
Savarkundla APMC Director Suicide: સાવરકુંડલાની APMCના ડિરેક્ટર અંકુર રામાણીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. તેમના મૃતદેહ નજીકથી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સાવરકુંડલાના પિયાવા ગામે આપઘાત કર્યો
મળતી જાણકારી અનુસાર અમરેલીની સાવરકુંડલા APMCના 32 વર્ષિય ડિરેક્ટર અંકુર રામાણીએ પોતાના ઘરે વહેલી સવારે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતાં ચકચાર મચી ગયો છે. સાવરકુંડલાના પિયાવા ગામે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. સાવરકુંડલાના વંડા ગામે સરકારી દવાખાનામાં અંકુર રામાણીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાયું છે.
આવતીકાલે APMCનું કામ બંધ રહેશે
મૃતક અંકુર રામાણીને પત્ની રિસાઈને પિયરમાં જતી રહી હોવાથી ડિરેક્ટર ચિંતામાં રહેતાં હોવાનું પ્રાથમિક માહિતી છે. જોકે આપઘાત પાછળનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. આપઘાત પરિવારમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે. મૃતક અંકુરને ચાર બહેનો અને પોતે એક જ ભાઈ હોવાની માહિતી મળી છે. આ ઘટના બાદ સાવરકુંડલા એપીએમસી દ્વારા આવતીકાલે APMCનું કામ બંધ રહેશે તેવી જાહેરાત કરાઈ છે.
આ પણ વાંચોઃ
પાકિસ્તાનના PM શાહબાઝ શરીફ હોસ્પિટલમાં દાખલ, ગૃપ્ત લેટરમાં શું થયો ખુલાસો? | Shahbaz Sharif
Rajkot: 3 શખ્સોએ યુવાને ગળે ટૂંપો દઈ છરીના ઘા ઝીંક્યા
Ahmedabad માં સૌથી મોટું દબાણ હટાવવાનું કામ ચાલુ, મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો
Pahalgam Attack: પહેલગામ હુમલાનો સૌથી ખતરનાક વિડિયો સામે આવ્યો
આટલાં વર્ષોથી ગુજરાત પોલીસ ઘુષણખોરોને કેમ પકડતી નહોતી? આદેશ નહોતો, કે ઈચ્છા નહોતી?