દિલ્હી વિધાનસભા ચૂંટણી વચ્ચે ગંભીર આરોપ; દિલ્હીમાં કોંગ્રેસ કરી રહી છે ભાજપની મદદ

  • India
  • December 26, 2024
  • 1 Comments

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે તણાવ વધી ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે આમ આદમી પાર્ટી (AAP) કોંગ્રેસને ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર કરવા માંગે છે. આ માટે તે અન્ય પક્ષો સાથે વાત કરશે. દિલ્હીના મુખ્યમંત્રી આતિશી અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય સિંહે આજે પત્રકાર પરિષદ કરીને કોંગ્રેસને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. જો કોંગ્રેસ અજય માકન સામે કાર્યવાહી નહીં કરે તો AAP નેતાઓ I.N.D.I.A.ના અન્ય નેતાઓ સાથે વાત કરીને કોંગ્રેસને ગઠબંધનથી બાકાત કરવાની અપીલ કરશે.

AAP નેતાઓમાં કોંગ્રેસને લઈને ભારે નારાજગી છે. જેના કારણે AAP કોંગ્રેસને ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર કરવા માટે અન્ય પક્ષો સાથે વાત કરશે. AAPનો આરોપ છે કે કોંગ્રેસ ભાજપ સાથે મળીને કામ કરી રહી છે. AAP નેતાઓ કોંગ્રેસ નેતાઓના સતત નિવેદનોથી નારાજ છે. તેમજ બુધવારે જ દિલ્હી યુથ કોંગ્રેસે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ FIR દાખલ કરી હતી. જેના કારણે AAP નેતાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આટલું જ નહીં કોંગ્રેસ નેતા અજય માકને કેજરીવાલ વિરુદ્ધ આપેલા નિવેદનથી પણ AAP નેતાઓમાં ભારે નારાજગી છે.

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સાંઠગાંઠ

દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ કહ્યું છે, કે ‘કોંગ્રેસ નેતાઓના નિવેદનથી સાફ દેખાઈ રહ્યું છે કે કોંગ્રેસે હવે ભાજપ સાથે જ સાંઠગાંઠ કરી લીધી છે. કોંગ્રેસ નેતા અજય માકને કેજરીવાલ માટે એન્ટિ નેશનલ શબ્દપ્રયોગ કર્યો. શું કોંગ્રેસે ભાજપ સાથે ક્યારેય આવા શબ્દો કહ્યા છે?’

સંજય સિંહે પણ કહ્યું છે, કે ‘દિલ્હીની અંદર કોંગ્રેસ ભાજપના પક્ષમાં ઊભી થઈ ગઈ છે. કોંગ્રેસ દરેક એવા કામ કરી રહી છે જેનાથી ભાજપને જ ફાયદો થાય. કોંગ્રેસ નેતા અજય માકન તો ભાજપની જ સ્ક્રિપ્ટ વાંચી રહ્યા છે. ભાજપના કહેવાય પર કોંગ્રેસ નેતાઓ AAP પર નિશાન સાધી રહ્યા છે.’

દિલ્હી યુથ કોંગ્રેસના અધ્યક્ષ અક્ષય લાકરાએ 25 ડિસેમ્બરની સાંજે સંસદ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. લાકરાએ આરોપ લગાવ્યો હતો કે AAPએ તેની યોજનાઓ દ્વારા લોકોને ગેરમાર્ગે દોર્યા છે અને છેતર્યા છે. તેમજ AAPની યોજનાઓની પ્રામાણિકતા પર પણ સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસે આ મુદ્દાને લઈને કેજરીવાલ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Related Posts

India Census: 2027 માં વસ્તી ગણતરી થશે, જાતિગત વસ્તીગણતરીનો કોઈ ઉલ્લેખ નહીં
  • June 16, 2025

India Census 2027: ભારત સરકારે જાહેરાત કરી છે કે દેશની આગામી વસ્તી ગણતરી(India Census) વર્ષ 2027 માં હાથ ધરવામાં આવશે. આ માટે ગૃહ મંત્રાલય દ્વારા એક સૂચના બહાર પાડવામાં આવી…

Continue reading
New Delhi: લીગલ રાઈટ્સ કાઉન્સિલ ઈન્ડિયાની ઐતિહાસિક બેઠક: મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન, નવા નેતૃત્વની પસંદગી
  • June 16, 2025

New Delhi: નવી દિલ્હીના કોન્સ્ટિટ્યુશનલ ક્લબ ખાતે લીગલ રાઈટ્સ કાઉન્સિલ ઈન્ડિયાની રાષ્ટ્રીય અને રાજ્ય કાર્યકારિણીની બેઠક અત્યંત સફળતાપૂર્વક સંપન્ન થઈ. આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્યામ જાજુ…

Continue reading

One thought on “દિલ્હી વિધાનસભા ચૂંટણી વચ્ચે ગંભીર આરોપ; દિલ્હીમાં કોંગ્રેસ કરી રહી છે ભાજપની મદદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

  • June 16, 2025
  • 8 views
Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

Mahesh Jirawala missing: મહેશ જીરાવાલા કોણ છે? જે વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!

  • June 16, 2025
  • 4 views
Mahesh Jirawala missing: મહેશ જીરાવાલા કોણ છે? જે  વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!

Banaskantha: લૂંટ વિથ ડબલ મર્ડરની ઘટના, લૂંટારુઓએ ઊંઘમાં જ PI ના માતા-પિતાનું ઢીમ ઢાળી દીધું

  • June 16, 2025
  • 12 views
Banaskantha: લૂંટ વિથ ડબલ મર્ડરની ઘટના, લૂંટારુઓએ ઊંઘમાં જ PI ના માતા-પિતાનું ઢીમ ઢાળી દીધું

Surat Airport: સુરતમાં ગટર પરથી વિમાન ઉડે છે, પછી શું થાય!

  • June 16, 2025
  • 18 views
Surat Airport: સુરતમાં ગટર પરથી વિમાન ઉડે છે, પછી શું થાય!

Iran-israel War: ઈરાન-ઇઝરાયલ યુદ્ધથી ભારતને કયા પડકારોનો સામનો કરવો પડશે?

  • June 16, 2025
  • 6 views
Iran-israel War: ઈરાન-ઇઝરાયલ યુદ્ધથી ભારતને કયા પડકારોનો સામનો કરવો પડશે?

India Census: 2027 માં વસ્તી ગણતરી થશે, જાતિગત વસ્તીગણતરીનો કોઈ ઉલ્લેખ નહીં

  • June 16, 2025
  • 26 views
India Census: 2027 માં વસ્તી ગણતરી થશે, જાતિગત વસ્તીગણતરીનો કોઈ ઉલ્લેખ નહીં