નાગપુર હિંસામાં 10 કિશોર સહિત 14 ની ધરપકડ, ધરપડડનો આંકડો 105 પર પહોંચ્યો, પોલીસકર્મીઓને ઈજાઓ

  • India
  • March 22, 2025
  • 1 Comments

મહારાષ્ટ્રના નાગપુરમાં ફાટી નીકળેલી હિંસાએ બિહામણુ સ્વરુપ ધારણ કર્યું છે. લોકોને ઘરો, વાહનો, દુકાનો સહિતની વસ્તુઓ બાળીને રાખ થઈ ગઈ છે. આ હિંસા મામલે નાગપુર પોલીસ સહિત સુરક્ષા દળો કાર્યવાહી કરી રહ્યા છે.   નાગપુરમાં હિંસાના કેસમાં વધુ 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડનો આંકડો કુલ 114 પર પહોંચ્યો છે. નાગપુરમાં હિંસા ભડકતાં સ્થિતિ બેકાબૂ બની છે. ગઈકાલે શુક્રવારે પોલીસે 10 કિશોરો સહિત 14 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં વધુ 3એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. 17 માર્ચે નાગપુરના ઘણા ભાગોમાં વ્યાપક પથ્થરમારો અને આગચંપી થઈ હતી. જેના કારણે નાગપુરમાં તણાવ ભરી સ્થિતિ છે. સ્થિતિને કાબૂમાં લેવા સુરક્ષા દળો ખડેપગે ફરજ બજાવી રહ્યા છે.

નાગપુર પોલીસ કમિશનરે શું કહ્યું?

નાગપુર પોલીસ કમિશનર રવિન્દર કુમાર સિંઘલે જણાવ્યું હતું કે, હિંસામાં સંડોવાયેલા વધુ 14 લોકોની ધરપકડ કરી નવી ત્રણ FIR નોંધવામાં આવી છે. તેમણે કહ્યું કે શહેરના કેટલાક ભાગોમાંથી કર્ફ્યુ હટાવવાનો નિર્ણય ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક પછી લેવામાં આવશે. દરમિયાન, સિંઘલે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે સિવિલ લાઇન્સના પોલીસ ભવનમાં એક બેઠક યોજી હતી. નાગપુર હિંસા દરમિયાન ત્રણ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ કક્ષાના અધિકારીઓ સહિત 33 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.

 હિંસા કેવી રીતે ફાટી નીકળી?

આ બધું ત્યારે શરૂ થયું જ્યારે એક જમણેરી સંગઠનોએ ઔરંગઝેબની કબરને દૂર કરવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતુ. આ વિરોધ પ્રદર્શન દરમિયાન એક અફવા ફેલાઈ હતી કે મુસ્લીમોના પવિત્ર ગ્રંથ કુરાનને બાળવામાં આવ્યો છે. અફવાએ આગમાં ઘી ઉમેરવાનું કામ કર્યું હતુ.

જેથી જોત જોતામાં નાગપુરના વિસ્તારોમાં ટોળું રસ્તા પર ઉતરી આવ્યું હતુ. કેટલાક લોકોએ પેટ્રોલની બોટલો, લાકડીઓ અને પથ્થરોથી હુમલો કરવાનું શરૂ કર્યું હતુ. હિંસાનું વાત કરતાં એક સ્થાનિકે કહ્યું, “તોફાનીઓએ દરવાજા તોડી નાખ્યા, વાહનો તોડી નાખ્યા અને બારીઓ પર પથ્થરમારો કર્યો. અમે ડરથી ઘરમાં છુપાઈ ગયા હતા.

કર્ફ્યુ અને કડક સુરક્ષા વ્યવસ્થા

Latest and Breaking News on NDTV

હિંસા બાદ નાગપુરના ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. કેટલાક વિસ્તારોને નો-ટ્રાફિક ઝોન જાહેર કર્યા છે. કોઈપણ પ્રકારની અફવાઓ ન ફેલાય તે માટે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ નજર રાખવામાં આવી રહી છે. પોલીસ કમિશનરે કહ્યું, “અમે ખાતરી કરી રહ્યા છીએ કે કોઈ જાહેર સંપત્તિને નુકસાન ન પહોંચાડે કે અન્યને ખલેલ ન પહોંચાડે.”

રમખાણો આઘાતજનક

नागपुर हिंसा मामले में 14 और लोगों को दबोचा गया, 105 तक पहुंचीं कुल गिरफ्तारियां; 3 नई FIR भी दर्ज

નાગપુરથી સામે આવેલી હિંસાની તસવીરો અને વીડિયો ખૂબ જ ડરામણા છે. તોફાનીઓએ ટુ-વ્હીલર વાહનોને આગ ચાંપી દીધી, રસ્તા પર પાર્ક કરેલા વાહનો તોડી નાખ્યા અને લાકડીઓ વડે હંગામો મચાવ્યો. પથ્થરમારાના કારણે વિસ્તારમાં અરાજકતા ફેલાઈ ગઈ. પોલીસે તોફાનીઓને ભગાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ દરમિયાન પોલીસકર્મીઓ પર પણ હુમલા કર્યા હતા. હિંસાની દરેક વીડિયો અને તસવીરો લોકોના હૃદયને હચમચાવી નાખ્યા છે.

 

આ પણ વાંચોઃ    dwarka: જામ ખંભાળિયાનાં 16 વર્ષીય સગીરની હત્યા કેસમાં મિત્રની ધરપકડ

આ પણ વાંચોઃ  આજથી વધુ ગરમી પડશે, તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થશે | Gujarat Weather

આ પણ વાંચોઃ Gujarat: મુખ્યમંત્રી કહે છે પહેલા અરજદારનું કામ કરો! તો નડિયાદમાં મહિલાને 25 ધક્કા કેમ ખડાવ્યા?

Related Posts

Char Dham Yatra: ગંગોત્રી-યમુનોત્રીના દ્વાર ખૂલ્યા, CMએ પહેલી પૂજા મોદીના નામે કરી
  • April 30, 2025

Char Dham Yatra: આજથી ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રા શરૂ થઈ ગઈ છે. ભક્તો માટે ગંગોત્રી ધામના દરવાજા ખોલવામાં આવ્યા છે. પીએમ મોદીના નામે ધામમાં પહેલી પૂજા કરવામાં આવી હતી. સીએમ…

Continue reading
Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?
  • April 29, 2025

Pahalgam Attack: 22 એપ્રિલે થયેલા પહેલગામ આતંકવાદી હુમલાનો વીડિયો ગઈકાલે વાઈરલ થયો હતો. જેમાં એક ઝિપ લાઇન ઓપરેટર હુમલા દરમિયાન ધાર્મિક સૂત્રોચ્ચાર કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો સામે આવ્યા…

Continue reading

One thought on “નાગપુર હિંસામાં 10 કિશોર સહિત 14 ની ધરપકડ, ધરપડડનો આંકડો 105 પર પહોંચ્યો, પોલીસકર્મીઓને ઈજાઓ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Char Dham Yatra: ગંગોત્રી-યમુનોત્રીના દ્વાર ખૂલ્યા, CMએ પહેલી પૂજા મોદીના નામે કરી

  • April 30, 2025
  • 7 views
Char Dham Yatra: ગંગોત્રી-યમુનોત્રીના દ્વાર ખૂલ્યા, CMએ પહેલી પૂજા મોદીના નામે કરી

Ahmedabad: 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!  

  • April 30, 2025
  • 11 views
Ahmedabad: 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!  

Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું

  • April 30, 2025
  • 16 views
Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું

નેશનલ ચેનલ 4PM બંધ કરી, બે મહિલાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ, મોદી સીધા સેનાને છૂટ આપી શકે?

  • April 30, 2025
  • 18 views
નેશનલ ચેનલ 4PM બંધ કરી, બે મહિલાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ, મોદી સીધા સેનાને છૂટ આપી શકે?

Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર

  • April 30, 2025
  • 21 views
Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

  • April 29, 2025
  • 31 views
China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ