસે ને દિવસે મોબાઈલ યુઝર્સની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, તો બીજીતરફ મોબાઈલ ધારકો પર રેન્સમવેર એટેકે પણ ખતરો વધી રહ્યો છે. તાજેતરમાં દેશના મોબાઈલ યુઝર્સ પર થયેલા રેન્સમવેર એટેક મામલે ચોંકાવનારો ડેટા સામે આવ્યો છે.

ડેટા સિક્યુરિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ દેશમાં રેન્સમવેર એટેકનો ભોગ બનેલા ટોપ-10 શહેરોમાં ગુજરાતના બે શહેરનું નામ સામે આવ્યું છે. આ ઉપરાંત દેશના 1000 મોબાઈલમાંથી માત્ર 300 એન્ડ્રોઈડ ફોન જ સુરક્ષિત હોવાનું તેમજ દર મિનિટે 700થી વધુ સાયબર ગુના થઈ રહ્યા હોવાનો પણ ખુલાસો થયો છે. રિપોર્ટ મુજબ દર મિનિટે થતા 700 ગુનામાંથી 42% ગુના એન્ડ્રોઈડ આધારીત ડિવાઈસથી કરવામાં આવે છે.

રિપોર્ટ અનુસાર સૌથી વધુ 14.58% માલવેર એટેક ગુજરાત (Gujarat)ના સુરત (Surat)માં મળી આવ્યા હતા. ત્યાર બાદ બેંગ્લોરમાં 11.93%, જયપુરમાં 11.72%, હૈદરાબાદમાં 11.56%, ચેન્નાઈમાં 10.25%, દિલ્હીમાં 9.37%, કોલકાતામાં 9.28%, અમદાવાદમાં 8.19%, મુંબઈમાં 6.79% અને પુણેમાં 6.36% માલવેર મળી આવ્યા હતા. આમ સૌથી વધુ રેન્સમવેર એટેકનો ભોગ બનેલા શહેરોના મોબાઈલ ધારકો તેમજ અન્ડ ડિવાઈસ ધારકોએ સૌથી વધુ સાવચેત રહેવાની જરૂર છે.

આ પણ વાંચો-ICC રેન્કિંગમાં ટોપ-5માં ત્રણ ભારતીય ખેલાડી; શુભમન ગિલ નંબર-1

ગુનાહિત પ્રકારના સોફ્ટવેર અથવા માલવેર સરળતાથી એન્ડ્રોઈ ડિવાઈસ ધારકને નુકસાન પહોંચાડી શકે છે. દેશમાં ફેક એપ્લિકેશન દ્વારા 32% સાયબર ગુનાઓ થાય છે, જ્યારે ફેક જાહેરાતો એટલે કે એડવેયર દ્વારા 26 ટકા સાયબર ગુના (Cyber Crime)ઓ થાય છે. ડેટા સિક્યુરિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ ઓક્ટોબર-2023થી સપ્ટેમ્બર-2024 દરમિયાન થયેલા સાયબર ગુનાઓ પરથી આ ડેટા તૈયાર કર્યો છે. આ સમયગાળા દરમિયાન રેન્સમવેર સંબંધીત 10 લાખ કેસ સામે આવ્યા છે.

સાયબર અપરાધીઓ રેન્સમવેરનો ઉપયોગ કરીને ડેટા અને કોમ્પ્યુટર હેક કરે છે અને યુઝર્સ પાસેથી નાણાંની માંગ કરતા હોય છે. ભારત (India) માં થતા 23% સાયબર ગુનાઓમાં ઈન્ડોનિશિયા (Indonesia)ના એનાન બ્લૈક ફ્લૈગ નામના ગેંગનો હાથ છે. એટલું જ નહીં ભારતમાં થતાં સાયબર ગુનાઓમાં પાકિસ્તાન (Pakistan))ની ગેંગ ટીમ ઈનસેનનો પણ હાથ છે. આ ઉપરાંત બાંગ્લાદેશ (Bangladesh)થી ભારતમાં 15% સાયબર ગુનાઓ કરવામાં આવ્યા છે. રિપોર્ટ મુજબ અપરાધીઓ ડૉક્યુમેન્ટ ફાઈલ, જાવા સ્ક્રિપ્ટ ફાઈલ, html ફાઈલ, કન્પ્રેસ્ડ ફાઈલ, વિન્ડો શોર્ટકટ ફાઈલ દ્વારા સાયબર એટેક કરવામાં સફળ થયા છે.

આ પણ વાંચો-ICC રેન્કિંગમાં ટોપ-5માં ત્રણ ભારતીય ખેલાડી; શુભમન ગિલ નંબર-1

Related Posts

Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ
  • June 16, 2025

‘બોયફ્રેન્ડે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો’ બોયફ્રેન્ડે જ હત્યા કર્યાના આક્ષેપ હત્યારાનું પગેરું મેળવવાના પોલીસના પ્રયાસ Sheetal Simmi Chaudhary Murder Mystery: આજે 16 જૂને હરિયાણાની ઉભરતી મ્યુઝિક વિડિયો કલાકાર અને મોડેલ…

Continue reading
India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી
  • June 16, 2025

India Census: કેન્દ્ર સરકારે ભારતની વસ્તીગણતરી કરવાની તારીખો જાહેર કરી દીધી છે. જોકે સરકારે પહેલા કહ્યું હતુ કે જાતિગત વસ્તી ગણતરી થશે. જો કે આજે બહાર પાડેલા જાહેરનામામાં જાતિગત વસ્તી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

  • June 16, 2025
  • 9 views
Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

  • June 16, 2025
  • 14 views
India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

  • June 16, 2025
  • 11 views
Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

  • June 16, 2025
  • 10 views
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

  • June 16, 2025
  • 25 views
Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

  • June 16, 2025
  • 19 views
Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી