P.T. Jadeja Arrested: પી ટી જાડેજા પાસામાં પુરાયા, ક્ષત્રિય આગેવાનોમાં ભારે રોષ

P.T. Jadeja Arrested: ક્ષત્રિય સમાજના આગેવાન પી ટી જાડેજાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ક્ષત્રિય સમાજના આગેવાન પી ટી જાડેજાની અટકાયત કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. રાજકોટ શહેર તાલુકા પોલીસ દ્વારા પી ટી જાડેજાની અટકાયત કરી પાસા હેઠળ સાબરમતી જેલ મોકલવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

પી ટી જાડેજા પાસામાં પુરાયા

મળતી માહિતી મુજબ ક્ષત્રિય સમાજના આગેવાન તરીકે ઓળખાતા પી.ટી જાડેજાને પોલીસે પાસા હેઠળ ધરપકડ કરી તેમને સાબરમતી જેલ મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પૂર્વે રાજકોટમાં અમરનાથ મંદિરમાં આરતી કરવા જેવી બાબત બોલાચાલી કરીને એક વ્યક્તિને ધમકી આપવામાં આવી હતી જેની ઓડિયો ક્લિપ વાયરલ પણ થઈ હતી. આ મામલે રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે.

પી.ટી જાડેજાની ધરપકડ મુદ્દે ક્ષત્રિય આગેવાનોનો રોષ

ક્ષત્રિય સમાજના આંદોલન વેળાએ ચર્ચામાં રહેલા પીટી જાડેજાની પાસા હેઠળ અટકાયત કરતા ક્ષત્રિય સમાજના કાર્યકરો અને આગેવાનો તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એકત્ર થયા હતા અને આ કાર્યવાહી મામલે રોષ વ્યક્ત કર્યો હતો.

ક્ષત્રિય આગેવાનની સરકારને ચીમકી 

આ મામલે ક્ષત્રિય આગેવાન જયેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું સરકારે ઉતાવળિયું અને ખોટું પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. આ સાથે તેમણે એવી પણ ચીમકી આપી છે કે, સરકાર સામે ક્ષત્રિયોને જે વાંધો હતો તે બધું હવે ઠંડુ થઈ ગયું છે તેમ છતા જો સરકાર આવા પગલાં લેશે તો ક્ષત્રિય અને રાજપૂત સમાજ સામે સરકારને કાયમી વાંધો થશે. તેમજ સરકારને ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન થશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

આ પણ વાંચો:
 
 
 
 
 
 

  • Related Posts

    Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ
    • October 29, 2025

    Bhavnagar: ભાવનગર શહેરનાં મધ્યમાં આવેલ ગંગાજળીયા તળાવ વિસ્તારની જૂની અને મોટી શાકમાર્કેટ અતિ જર્જરિત હાલતમાં થઈ ગઈ છે. વર્ષો જૂની આ માર્કેટમાં અનેક જગ્યાએ સ્લેબમાંથી ગાબડાં પડી રહ્યા છે, જેના…

    Continue reading
    Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં
    • October 29, 2025

    Narmada: આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાના વિરુદ્ધ તીખી પ્રતિક્રિયા આપી છે. મનસુખ વસાવા દ્વારા AAP નેતાઓ પર કરવામાં આવેલા આક્ષેપોને નકારતા…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

    • October 29, 2025
    • 10 views
    Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

    Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

    • October 29, 2025
    • 14 views
    Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

    Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

    • October 29, 2025
    • 12 views
    Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

    Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

    • October 29, 2025
    • 26 views
    Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

    ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે ફરી કહ્યું, ‘હા મેં જ મોદીને ફોન કરી પાકિસ્તાન સામેનું યુદ્ધ અટકાવ્યું હતું!’, BJP ટ્રમ્પથી પરેશાન! | Donald Trump

    • October 29, 2025
    • 13 views
    ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે ફરી કહ્યું, ‘હા મેં જ મોદીને ફોન કરી પાકિસ્તાન સામેનું યુદ્ધ અટકાવ્યું હતું!’, BJP ટ્રમ્પથી પરેશાન! | Donald Trump

    કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh

    • October 29, 2025
    • 18 views
    કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh