Gujarati devotee dies Mhakumbh: મહાકુંભ મેળામાં વધુ એક ગુજરાતી શ્રધ્ધાળુંનું મોત, જાણો મૃતક કોણ અને ક્યાના છે?

  • Gujarat
  • February 1, 2025
  • 0 Comments

One more Gujarati devotee dies Mhakumbh: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં થયેલી ભાગદોડમાં 30થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 60થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં એક મહેસાણા જીલ્લાના વિસનગરના કડા ગામના એક વ્યક્તિનું મોત થયું હતુ. ત્યારે આજે રાજકોટનાં વધુ એક શ્રદ્ધાળુનું મોત થયું છે. જેથી તા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

રાજકોટમાં રહેતાં PGVCL કોન્ટ્રેક્ટરનું મોત

રાજકોટ બજરંગવાડી વિસ્તારમાં રહેતા PGVCL કોન્ટ્રેક્ટર 53 વર્ષીય કિરીટસિંહ રણજિતસિંહ રાઠોડ તેમનાં પત્ની અને મિત્ર દંપતી સાથે મહાકુંભમાં ગયા હતા, જ્યાં અચાનક તેમને શ્વાસ ચડતાં રાયબરેલી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જોકે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતુ.

મૃતદેહ એમ્બ્યુલન્સમાં  રાજકોટ લાવાયો હતો

મૃતદેહને ગઈકાલે એમ્બ્યુલન્સ મારફત રાજકોટ લાવવામાં આવ્યો હતો અને અંતિમયાત્રામાં સમાજના અગ્રણીઓ તેમજ PGVCLના સાથીકર્મચારીઓ જોડાયા હતા. ઘરના મોભીનું મોત થતાં પરિવાર આઘાતમાં છે.

ઉત્તર પ્રદેશનાં પ્રયાદરાજ ખાતે એક મહિના સુધી ચાલનારા મહાકુંભમાં કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા પહોંચ્યા છે. ગુજરાતમાંથી પણ અનેક શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે મહાકુંભમાં ગયા છે. મહાકુંભમાં ગયેલ રાજકોટનાં એક ગુજરાતી શ્રદ્ધાળુનું મોત નિપજતા પરિવારજનોમાં શોક વ્યાપી ગયો છે.

અગાઉ મહેસાણા જીલ્લાના વતનીનું થયું હતુ મોત

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન સંગમ કિનારે બુધવારે (29 જાન્યુઆરી) થયેલી નાસભાગમાં મહેસાણા જિલ્લાના વિસનગરના કડાના પટેલ મહેશભાઈ સોમાભાઈ પટેલ નામના શ્રદ્ધાળુનું મોત થયું હતુ. તેમનો મૃતદેહ તેમના વતન લાવી સિદ્ધપુરમાં તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા. ત્યારે હવે વધુ એક ગુજરાતીનું મોત થયું છે.

 

આ પણ વાંચોઃ BANASKANTHA: વાવ પંથકમાંથી ઝડપાયું આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર, 17 શખ્સો દ્વારા વિદેશી લોકો સાથે છેતરપીંડી, જાણો સમગ્ર કારસ્તાન!

Related Posts

Junagadh: અમદાવાદની જેમ જૂનાગઢમાં મોટું દબાણ હટાવવાનું કામ, આ બેઘરોને છત કોણ આપશે?
  • April 30, 2025

Junagadh Demolition: અમદાવાદના ચંડોળા વિસ્તારમાં બાંગ્લાદેશીઓની વસાહતના બહાના હેઠળ સરકાર ગરીબોના ઝૂંપડા પાડી રહી છે. જેથી લોકો આકરા ઉનાળામાં બેઘર બન્યા છે. લોકોના માથેથી છત જતી રહી છે. તેઓ પોતાના…

Continue reading
Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું
  • April 30, 2025

Amreli Accident: રાજકોટથી અમેરલી જતાં ડીઝલ ટેન્કરમાં એકાએક બ્લાસ્ટ થઈ ગયો છે. બાબરા-અમેરલી રોડ પર લુણકી ગામ નજીક ડિઝલ ટેન્કરમાં બ્લાસ્ટ થતાં ડ્રાઈવર સળગી જતાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયું…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Junagadh: અમદાવાદની જેમ જૂનાગઢમાં મોટું દબાણ હટાવવાનું કામ, આ બેઘરોને છત કોણ આપશે?

  • April 30, 2025
  • 5 views
Junagadh: અમદાવાદની જેમ જૂનાગઢમાં મોટું દબાણ હટાવવાનું કામ, આ બેઘરોને છત કોણ આપશે?

Char Dham Yatra: ગંગોત્રી-યમુનોત્રીના દ્વાર ખૂલ્યા, CMએ પહેલી પૂજા મોદીના નામે કરી

  • April 30, 2025
  • 11 views
Char Dham Yatra: ગંગોત્રી-યમુનોત્રીના દ્વાર ખૂલ્યા, CMએ પહેલી પૂજા મોદીના નામે કરી

Ahmedabad: 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!  

  • April 30, 2025
  • 25 views
Ahmedabad: 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!  

Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું

  • April 30, 2025
  • 28 views
Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું

નેશનલ ચેનલ 4PM બંધ કરી, બે મહિલાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ, મોદી સીધા સેનાને છૂટ આપી શકે?

  • April 30, 2025
  • 28 views
નેશનલ ચેનલ 4PM બંધ કરી, બે મહિલાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ, મોદી સીધા સેનાને છૂટ આપી શકે?

Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર

  • April 30, 2025
  • 34 views
Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર