Peanut Scam Gujarat: કોંગ્રેસે નહીં ખુદ ભાજપ નેતાએ જ મગફળી ખરીદી કૌભાંડનો કર્યો પર્દાફાશ, કેમ MLAને મળી માનહાનિ કેસની ધમકી?

  • Gujarat
  • February 24, 2025
  • 0 Comments

Peanut Scam Gujarat: આ વખતે મગફળી ખરીદી કૌભાંડનો પર્દાફાશ કોંગ્રેસ કે બીજા પક્ષોએ કર્યો નથી પણ ભાજપના નેતાઓ તેનો પર્દાફાશ કરી રહ્યાં છે. 7 વર્ષ પહેલાં 7 હજાર કરોડની મગફળીની ખરીદીનું કૌભાંડ થયું હોવાના આરોપો લગાવ્યા હતા. 7,000ના ભાવે ખરીદી કરીને તેમાં માટીની મિલાવટ કરી સરકારને 18,000 રૂપીયામાં મગફળી વેચી રહી હતી. મગફળીના ગોડાઉનો સળગાવી દેવાયા હતા. 2024માં ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં ખેડૂતોની મગફળી નામંજૂર કરવામાં આવી છે. મગફળીના વેપારીઓ ખેડૂતોની નકારી કાઢવામાં આવેલી મગફળીને ઓછા ભાવે ખરીદવામાં આવી હતી.

મગફળી ખરીદી કૌભાંડ મુદ્દે બે ભાજપ નેતાઓ જ આમને સામને આવી ગયા છે. ઈફ્કોના અધ્યક્ષ દિલીપ સંઘાણી અને માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી આમને સામને આવ્યા છે. જૂનાગઢ જિલ્લામાં મગફળીની ખરીદીમાં મોટા પાયે ગોલમાલ થઈ છે. વેપારીઓ 27 હજારની મગફળી માત્ર 16 હજારમાં માંગતા હતા.

માનહાનિ દાવાની ધમકી

ગુજકોમાસોલના નરેન્દ્ર પરમાર, ભરત બારડ સહિતના અધિકારીઓ પર ગેરરીતિના આક્ષેપો લગાવ્યા સાથે જ તેમણે 2 નંબરની મંડળી ડિરેક્ટરના સગાં-વહાલાંની હોવાની પણ આશંકા વ્યક્ત કરી છે. સંઘાણી અને નરેન્દ્રસિંહ પરમારે તો માનહાનીનો દાવો કરવાની ધમકી આપી છે.

ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કર્યા ગેરરીતિના આરોપો

માણાવદર તાલુકામાં મગફળી ખરીદી કેન્દ્રોમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાનો ગંભીર આરોપ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ લગાવ્યો છે. તેમણે ગુજકોમાસોલના અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. તાલુકામાં કુલ ચાર મગફળી ખરીદી કેન્દ્રો કાર્યરત છે. એક કેન્દ્રમાં 40 હજાર બારદાન, અન્ય કેન્દ્રો પર અછત છે.

આક્ષેપો પાયા વીહોણા

અધિકારીઓ પર નબળી ગુણવત્તાની મગફળીની ખરીદી અને કૌભાંડના આરોપને સંઘાણીએ ફગાવ્યા છે.  ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ આ આક્ષેપોને નકારી કાઢ્યા છે અને તપાસની ખાતરી આપી છે.

માનહાનિ ધમકી બાદ લાડાણીએ શું કહ્યું?

અરવિંદ લાડાણીએ જણાવ્યુ કે મેં નાણાની ઉચાપત થઈ હોવાનો આરોપ નથી લગાવ્યો. કહ્યુ મે માત્ર મગફળી ખરીદીમાં અવ્યવસ્થાની વાત કરી છે. બીજી તરફ તેમણે કહ્યુ માનહાનિનો દાવો કરે તો ભલે કરે.

 

કાનાભારે પણ ગોલમાલનો આક્ષેપ કર્યો 

બીજી તરફ આ વર્ષે ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી હોવાનો ગંભીર આરોપ ભાજપના નેતા ભરત કાનાબારે પણ લગાવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા ચાલી રહેલી ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં મોટું કૌભાંડ થયાનો આક્ષેપ કર્યો છે. આ વર્ષે સરકારે નક્કી કરેલા ટેકાના ભાવ અને બજાર ભાવ વચ્ચે રુ. 250થી રુ. 350નો તફાવત છે. કાનાબારના આરોપ મુજબ, માર્કેટ યાર્ડમાં વેપારીઓ, અધિકારીઓ અને વચેટિયાઓની ટોળકીઓએ આ ભાવ તફાવતનો ગેરલાભ લીધો છે.

 

 

આ પણ વાંચોઃ Ahmedabad: પાકિસ્તાન સામે જીત બાદ ફટાકડા ફોડવા બાબતે ખોખરામાં પથ્થરમારો, જાણો ઘટના!

આ પણ વાંચોઃ SURAT: કારચાલકે 2 બાઈકને અડફેટે લેતા 3ના મોત, કાર BRTS રૂટમાં ઘૂસી

આ પણ વાંચોઃ IND vs PAK: ‘મેં ક્યારેય વિચાર્યું ન હતું પાકિસ્તાન હારશે’, હાર બાદ પૂર્વ કેપ્ટન વસીમ અકરમ ગુસ્સે

 

Related Posts

Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ
  • June 16, 2025

Bhavnagar: ગુજરાતમાં હાલ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ જોવા મળી રહી છે. ત્યારે આજે ભાવનગરમાં પણ વરસાદે ભુક્કા બોલાવ્યા છે.…

Continue reading
Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી
  • June 16, 2025

Visavadar, Kadi By-Election 2025: ગુજરાતની વિસાવદર (જૂનાગઢ) અને કડી (મહેસાણા) વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન 19 જૂન, 2025 (ગુરુવાર)ના રોજ યોજાશે, જ્યારે મતગણતરી અને પરિણામ 23 જૂન, 2025 (સોમવાર)ના રોજ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

  • June 16, 2025
  • 7 views
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

  • June 16, 2025
  • 7 views
Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

  • June 16, 2025
  • 11 views
Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

Mahesh Jirawala missing: મહેશ જીરાવાલા કોણ છે? જે વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!

  • June 16, 2025
  • 10 views
Mahesh Jirawala missing: મહેશ જીરાવાલા કોણ છે? જે  વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!

Banaskantha: લૂંટ વિથ ડબલ મર્ડરની ઘટના, લૂંટારુઓએ ઊંઘમાં જ PI ના માતા-પિતાનું ઢીમ ઢાળી દીધું

  • June 16, 2025
  • 14 views
Banaskantha: લૂંટ વિથ ડબલ મર્ડરની ઘટના, લૂંટારુઓએ ઊંઘમાં જ PI ના માતા-પિતાનું ઢીમ ઢાળી દીધું

Surat Airport: સુરતમાં ગટર પરથી વિમાન ઉડે છે, પછી શું થાય!

  • June 16, 2025
  • 23 views
Surat Airport: સુરતમાં ગટર પરથી વિમાન ઉડે છે, પછી શું થાય!