પાલનપુર: અન્ય યુવતિના પ્રેમમાં અંધ બનેલા યુવકે પત્નીને આપ્યા ત્રિપલ તલાક; નોંધાયો કેસ

  • Gujarat
  • December 25, 2024
  • 0 Comments

બનાસકાંઠાના પાલનપુરમાં ત્રિપલ તલાકનો કેસ સામે આવ્યો છે. પાલનપુરના જામપુરામાં રહેતો અકતરશા રજબશા રાઠોડે પોતાની પત્નીને ત્રિપલ તલાક આપી દેતા પાલનપુરના પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં પત્ની દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

મળી રહેલી માહિતી અનુસાર, પરણિત અકતરશા દ્વારા પહેલા અન્ય એક યુવતી સાથે સંબંધ બાંધ્યા હતા. તે પછી તેણે પોતાની પત્નીને ત્રિપલ તલાક આપી દીધા હતા. જણાવી દઈએ કે, અકતરશાની એક નાની બાળકી પણ છે. જો કે, તે છતાં અન્ય યુવતિ સાથે પ્રેમ પાંગળતા પોતાની દિકરી અને પત્નીને તરછોડી દઈને ત્રિપલ તલાક આપી દીધા છે.

મળી રહેલી માહિતી અનુસાર, અકતરશાહે હિન્દુ યુવતી સાથે સંબંધ બાંધીને પોતાની પત્નીને તરછોડી દીધી છે. આ બાબતને હિન્દુવાદી સંગઠનો લવ જેહાદ થયું હોવાનું પણ ગણાવી રહ્યાં છે. આ કેસમાં પશ્ચિમ પોલીસ સ્ટેશન દ્વારા કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

30 જુલાઈ 2019 ના રોજ, ભારતની સંસદે ટ્રિપલ તલાકની પ્રથાને ગેરકાયદેસર અને ગેરબંધારણીય જાહેર કરીને તેને 1 ઓગસ્ટ 2019 થી સજાપાત્ર અધિનિયમ બનાવ્યું હતું.

ભારતમાં ત્રિપલ તલાક (તાલાક-એ-બિદ્દત)ને 2019માં કાયદેસર રીતે ગુનો ગણવામાં આવ્યો છે. મુસ્લિમ વુમન (પ્રોટેક્શન ઓફ રાઇટ્સ ઓન મેરેજ) એક્ટ, 2019 મુજબ, ત્રિપલ તલાક માટેની જોગવાઇઓ નીચે મુજબ છે:

  1. ગુનાનો પ્રકાર:
    ત્રિપલ તલાક આપવી દંડનીય અને અજામીન ગુનો છે.
    તે એવી રીતે ગણવામાં આવે છે કે જે પગલે પત્ની પર તુરંત વિધિ વિરૂદ્ધ છૂટાછેડા લાગુ થાય.
  2. સજા:
    પતિને 3 વર્ષ સુધીની જેલની સજા અને દંડ થઈ શકે છે.
  3. ફરિયાદ કરવાના અધિકાર:
    આ ગુનાની ફરિયાદ તે મહિલાએ અથવા તેણીના નજીકના સંબંધીએ કરી શકે છે, જેને ત્રિપલ તલાકથી પ્રભાવિત કરવામાં આવી છે.
  4. મહિલાના અધિકાર:
    મહિલાને પોતાનું તથા પોતાના બાળકોનું ભરણપોષણ મેળવવાનો અધિકાર છે.
    મહિલાને પોતાના બાળકોની કસ્ટડી (જાળવણી) મેળવવાની પણ મંજૂરી છે, પરંતુ આ નિર્ણય કેસ પર આધાર રાખે છે.
  5. સાંમાન્ય જોગવાઇઓ:
    જો પતિ અને પત્ની વચ્ચે સમાધાનની શક્યતા હોય, તો તે ન્યાયાધીશની દેખરેખ હેઠળ થઈ શકે છે.
    પૃષ્ઠભૂમિ:
    સુપ્રીમ કોર્ટના 2017ના શાયરા બાનો કેસમાં ત્રિપલ તલાકને અસંવિધાનિક જાહેર કરવામાં આવ્યું હતું, જે પછી આ કાયદો લાગુ પડ્યો.

આ કાયદા દ્વારા ત્રિપલ તલાકને રોકવાનો ઉદ્દેશ્ય મહિલાઓના હિતનું રક્ષણ કરવો અને સમાન ન્યાય સુનિશ્ચિત કરવો છે.

Related Posts

Junagadh: અમદાવાદની જેમ જૂનાગઢમાં મોટું દબાણ હટાવવાનું કામ, આ બેઘરોને છત કોણ આપશે?
  • April 30, 2025

Junagadh Demolition: અમદાવાદના ચંડોળા વિસ્તારમાં બાંગ્લાદેશીઓની વસાહતના બહાના હેઠળ સરકાર ગરીબોના ઝૂંપડા પાડી રહી છે. જેથી લોકો આકરા ઉનાળામાં બેઘર બન્યા છે. લોકોના માથેથી છત જતી રહી છે. તેઓ પોતાના…

Continue reading
Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું
  • April 30, 2025

Amreli Accident: રાજકોટથી અમેરલી જતાં ડીઝલ ટેન્કરમાં એકાએક બ્લાસ્ટ થઈ ગયો છે. બાબરા-અમેરલી રોડ પર લુણકી ગામ નજીક ડિઝલ ટેન્કરમાં બ્લાસ્ટ થતાં ડ્રાઈવર સળગી જતાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયું…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ભારતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવા સરકાર તૈયાર

  • April 30, 2025
  • 4 views
ભારતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવા સરકાર તૈયાર

સીમા હૈદર પાકિસ્તાનનો કચરો, પાછી મોકલવી જોઈએ, મિથિલેશ ભાટી ગુસ્સે ભરાઈ

  • April 30, 2025
  • 15 views
સીમા હૈદર પાકિસ્તાનનો કચરો, પાછી મોકલવી જોઈએ, મિથિલેશ ભાટી ગુસ્સે ભરાઈ

Junagadh: અમદાવાદની જેમ જૂનાગઢમાં મોટું દબાણ હટાવવાનું કામ, આ બેઘરોને છત કોણ આપશે?

  • April 30, 2025
  • 18 views
Junagadh: અમદાવાદની જેમ જૂનાગઢમાં મોટું દબાણ હટાવવાનું કામ, આ બેઘરોને છત કોણ આપશે?

Char Dham Yatra: ગંગોત્રી-યમુનોત્રીના દ્વાર ખૂલ્યા, CMએ પહેલી પૂજા મોદીના નામે કરી

  • April 30, 2025
  • 15 views
Char Dham Yatra: ગંગોત્રી-યમુનોત્રીના દ્વાર ખૂલ્યા, CMએ પહેલી પૂજા મોદીના નામે કરી

Ahmedabad: 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!  

  • April 30, 2025
  • 34 views
Ahmedabad: 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!  

Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું

  • April 30, 2025
  • 37 views
Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું