
- દિલ્હીમાં બીજેપીની જીતને લઈને ઓમાર અબ્દુલ્લાએ કહ્યું- હજું લડો અંદરોદર
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં હાલના વલણમાં આમ આદમી પાર્ટીની હાર નિશ્ચિત મનાઈ રહી છે. ચૂંટણી પંચની વેબસાઈટ પર આપવામાં આવેલા હાલના આંકડા અનુસાર ભાજપ આગળ ચાલી રહી છે. હવે આ ચૂંટણી પરિણામોને લઈને INDIA ગઠબંધનમાં આંતરિક ઝઘડાની શરૂઆત થઇ ગઈ છે.
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આ પરિણામોને લઈને ગુસ્સે ભરાયા છે. તેમણે હારનું કારણ ગઠબંધનના અભાવને જણાવ્યું છે. તેમને એક મીમ શેર કર્યું હતું જેમાં એક સાધુ કહે છે કે, ‘હજુ લડો અંદરોઅંદર, સમાપ્ત કરીદો એકબીજાને.’ આ રીતે તેમણે હારનું ઠીકરું કોંગ્રસ પર ફોડ્યું હતું.
Aur lado aapas mein!!! https://t.co/f3wbM1DYxk pic.twitter.com/8Yu9WK4k0c
— Omar Abdullah (@OmarAbdullah) February 8, 2025
તેમનું માનવું છે કે, ‘ગઠબંધન ન હોવાથી આવું પરિણામ આવ્યું છે. અન્યથા જો એકતા હોત તો ભાજપને પડકાર ફેંકી શકાયો હોત.’ તો બીજી તરફ ઓમર અબ્દુલ્લાની આ ટીપ્પણી પર કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે.
કોંગ્રેસ પ્રવક્તા સુરેન્દ્ર રાજપૂતે કહ્યું હતું કે, ‘અબ્દુલ્લાને જે કહેવું હોત તે કહે, પરંતુ તેમણે એ સમજવું જોઈએ કે, કોંગ્રેસ ચૂંટણી લડવાનું બંધ તો નહી કરે. આ અમારો અધિકાર છે અને લોકશાહીમાં બધા એ ચૂંટણી લડવી જ જોઈએ.’ અહીં તમને જણાવી દઈએ કે, ચૂંટણીના થોડા દિવસો પહેલા આમ આદમી પાર્ટી અને કોગ્રેસ વચ્ચે ગઠબંધનને લઈને ચર્ચા થઇ હતી. પરંતુ તે પરિણામમાં પરિણમી નહી. આખરે બંને અલગ-અલગ ચૂંટણી લડ્યા હતા.
આ પણ વાંચો- દિલ્હી ચૂંટણી 2025: આપ-બીજેપીની હાર-જીતના શું છે કારણો? 1993 પછી 2025માં BJPને મળી સફળતા