Pahalgam Attack: 3 આતંકીઓના સ્કેચ જાહેર, ધાર્મિક ઓળખ પૂછ્યા બાદ પ્રવાસીઓ પર ફાયરિંગ

  • India
  • April 23, 2025
  • 6 Comments

Pahalgam Attack: પહેલગામ આતંકવાદી હુમલા બાદ આખો દેશ શોક સાથે રોષે ભરાયો છે. જે રીતે આતંકવાદીઓએ નિઃશસ્ત્ર પ્રવાસીઓને પોતાનો શિકાર બનાવ્યા છે તેનાથી સમગ્ર દેશમાં ગુસ્સો છે. હાલ હુમલાખોર આતંકવાદીઓના સ્કેચ જાહેર કરાયા છે. સુરક્ષા એજન્સીઓએ 3 આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે. આ આતંકવાદીઓની ઓળખ આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલ્હા તરીકે થઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રવાસીઓને ધાર્મિક ઓળખ પૂછી પછીને ગોળીબાર કર્યો છે. આ આતંકવાદીઓ હુમલો કરી ફરાર થઈ ગયા હતા. અહેવાલો અનુસાર હુમલા સમયે ઘટનાસ્થળે એક પણ સુરક્ષાકર્મી ન હતો. જેનો લાભ લઈ આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. જેમાં 30 પ્રવાસીઓના મોત થઈ ગયા છે.

આતંકવાદીઓની શોધખોળ

હુમલાની જાણ થતાં જ સુરક્ષાદળો ઘટના સ્થળે આવી પહોચ્યા હતા. જો કે આતંવાદીઓ હુમલો કરી ફરાર થઈ ગયા હતા. ગઈકાલથી પહેલગામના વિસ્તારમાં સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. બૈસરનના જંગલોમાં સેના અને CRPF ઉપરાંત, જમ્મુ અને કાશ્મીર પોલીસના જવાનો આતંકવાદીઓને શોધી રહ્યા છે.

હિન્દુ પ્રવાસીઓની ઓળખ કરી ગોળીઓ ધરબી

ગઈકાલે બપોરે પહેલગામમાં પાંચથી 6 TRF આતંકવાદીઓએ 26 પ્રવાસીઓની ગોળી મારીને હત્યા કરી હતી. આતંકવાદીઓએ પહેલા ધર્મના આધારે હિન્દુ પ્રવાસીઓને ઓળખ્યા અને તે પછી ગોળી મારી દેવામાં આવી હતી. પહેલગામમાં જ્યાં આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબારમાં 30 લોકોના મોત થઈ ગયા છે. સમગ્ર વિસ્તાર લોહીથ લથપથ થઈ ગયો હતો.

પહેલગામના વિસ્તારને મિની સ્વિટ્ઝર્લૅન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે

વાસ્તવમાં, પહેલગામના બૈસરનને મીની સ્વિટ્ઝર્લૅન્ડ કહેવામાં આવે છે. બૈસરન પહેલગામ શહેરથી 6 કિલોમીટર દૂર છે. આ વિસ્તાર ગાઢ પાઈન જંગલો અને પર્વતોથી ઘેરાયેલો છે, જેના કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં ફરવા આવે છે. આ જ બૈસરનમાં AK-47 થી સજ્જ 6 જેટલા આતંકવાદીઓ ઘૂસી ગયા અને પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.

 

આ પણ વાંચોઃ

 

Pahalgam Terrorist Attack: હુમલાનું આયોજન માસ્ટરમાઇન્ડ સૈફુલ્લાહ 2 મહિનાથી કરી રહ્યો હતો!

Pahalgam Attack: ખતરારુપ વિસ્તારમાં સુરક્ષા કેમ ન હતી?, લોકોના મોત માટે કોણ જવાબદાર?

Pahalgam Attack: હુમલા બાદ સેનાએ HAL ધ્રુવ હેલિકોપ્ટરની ફોજ ઉતારી, આતંકીઓને શોધી કાઢવા ઓપરેશન

Ahmedabad: સરકાર આસારામના 3 આશ્રમ કેમ ખાલી કરાવી રહી છે?, શું છે આયોજન!

આસારામના આશ્રમને ખાલી કરાવતાં વળતર મળશે કે નહીં? |  Olympics Planning

NADIAD: સિરપકાંડના આરોપીના ઘરે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશીએ વોચ રાખી

 

Related Posts

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?
  • April 29, 2025

Pahalgam Attack: 22 એપ્રિલે થયેલા પહેલગામ આતંકવાદી હુમલાનો વીડિયો ગઈકાલે વાઈરલ થયો હતો. જેમાં એક ઝિપ લાઇન ઓપરેટર હુમલા દરમિયાન ધાર્મિક સૂત્રોચ્ચાર કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો સામે આવ્યા…

Continue reading
Cyber ​​Attack: રાજસ્થાનની સરકારી વેબસાઇટને પાકિસ્તાને હેક કર્યાના આરોપ, શું લખ્યું!
  • April 29, 2025

 Cyber ​​Attack: રાજસ્થાન શિક્ષણ વિભાગની વેબસાઇટ હેક કરતાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાન સાયબર ફોર્સે તેના પર પોતાની પોસ્ટ કરી છે. શિક્ષણ વિભાગની વેબસાઇટ ખુલી રહી નથી. વેબસાઇટ પર કાશ્મીરમાં…

Continue reading

One thought on “Pahalgam Attack: 3 આતંકીઓના સ્કેચ જાહેર, ધાર્મિક ઓળખ પૂછ્યા બાદ પ્રવાસીઓ પર ફાયરિંગ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

  • April 29, 2025
  • 3 views
Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

  • April 29, 2025
  • 11 views
Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

  • April 29, 2025
  • 14 views
MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

  • April 29, 2025
  • 24 views
TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

  • April 29, 2025
  • 24 views
Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

Savarkundla: APMCના ડિરેક્ટર અંકુર રામાણીનો આપઘાત

  • April 29, 2025
  • 18 views
Savarkundla: APMCના ડિરેક્ટર અંકુર રામાણીનો આપઘાત