પોલીસની રાજકીય “જી હુજૂરી”; દિકરીના સરઘસને લઈને ભાજપ-કોંગ્રેસે જ ઉઠાવ્યા અનેક સવાલો

અમરેલી ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયાના લેટરકાંડમાં એક મહિલા આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવાને લઈને મામલો ગરમાયો છે. આ બાબતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કથારિયાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર વેધક પ્રહાર કર્યા છે, તો બીજેપીના નેતા ડો ભરત કાનાબારીએ પણ પોલીસની કામગીરી ઉપર પ્રશ્ન ઉઠાવતી પ્રતિક્રિયા આપી છે. તો જૈની ઠૂમ્મર મહિલા કોંગ્રેસ પ્રમુખે પણ ભાજપની ઝાટકણી કાઢી છે. ઉલ્લેખનિય છે કે, લેટરકાંડ પછી પોલીસે કરેલી કાર્યવાહીમાં એક મોટી ચૂક થઈ ગઈ છે. પોલીસે એક મહિલાનું રિક્ન્સ્ટ્રક્શનના નામે સરઘસ કાઢવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે… તો આવો જોણીએ.. ઉપરોક્ત તમામ લિડરોએ શું કહ્યું…

અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા વિરુદ્ધના ડુપ્લીકેટ લેટર કાંડનો મામલો સામે આવ્યો હતો. જેમાં ખુદ ભાજપના નેતા દ્વારા જ ડુપ્લીકેટ લેટર કાંડ થકી કૌશિક વેકરીયાને બદનામ કરવા આ ષડયંત્ર કર્યું હોવાનું સામે આવ્યુ હતું. આ મામલામાં અમરેલી યુવા ભાજપના પૂર્વ પ્રમુખ મનીષ વઘાસીયા મુખ્ય આરોપી નીકળ્યા હતા. જેથી પોલીસ દ્વારા આ કાંડમાં સામેલ મનીષ વઘાસીયા સહિત અમરેલીના જસવંતગઢના સરપંચ અશોક માંગરોળીયા, જીતુ બાવચંદ ખાત્રા અને વિઠલપુરના રહેવાસી કોમ્પ્યુટર ઓપરેટ કરતી પાયલ અશ્વિન ગોટીની પણ ધરપકડ કરવામા આવી હતી.

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ આ મામલે ગુજરાત સરકાર અને બીજેપી પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે, જે રીતે ભારતીય જનતા પાર્ટી બેટી બચાવો બેટી પઢાવોની વાત કરે છે અને એક બાજું કુવારી દિકરી, જેનો કોઈ વાંક નથી, જે પોતાના બોશના કહેવાથી લેટર ટાઈપ કરે, તેને રાત્રે બાર વાગે તેના ઘરેથી ઉપાડે અને બીજા દિવસે તેનો સરઘસ કાઢે, સાહેબ શરમ આવવી જોઈએ આ સરકારને, શું તે બુટલેગર હતી? શું તે દિકરી હિસ્ટ્રીશીટર હતી?

તેમણે વધુમાં કહ્યું કે, જે તમારી પીઆઈની ગાડી ઉલાળી નાંખે તેને પકડી શકતા નથી, મોટા પ્રમાણમાં દારૂ પકડાય છે, આટલી વ્યાજખોરી છે, આટલી લુખ્ખાગીરી છે, તમારી ભાજપની કોર્પોરેટરને આત્મહત્યા કરવી પડે છે, તમારી દિકરી હોદ્દેદારને સુસાઈડ કરવું પડે છે, એની તમે ધરપકડ કરી શકતા નથી, તેના આરોપીઓને પકડી શકતા નથી, તેનો સરઘસ કાઢી શકતા નથી અને એક બિચારી કુવારી દિકરી, તેને પોતાના બોસના કહેવાથી લેટર ટાઈપ કર્યો હોય, ઈ દિકરીની તમે ધરપકડ કરો અને સરઘસ કાઢો.. સાહેબ શરમ આવવી જોઈએ… ઓલો નમાલિયો હોય, માંખી ઉડાવવાની તાકાત નહોય તે બાયડી ઉપર શુરો હોય. ભાજપ સરકાર આ બતાવી રહી છે કે, નમાલી સરકાર દિકરીઓ ઉપર શૂરા થવા જઈ રહી છે.. હું હર્ષ ભાઈ અને ભૂપેન્દ્ર ભાઈને કહું છું કે, તમારી સરકારમાં દિકરીઓનું સરઘસ કાઢવામાં આવે છે, હજું કેટલા દિવસ હોકા ભરવાના છે, કેટલા દિવસ સુધી પાંચ પાંચ કરોડ રૂપિયાના સુટ લેવાના છે, કેટલા દિવસ મોટા મોટા ફંક્શન કરીને સાહેબને બોલાવીને કેટલા દિવસ મોટા કરવા છે… જોગો, કંઇક જૂઓ, સમજો વિચારો..

ઉલ્લેખનિય છે કે, નાયબ દંડક કૌશિક વેકરીયા વિરુદ્ધ લખાણ કરી સોશિયલ મીડિયામાં પત્ર વાઈરલ કરાયો હતો. જેમાં અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના બનાવટી લેટરપેડ પર ખોટી સાઈન કરાઈ હતી. આ મામલે પોલીસે યુવા ભાજપના હોદ્દેદારો સહિત 4 લોકોની ધરપકડ કરી તેઓના એક દિવસના રિમાન્ડ મેળવ્યાં હતા.

આ અંગે ભાજપ નેતા ભરત કાનાબારે જણાવ્યું કે, પોલીસે સમગ્ર ઘટના દરમિયાન દિકરીનો જે રોલ હતો, તે એક ઓફિસના સ્ટાફના ભાગ તરીકે કામ કર્યું છે, તે કોઈ રાજકીય નથી. ગંભીર ગુનો કર્યો હોય તે રીતે દિકરી તરીકે તેને બધાની સાથે જાહેરમાં ફેરવવી એ પોલીસ દ્વારા અતિરેક કર્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, પોલીસે લેટરકાંડમાં જેવી સક્રિયતા દાખવી છે, તેટલી જ સક્રિયતા દારૂ અને રેતીની ચોરીનું દૂષણ છે, જે પાછલા ત્રણ-ચાર વર્ષમાં ફૂલ્યું-ફાલ્યું છે તેના ઉપર અંકુશ લાવવા નવા એસપી પાસે મારો આગ્રહ છે.

કોંગ્રેસના મહિલા નેતા જૈની બેન ઠૂમ્મરે નકલી લેટરકાંડ અંગે દિકરીના સરઘસ કાઢવાને લઈને પ્રતિક્રિયા આપતા પોલીસ ઉપર આકરા પ્રહાર કર્યા છે. જૈની બેને જણાવ્યું કે, પોલીસે પોતાની પ્રેસ કોન્ફ્રન્સ વખતે પણ દિકરીની ઓળખ છતી કરી તે નિંદનિય છે, તો તેના પછી રિકન્સ્ટ્રક્શન વખતે જાહેરમાં તેનો સરઘસ કાઢવામાં આવ્યો તે તો ખુબ જ ગંભીર બાબત છે. તે ઉપરાંત જૈની બેને પોલીસની કાર્યવાહીનો વિરોધ દર્શાવ્યો હતો.

આ મામલે પ્રદેશ મહિલા કોંગ્રેસના અધ્યક્ષ જેની ઠુમ્મરે સોશિયલ મીડિયા મારફતે રોષ ઠાલવ્યો હતો. ત્યારે પ્રતાપ દુધાતે આ મામલે ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલને પણ પત્ર લખ્યો છે અને નરેશ પટેલ અને સમાજના આગેવાનોને દિકરીના સમર્થનમાં આવીને બિન અધિકૃત રીતે દીકરીનું સરઘસ કઢાવનાર અધિકારી સામે કડક તપાસ કરવા માટે સરકાર પાસે માંગણી કરવા જણાવ્યું છે અને આ બાબતે નિવેદન આપવા જણાવ્યું છે. ત્યાકે પ્રતાપ દુધાતે પટેલ સમાજના મોભી નરેશ પટેલને પત્ર પાઠવી સરધાર ધામના ગગજી સુતરીયા, કાનજી ભાલાળા,મથુરભાઈ સવાણીને પત્રની નકલ રવાના કરી છે ત્યારે પ્રતાપ દુધાતના પત્રથી રાજકીય ખળભળાટ મચ્યો છે.

Related Posts

Valsad bridge: વલસાડમાં બ્રિજનું ‘સ્કેફોલ્ડિંગ’ધડાકાભેર તૂટી પડ્યું! સ્લેબ ભરતી વખતે તૂટ્યું હોતતો શુ થાત? ગુણવત્તા ઉપર ઉઠ્યા સવાલ
  • December 12, 2025

Valsad bridge: આજકાલના બાંધકામોની ગુણવત્તા ઉપર હંમેશા સવાલો ઉઠતા રહયા છે ત્યારે ખાસ કરીને બ્રિજના નબળા બાંધકામો ઉપર સવાલો ઊઠી રહયા છે આવા સમયે વલસાડના કૈલાશ રોડ સ્થિત ઔરંગા નદી…

Continue reading
Gujarat Lost to Illiteracy: અભણ ગુજરાત: શાળા છોડવાનું પ્રમાણ આખા દેશમાં ગુજરાતમાં સૌથી વધુ!! ડ્રોપ આઉટમાં 341 ટકાનો વધારો!
  • December 11, 2025

(સંકલન,દિલીપ પટેલ) Gujarat Lost to Illiteracy: સંસદમાં કેન્દ્ર સરકારે આપેલા આંકડા મુજબ 2.40 લાખ વિદ્યાર્થીઓ શાળાએ ભણવા જતા નથી. ભાજપ સરકારની નિષ્ફળતા સૂચવે છે. દેશમાં સૌથી વધુ શાળા બહાર કિશોરીઓ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 5 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

  • December 13, 2025
  • 5 views
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

  • December 13, 2025
  • 5 views
Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને  મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

  • December 13, 2025
  • 5 views
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

  • December 13, 2025
  • 10 views
PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું  ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ

  • December 13, 2025
  • 8 views
Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ