PM Modi in Gujarat: ગુજરાતમાં PM નરેન્દ્ર મોદીની હાજરી છતાં ભાજપમાં ભંગાણ યથાવત !રાજકોટમાં ભાજપને આ નેતાઓએ કર્યું અલવિદા!

  • Gujarat
  • October 31, 2025
  • 0 Comments

PM Modi in Gujarat: ગુજરાતમાં એક સમય હતો કે જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતમાં કોઈપણ ખૂણે આવે એટલે ભાજપમાં જાણે ઉત્સવ હોય તેવો માહોલ રચાતો હતો પણ હવે એવું રહ્યું નથી મોદીજી બે દિવસથી ગુજરાત મુલાકાતે છે તો પણ કાર્યકરોમાં ઉત્સાહ નથી અને જાણે કોઈ નોંધ પણ લેતું ન હોય તે રીતે ચલાલા ભાજપમાં જૂથવાદ વકર્યો છે અને ભાજપ વિરુદ્ધ ભાજપ અભિયાન ચાલી રહ્યું છે અને ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે અવિશ્વાસની દરખાસ્ત પણ મૂકી છે અને હાલ મોદી ગુજરાતમાં જ છે ત્યારે પણ રાજકોટમાં ભાજપના કેટલાક આગેવાનો ભાજપ સાથેનો છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે,આ વાત સંગઠન માટે ખૂબ મોટી છે અને સીઆર પાટીલની પ્રદેશ પ્રમુખ તરીકેની વિદાય બાદ જાણે કોઈ કોઈ ઉપર કંટ્રોલ રહ્યો હોય તેવું જણાતું નથી ટૂંકમાં એક સમયે શિસ્તના નામે બધા ફફડતા હતા તે સમય હવે જૂનો થઈ ગયો છે અને અગાઉ જે કોંગ્રેસની ઇમેજ હતી તેવી કોઈ કંટ્રોલ વગરની ઇમેજ ભાજપની બની ગઈ છે.

રાજ્યમાં આગામી મહિનાઓમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપમાં ઠેરઠેર અસંતોષ અને જૂથવાદ સપાટી ઉપર આવી રહ્યો છે અને ભંગાણ પડવાનું શરૂ થયું છે ત્યારે રાજકોટમાં પણ ભાજપના કેટલાક આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાઈ જતા ભાજપને ઝટકો લાગ્યો છે.

રાજકોટમાં ભાજપ છોડી આમ આદમી પાર્ટીમાં શહેર અને જિલ્લાના આગેવાનો જોડાયા હોવાની વાત સામે આવી છે.જે ભાજપના આગેવાનો જોડાયા છે તેમાં નરેન્દ્ર રાઠોડ, (જિલ્લા પંચાયત કારોબારી સભ્ય,ભાજપ), રમેશ હાપલીયા (તાલુકા પૂર્વ પ્રમુખ, ભાજપ કિસાનસંઘ)ભીખા મેઘાણી (પૂર્વ સરપંચ,મોટા મવા) ખોડાભાઈ સોલંકી,(કારોબારી સભ્ય,કોટડા) તેમજ દ્વિજેન પટેલ, (વોર્ડ 11 પ્રભારી ભાજપ)સહિત ભાજપ કોર્પોરેટર અસ્મિતા દેલવાડિયાના પતિ મૌલિક દેલવાડિયાએ ભાજપ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. AAPના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ ભાજપ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયેલા તમામને આપનો ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા હતા.ભાજપનો આંતરિક જૂથવાદ પક્ષ પલટામાં પરીણમ્યો છે.

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ભાજપને આ મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના કોર્પોરેટર અસ્મિતા દેલવાડિયાના પતિ મૌલિક દેલવાડિયા આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ તેઓ તમામને આપ નો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું.ગુજરાત રાજ્યમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અગાઉ જ ભાજપમાં ઠેરઠેર અસંતોષની આગ જોવા મળી રહી છે અને અત્યારસુધીમાં અનેક ભાજપના આગેવાનો પક્ષ સાથે છેડો ફાડી ચુક્યા છે.

નોંધનીય છે કે રાજ્યની છ મહા નગરપાલિકાઓ ની બેઠકોના રોટેશન જાહેર કરવામાં આવ્યા છે.આ વખતે મહત્ત્વની વાત એ છે કે, નવી મહાનગરપાલિકાઓ સહિત કુલ 15 મહાનગરપાલિકાની ચૂંટણીમાં 27 ટકા OBC અનામતનો અમલ કરવામાં આવ્યો છે. આ નવા નિયમ મુજબ બેઠકોની ફાળવણીની યાદી બહાર પાડવામાં આવી છે.

અમદાવાદ મહાનગરપાલિકા (AMC) માં કુલ 192 બેઠકો માંથી 50 ટકા અનામત મુજબ 96 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે, જ્યારે પછાત વર્ગ માટે 52 બેઠકો અનામત રખાઈ છે. નવી રચાયેલી મહાપાલિકાઓના રોટેશન હજી જાહેર થવાના બાકી છે તેવે સમયે ભાજપમાં અગાઉ થીજ ભંગાણ પડવાની વાતો સામે આવી રહી છે.
આ પહેલા સિક્કા નગરપાલિકા માંથી પણ આઠ કોર્પોરેટર ભાજપ માંથી કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા આ સિવાય બળવો કરવો કે રાજીનામા આપવા જેવી ઘણી ઘટનાઓ પ્રકાશમાં આવી ચૂકી છે ત્યારે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ સંગઠન ઉપર કેવી રીતે કાબુ મેળવશે?તે એક સવાલ છે.

આ પણ વાંચો:

 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

Gujarat: 60 ગામડાઓ શહેરમાં ભળી ગયા, સવલતો મળતી નથી 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય

 

 

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

Related Posts

 AAP Gujarat: ગુજરાતમાં AAPની ખેડૂત મહાપંચાયત: કેજરીવાલે કહયું- “સરકાર આખી હર્ષ સંઘવી ચલાવે છે, ભૂપેન્દ્ર પટેલનું કંઇ ચાલતું નથી”
  • October 31, 2025

AAP Gujarat: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના વાંટાવચ્છ ગામમાં આજે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ભવ્ય ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. કડદા પ્રથા, ખેડૂતો પરના અત્યાચાર અને અન્ય મુદ્દાઓ પર…

Continue reading
Ahmedabad: સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ ભૂપાદાદા થયા ભપ્પ, જાણો કેવી છે તેમની હાલત?
  • October 31, 2025

Ahmedabad: આજ રોજ ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતીને લઈને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય ઉજવણીમાં અમદાવાદમાં યોજાયેલી ‘યુનિટી માર્ચ’ દરમિયાન એક નાની અણધારી ઘટના બની. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Panjab: લગ્ન પહેલાં નાની બહેન સાથે કરી ક્રુરતા, બહેનના મૃતદેહને કોથળામાં લઈ જતો પકડાયો અને પછી થયો ચોંકાવનારો ખુલાસો

  • October 31, 2025
  • 1 views
Panjab: લગ્ન પહેલાં નાની બહેન સાથે કરી ક્રુરતા, બહેનના મૃતદેહને કોથળામાં લઈ જતો પકડાયો અને પછી થયો ચોંકાવનારો ખુલાસો

UP: ભાજપ સાંસદને મહિલાઓએ ખખડાવ્યા, મેરઠ સેન્ટ્રલ માર્કેટ તોડી પાડતાં રોષે ભરાઈ

  • October 31, 2025
  • 2 views
UP: ભાજપ સાંસદને મહિલાઓએ ખખડાવ્યા, મેરઠ સેન્ટ્રલ માર્કેટ તોડી પાડતાં રોષે ભરાઈ

Rare Earth: ચીનના દુર્લભ રેર અર્થના લાઇસન્સ ભારતીય કંપનીઓને મળ્યા

  • October 31, 2025
  • 2 views
Rare Earth: ચીનના દુર્લભ રેર અર્થના લાઇસન્સ ભારતીય કંપનીઓને મળ્યા

Mumbai: બોલિવૂડના પીઠ અભિનેતા ધર્મેન્દ્ર મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ, જાણો શું થયું?

  • October 31, 2025
  • 10 views
Mumbai: બોલિવૂડના પીઠ અભિનેતા ધર્મેન્દ્ર મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ, જાણો શું થયું?

IND vs AUS: ભારત 17 વર્ષ બાદ MCG ખાતે T20I મેચ હાર્યું!, ઓસ્ટ્રેલિયા 1-0થી આગળ!

  • October 31, 2025
  • 12 views
IND vs AUS: ભારત 17 વર્ષ બાદ MCG ખાતે T20I મેચ હાર્યું!, ઓસ્ટ્રેલિયા 1-0થી આગળ!

Mallikarjun Kharge on RSS: સરદાર પટેલના પત્રની યાદ અપાવી ખડગેએ કહ્યુ,”RSS પર પ્રતિબંધ મૂકવો જોઈએ!”ભાજપ-RSSએ દેશની પથારી ફેરવી નાખી છે!

  • October 31, 2025
  • 11 views
Mallikarjun Kharge on RSS: સરદાર પટેલના પત્રની યાદ અપાવી ખડગેએ કહ્યુ,”RSS પર પ્રતિબંધ મૂકવો જોઈએ!”ભાજપ-RSSએ દેશની પથારી ફેરવી નાખી છે!