RAJKOT: તમે ફૂલેકાબાજોને જોયા હશે પણ આવા નહીં, સમૂહલગ્નનું આયોજન કરી ભાગી ગયા, પોલીસે લીધી જવાબદારી

  • Gujarat
  • February 22, 2025
  • 0 Comments
  •  સમૂલગ્નના આયોજકો જ થયા ફરાર
  •  વર-કન્યાના પરિવારોમાં થયો હોબાળો
  • વર-કન્યા રઝડ્યા, અંતે પોલીસે કરાવ્યા લગ્ન
  • સમૂહલગ્નમાં આયોજકોએ પડાવ્યા હતા રુપિયા

 

Rajkot Marriage News: આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે કોઈ રુપિયાનું ફૂલેકું ફેરવીને જતાં રહેતાં હોય છે. કાંતો દેવું થઈ જાય તો ભાગી જતાં લોકોની વાતો સાંભળી છે. પણ રાજકોટમાં તો સમૂલલગ્નનું આયોજન કરી આયોજકો જ ફરાર થઈ ગયા છે. આયોજકો ફરાર થઈ જતાં સમૂહ લગ્નસ્થળે ઉહાપોહ મચી ગયો હતો. વધારે બાબલ થતાં પોલીસને બોલાવી પડી હતી અને પોલીસે સમૂહલગ્નની જવાબદારી ઉપાડવી પડી હતી.

રાજકોટમાં માધાપર ચોકડી નજીક આયોજિત સર્વજ્ઞાતિય સમૂહલગ્નમાં લગ્ન સમયે જ આયોજકો ફરાર થઈ જતાં અને લગ્નસ્થળે કોઈ વ્યવસ્થા જ ન હતી. પરણવા આવેલાં વરવધૂ અને તેમનાં પરિવારજનોમાં ઉહાપોહ થઈ ગયો હતો. રાજકોટ સહિત આસપાસના જિલ્લાઓમાંથી લોકો જાન લઈને જાનૈયાઓ પહોંચી ગયા હતા. જોકે કોઈ જ પ્રકારની વ્યવસ્થા ન હોવાથી  અંતે પોલીસને જાણ કરતાં ઘટના સ્થળે દોડી આવી હતી.

પોલીસે માનવતાવાદી વલણ અપનાવી સમૂહ લગ્ન કરાવ્યા હતા. રાજકોટ પોલીસના ડીસીપી, એસીપી સહિતના સ્ટાફે નવદંપત્તીને આશીર્વાદ આપતા લોકોએ તાળીઓ પાડી રાજકોટ પોલીસ ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. સાથે જ સામાજિક સંસ્થાઓએ પણ મદદ કરી છે.

સમૂહલગ્ન માટે આયોજકો લીધા હતા આટલા રુપિયા

પ્રાપ્ત વિગત મુજબ બધા પરિવારો પાસેથી રૂ. 15થી 40,000 ઊઘરાવી લેવામાં આવ્યા હોવાના અહેવાલ છે. જોકે આજે લગ્નના દિવસે સવારથી પરિવારો લગ્નસ્થળે પહોંચી ગયા હતા. ત્યા આયોકો ફરાર થઈ ગયા હતા. બીજી તરફ આયોજક ચંદ્રેશ છત્રોલાએ તબિયત સારી હોવાનું જાણાવા મળી રહ્યું છે. તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. હાલમાં જ રજા આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

જો કે પોલીસે માનતાવાદી ઉદાહરણ પૂરુ તો પાડ્યું જ છે, પરંતુ હવે આયોજકો સામે પણ કાર્યવાહી હાથ ધરવાની શરુ કરી છે. પોલીસ જવાબદારી સંભાળી છતાં આ સમૂહલગ્નમાં પરિવારોને આયોજકોએ બેદરકારી દાખવતાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

 

 

આ પણ વાંચોઃ Telangana: સુરંગનો એક ભાગ તૂટી પડ્યો, 7 કામદારો ફસાયા, શા માટે બનાઈ રહી છે સુરંગ?

આ પણ વાંચોઃ Rajasthan: મજાક કે હેવાનિયત, મિત્રએ જ મિત્રના પ્રાઈવેટ પાર્ટમાં હવા ભરી દેતાં આંતરડા ફાટ્યા, ક્યા બની ઘટના?

આ પણ વાંચોઃ AMCના ફાયર વિભાગનો અધિકારી લાંચિયો, 65 હજારની લાંચ લેતાં રંગે હાથ પકડાયો

 

Related Posts

મહેશ જીરાવાલા કોણ છે? જે અમદાવાદ વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!
  • June 16, 2025

મહેશ જીરાવાલા, જેને મહેશ કલાવડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક ગુજરાતી ફિલ્મ નિર્માતા અને મ્યુઝિક વિડીયો ડિરેક્ટર છે. તેમણે 2019 ની ગુજરાતી ફિલ્મ ‘કોકટેલ લવર પેગ ઓફ રીવેન્જ’નું…

Continue reading
Banaskantha: લૂંટ વિથ ડબલ મર્ડરની ઘટના, લૂંટારુઓએ ઊંઘમાં જ PI ના માતા-પિતાનું ઢીમ ઢાળી દીધું
  • June 16, 2025

Banaskantha: ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે, સામાન્ય માણસતો સુરક્ષિત નથી જ પરંતુ હવે પોલીસ તેમજ પોલીસ પરિવાર પણ સુરક્ષિત નથી રહ્યો. થોડા સમય પહેલા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

મહેશ જીરાવાલા કોણ છે? જે અમદાવાદ વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!

  • June 16, 2025
  • 0 views
મહેશ જીરાવાલા કોણ છે? જે અમદાવાદ વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!

Banaskantha: લૂંટ વિથ ડબલ મર્ડરની ઘટના, લૂંટારુઓએ ઊંઘમાં જ PI ના માતા-પિતાનું ઢીમ ઢાળી દીધું

  • June 16, 2025
  • 10 views
Banaskantha: લૂંટ વિથ ડબલ મર્ડરની ઘટના, લૂંટારુઓએ ઊંઘમાં જ PI ના માતા-પિતાનું ઢીમ ઢાળી દીધું

Surat Airport: સુરતમાં ગટર પરથી વિમાન ઉડે છે, પછી શું થાય!

  • June 16, 2025
  • 10 views
Surat Airport: સુરતમાં ગટર પરથી વિમાન ઉડે છે, પછી શું થાય!

Iran-israel War: ઈરાન-ઇઝરાયલ યુદ્ધથી ભારતને કયા પડકારોનો સામનો કરવો પડશે?

  • June 16, 2025
  • 5 views
Iran-israel War: ઈરાન-ઇઝરાયલ યુદ્ધથી ભારતને કયા પડકારોનો સામનો કરવો પડશે?

India Census: 2027 માં વસ્તી ગણતરી થશે, જાતિગત વસ્તીગણતરીનો કોઈ ઉલ્લેખ નહીં

  • June 16, 2025
  • 19 views
India Census: 2027 માં વસ્તી ગણતરી થશે, જાતિગત વસ્તીગણતરીનો કોઈ ઉલ્લેખ નહીં

Surat: કુમાર છાત્રાલયની હોસ્ટેલમાં 14 વર્ષીય વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાધો, સુસાઈડ નોટમાં શું લખ્યું?

  • June 16, 2025
  • 8 views
Surat: કુમાર છાત્રાલયની હોસ્ટેલમાં 14 વર્ષીય વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાધો, સુસાઈડ નોટમાં શું લખ્યું?