
ભારત સહિત વિશ્વમાં કેન્સરની બિમારીએ માથું ઉચક્યું છે. કેન્સર પિડિત મોટા ભાગના લોકો મોતને ભેટે છે. ત્યારે રશિયાએ કેન્સરની સારવાર માટે વેકસીન બનાવી હોવાનો દાવો કર્યો છે. તેણે એવો પણ દાવો કર્યો છે કે ફ્રીમાં આ વેક્સીનનું વિતરણ કરશે.
રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયએ શું કહ્યું?
રશિયન સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે અમે કેન્સર સામે લડવા માટેની એક વેક્સીન બનાવી લીધી છે. જે વર્ષ 2025થી રશિયામાં કેન્સરના દર્દીઓને મફતમાં આપવામાં આવશે. રશિયન મીડિયા અનુસાર રશિયન સ્વાસ્થ્ય મંત્રાલયના રેડિયોલોજી મેડિકલ રિસર્ચ સેન્ટરના જનરલ ડાયરેક્ટર એન્ડ્રે કેપ્રિને રશિયન રેડિયો ચેનલ પર આ વેક્સિન વિશે વિગતવાર માહિતી આપી હતી.
દરેક પ્રકારના કેન્સરના દર્દીઓ માટે વેક્સીનનો ઉપયોગ
મોસ્કોમાં ગામાલેયા નેશનલ રિસર્ચ સેન્ટર ફોર એપિડેમિયોલોજી એન્ડ માઇક્રોબાયોલોજીના ડિરેક્ટર એલેક્ઝાન્ડર ગિન્ટ્સબર્ગે અગાઉ TASSને કહ્યું હતુ કે વેક્સિન ટ્યુમરને વધતા રોકે છે અને કેન્સરને ફેલતું અટકાવી શકે છે. આ વેક્સીનનો ઉપયોગ કેન્સરના દર્દીઓની સારવાર માટે કરવામાં આવશે. આ વેક્સીન કેન્સરને રોકવા માટે સામાન્ય લોકોને આપવામાં આવશે. આ રસી દરેક પ્રકારના કેન્સરના દર્દીને આપી શકાય છે.
2022માં કેન્સરથી 9.16 લાખ દર્દીઓનાં મોત થયા
ભારતમાં 2022માં કેન્સરના 14.13 લાખ નવા કેસ નોંધાયા હતા. જેમાંથી 7.22 લાખ મહિલાઓમાં જ્યારે 6.91 લાખ પુરુષોમાં કેન્સર જોવા મળ્યું હતું. 2022માં કેન્સરથી 9.16 લાખ દર્દીઓનાં મોત થયા હતા.