નડિયાદ નજીક કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયું, ધૂમાડાના ગોટેગોટા ઉડતાં લોકો હોસ્પિટલમાં દાખલ

  • Gujarat
  • March 12, 2025
  • 1 Comments
  • નડિયાદ નજીક કેમિકલ ભરેલું ટેન્કર પલટ્યું
  • વડોદરા-અમદાવાદ એકપ્રેસ રોડ પર બની ઘટના
  • ધૂમાડાના ગોટેગોટા ઉડતાં ભયનો માહોલ સર્જાયો
  • ઝેરી ધૂમાડાની 6 લોકોને અસર, ડ્રાઈવરનો બચાવ

Nadiad Accident: વડોદરા-અમદાવાદ એકપ્રેસ રોડ પર નડિયાદ નજીક એક કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતુ. જેથી ધૂમાડો આસપાસના વિસ્તારોમાં ફેલાઈ ગયો હતો. ઝેરી કેમિકલથી કેટલાંક લોકોને અસર થઈ છે. જેમને હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યા છે. આ અમદાવાદથી વડોદરા જઈ રહેલું ટેન્કર રેલિંગ તોડી પલટી ગયું હતુ.

નડિયાદ નજીકથી પાસર થતાં એક્સપ્રેસ હાઈવે પર ગઈકાલે ઝેરી કેમિકલ ભરેલું ટેન્કર પલટી જતાં રેલિંગ તોડીં ઊંડા ખાડામાં પડ્યું હતુ. જેથી લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. કારણ કે ટેન્કરે પલટી જતાં વિસ્તારનું વાતાવરણ ધૂધળું અને ધુમાળાવાળુ થઈ ગયું હતુ. જેથી લાંબા સમય સુધી રોડ પણ બંધ રાખવામાં આવ્યો હતો. ઝડપથી ધૂમાડો પ્રસરી રહ્યો હતો. જેની અસર 6થી વધુ લોકોને થઈ હતી. તેઓ બેભાન થઈ જતાં જેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતની જાણ થતાં ફાયરબ્રિગેડ, પોલીસ, હાઈવે ઈમરજન્સી પેટ્રોલિંગ સહિતની ટીમ તાત્કાલિક દોડી આવી હતી. ટેન્કર ચાલકને ઈજાઓ પહોંચી હોવાથી તેને ટેન્કરમાંથી બહાર કાઢીને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

ધુમાડાના કારણે એક્સપ્રેસ-વે પર બે કિ.મી. સુધી વિઝિબિલિટી ઘટી ગઈ હતી. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયત્નો હાથ ધર્યા હતા. જોકે, મોડી સાંજે વાહનોની અવરજવર માટે એક્સપ્રેસ-વે પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો હતો. અડધી રાત્રી બાદ પૂનઃ વાહન વ્યવહાર શરુ કરાયો હતો.

જાણવા મળી રહ્યું છે કે ટેન્કરનું સ્ટેરિંગ તૂટી જતાં ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હતો. જેથી રેલિંગ તોડી ટેન્કર ખાડામાં પડ્યું હતુ. હાલ ડ્રાઈવર સારવાર હેઠળ છે.

સલુણ ગામના લોકોને અસર

આ ટેન્કરે પલટી મારી ત્યાથી સલુમ ગામ થોડા કિમીના અંતરે છે. જેથી આ ગામ સુધી ધૂમાડો પ્રસરી જતાં 6 લોકોને અસર થઈ છે. જેથી ગત રાત્રે 9:00 થી 10 ના સમયમાં છ લોકોને અસર થતાં દવાખાનામાં ખસેડાયા હતા. આ 6 લોકોને ગળામાં બળતરા અને શ્વાસની તકલીફ થઈ હતી. સલૂન પીએસસીમાં તેમજ એનડી દેસાઈ હોસ્પિટલમાં પણ અસરગ્રસ્તને સારવાર અર્થે દાખલ કરાયા હતા. નડિયાદ શહેર સુધી પણ આ ધૂમાડો પ્રસર્યો હતો.

હાલ લોકોમાં ભયનો માહોલ છે. કારણે આ ઝેરી કેમિકલની અસર હજુ પણ વર્તાઈ રહી છે. કારણ કે આ ઝેરી ધૂમાડો નડિયાદ શહેર સહિત આજુબાજુના ગામો સુધી પ્રસરી ગયો છે. જેથી કોઈને પણ અસર થઈ શકે છે.

આ પણ વાંચોઃ કહાનવાડી જમીન કૌભાંડ: ત્યાગ વલ્લભ સ્વામીનું પૂતળું સળગાવાયું, ગ્રામજનો ઉગ્ર |Kahanvadi land Scame

આ પણ વાંચોઃ વિરાટ કોહલી 1 રને આઉટ થતાં બાળકીને હાર્ટ એટેક આવ્યો? શું છે સચ્ચાઈ! |UP Heart attack

આ પણ વાંચોઃ ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના હદમાંથી દારૂનો મોટો જથ્થો મળતા PI સસ્પેન્ડ

 

Related Posts

Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ
  • June 16, 2025

Bhavnagar: ગુજરાતમાં હાલ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ જોવા મળી રહી છે. ત્યારે આજે ભાવનગરમાં પણ વરસાદે ભુક્કા બોલાવ્યા છે.…

Continue reading
Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી
  • June 16, 2025

Visavadar, Kadi By-Election 2025: ગુજરાતની વિસાવદર (જૂનાગઢ) અને કડી (મહેસાણા) વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન 19 જૂન, 2025 (ગુરુવાર)ના રોજ યોજાશે, જ્યારે મતગણતરી અને પરિણામ 23 જૂન, 2025 (સોમવાર)ના રોજ…

Continue reading

One thought on “નડિયાદ નજીક કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયું, ધૂમાડાના ગોટેગોટા ઉડતાં લોકો હોસ્પિટલમાં દાખલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

  • June 16, 2025
  • 7 views
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

  • June 16, 2025
  • 7 views
Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

  • June 16, 2025
  • 11 views
Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

Mahesh Jirawala missing: મહેશ જીરાવાલા કોણ છે? જે વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!

  • June 16, 2025
  • 10 views
Mahesh Jirawala missing: મહેશ જીરાવાલા કોણ છે? જે  વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!

Banaskantha: લૂંટ વિથ ડબલ મર્ડરની ઘટના, લૂંટારુઓએ ઊંઘમાં જ PI ના માતા-પિતાનું ઢીમ ઢાળી દીધું

  • June 16, 2025
  • 14 views
Banaskantha: લૂંટ વિથ ડબલ મર્ડરની ઘટના, લૂંટારુઓએ ઊંઘમાં જ PI ના માતા-પિતાનું ઢીમ ઢાળી દીધું

Surat Airport: સુરતમાં ગટર પરથી વિમાન ઉડે છે, પછી શું થાય!

  • June 16, 2025
  • 23 views
Surat Airport: સુરતમાં ગટર પરથી વિમાન ઉડે છે, પછી શું થાય!