ભારતે એકાએક કેમ જવાબી કાર્યવાહી રોકી? શું થશે ઓપરેશન સિંદૂરનું? | Operation Sindoor

Operation Sindoor: પહેલગામ હુમલામાં મોતને ભેટેલા 26 લોકોના મોતનો બદલો લેવા ભારતે પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર શરુ કર્યું હતુ. જેમાં પાકિસ્તાનના ઘણા આતંકી ઠેકાણોઓ નાશ કર્યા. જો કે આ બાદ બંને તરફથી ફાયરિંગ શરુ થઈ ગયું હતુ. જેમાં બંને દેશના ઘણા નાગરિકોના મોત થયા છે. બંને વચ્ચે જબરજસ્ત યુધ્ધ થાય તેવા એંધાણ વર્તાઈ ગયા હતા. જો કે એકાએક યુધ્ધ વિરામની જાહેરાત ટ્રમ્પે કરતાં લોકો થોડીવાર માટે ડઘાઈ ગયા હતા.

ભારત-પાકિસ્તાનના મામલામાં અમેરિકાએ યુધ્ધવિરામ કેવી રીતે કરાવ્યું?, ભારત-પાક વચ્ચે યુધ્ધ જ થયું નથી. ભારતે માત્ર પહેલગામ હુમલાનો બદલો લેવા માત્ર ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનના ઠેકાણાઓનો નાશ કરવા ચલાવાયું હતુ. હકીકતમાં ભારત-પાકિસ્તાન વચ્ચે યુધ્ધ અંગેની કોઈ જાહેરાત જ નથી. અચરજ તો ત્યારે થાય છે જ્યારે ભારત તરફથી પણ યુધ્ધવિરામની ઘોષણા કરવામાં આવે છે. એકાએકા ભારતને શું થઈ ગયું? યુધ્ધ ન હોવા છતાં ભારતે જવાબી  કાર્યવાહી કેમ રોકવી પડી?

લોકો સવાલ કરી રહ્યા છે કે ટ્રમ્પે સીધી યુધ્ધવિરામની ઘોષણા કેવી રીતે કરી? શું તેનો ભારત-પાકિસ્તાન નિર્ણય ન લઈ શકે. બીજી વાત એ છે કે ભારત પાકિસ્તાન સાથે વાત પણ કરવા તૈયાર ન હતુ. તો એકાએક કેવી રીતે વાત કરવા કેવી તૈયાર થઈ ગયું?

હાલ ઈંદીરા ગાંધીની નિડરતાની વાત થઈ રહી છે. કારણ કે જ્યારે 1971 ભારત-પાકિસ્તાન યુધ્ધ થયું હતુ.ત્યારે તેમણે ત્રીજા દેશને દખલ કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. અમેરિકાને પણ બોલવા પણ દીધુ ન હતુ. જોકે આજે વર્ષ 2025માં મોદી સરકારમાં સેના દ્વારા પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવ્યું, ત્યારે સીધી રીતે ટ્રેમ્પે યુધ્ધ વિરામની ઘોષણા કરી દીધી. દૂર બેઠેલા દેશ આ રીતે ભારત-પાકિસ્તાનના મુદ્દામાં દખલ કેવી રીતે કરી શકે? સવાલ એ થઈ રહ્યા છે કે શું અમેરિકા કહે તેમ ભારત કરવાનું છે?, જ્યારે 1971નું ભારત-પાકિસ્તાન યુધ્ધ થયું ત્યારે તત્કાલિન વડાપ્રધાન ઈંદિરા ગાંધીએ અમેરિકા સહિત કોઈપણ દેશને દખલ કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.

બીજી તરફ ચર્ચા છ કે જામનગરમાં તંત્ર દ્વારા લોકોને યુધ્ધને લઈ ધંધાપાણી બંધ કરવા અને સચેત રહેવા સૂચના આપતાં જ યુધ્ધ વિરામની એકાએક ઘોષણા થઈ છે. આ સીધુ કનેક્શન શું હોઈ શકે તે પણ સવાલ થઈ રહ્યા છે. કારણ કે અહીં અંબાણી પરિવારનો મોટો કારોબાર આવેલો છે. તેને લઈ યુધ્ધવિરામ થયું કે બીજી કંઈ કારણ?

હાલની મોદી સરકાર અમેરિકા સામે બોલી શકતી નથી. તેણે અમેરિકાએ ભારતનું સમર્થન પણ કર્યું નથી. તો ભારત અમેરિકાનું શુ કરવા માને. તેના તમામ કારણો આ વીડિયોમાં સમજો.

આ પણ વાંચોઃ

Kheda: માતરમાં રોંગ સાઈડ જતી ઈકોએ રિક્ષાને ભયંકર રીતે ટક્કર મારી, 3ના મોત, 4ને ઈજાઓ

Lions Census: ગુજરાતમાં સિંહોની 16મી વસ્તી ગણતરી થશે, 3 દિવસમાં કેવી રીતે કરશે ગણતરી?

World Bank એ પાકિસ્તાનને આપ્યો ઝટકો, સિંધુ જળ સંધિ પર આપ્યું ચોકાવનારુ નિવેદન

Aravalli: નિવૃત PSIના દિકરાએ વરઘોડામાં ફાયરિંગ કરતાં બાળકી સહિત 3 લોકોને ઈજાઓ

Lions Census: ગુજરાતમાં સિંહોની 16મી વસ્તી ગણતરી થશે, 3 દિવસમાં કેવી રીતે કરશે ગણતરી?

ધ વાયરની વેબસાઇટ સરકારે બ્લોક કેમ કરી? | The wire

‘બહુ ઊંચા થતાં હોય તો ચેતજો’, ડેપ્યુટી કલેક્ટરને ફરી બનવું પડ્યું મહેસૂલ અધિકારી, 1 લાખનો દંડ | Andhra Pradesh

ગોદી મિડિયા સરકારના ડાહ્યા થવામાં ભારતનું અહિત ન કરી દે!, શું છે Media Advisory જુઓ?

Related Posts

Ahmedabad plane crash: જાણો કેવી રીતે તૈયાર થાય છે DNA રિપોર્ટ?
  • June 15, 2025

Ahmedabad plane crash,  DNA report:  12 જૂન, 2025ના રોજ અમદાવાદના મેઘાણીનગરમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171ના ક્રેશમાં 242 મુસાફરોમાંથી માત્ર એક વ્યક્તિ બચી, જ્યારે 241 લોકોના મૃત્યુ થયા. આ ભયાનક દુર્ઘટનામાં…

Continue reading
Ahmedabad Plane Crash: પ્લેન દુર્ઘટનાના સંભિવત કારણો આ રહ્યા?, બ્લેક બોક્સ મળ્યું, જુઓ Video
  • June 13, 2025

Ahmedabad Plane Crash: 12 જૂન ગુજરાતમાં માટે ખૂબ ખરાબ દિવસ રહ્યો છે. ગુજરાતના અમદાવાદમાં બનેલી ભયાનક દુર્ઘટનાએ દેશના દરેક વ્યક્તિને શોકમાં ડૂબાડી દીધા છે. એર ઇન્ડિયાનું ડ્રીમલાઇનર વિમાન અમદાવાદ એરપોર્ટ…

Continue reading

One thought on “ભારતે એકાએક કેમ જવાબી કાર્યવાહી રોકી? શું થશે ઓપરેશન સિંદૂરનું? | Operation Sindoor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 16 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 22 views
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 12 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

  • June 15, 2025
  • 31 views
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

  • June 15, 2025
  • 18 views
Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ