1400 લોકોના મોત પાછળ શેખ હસીના જવાબદાર : સંયુક્ત રાષ્ટ્ર

  • World
  • February 12, 2025
  • 0 Comments
  • 1400 લોકોના મોત પાછળ શેખ હસીના જવાબદાર : સંયુક્ત રાષ્ટ્ર

સંયુક્ત રાષ્ટ્ર (UN)એ બાંગ્લાદેશમાં થયેલી હિંસા-પ્રદર્શન મામલે પૂર્વ વડાપ્રધાન શેખ હસીના વિરુદ્ધ મોટો નિર્ણય લીધો છે. સંયુક્ત રાષ્ટ્રએ હિંસા મુદ્દે શેખ હસીનાને જવાબદાર ઠેરવ્યા છે. આ દરમિયાન UNએ કહ્યું છે કે, ‘બાંગ્લાદેશની પૂર્વ સરકારે સત્તા જાળવવા માટે ગત વર્ષે દેખાવકારો પર આયોજનબદ્ધ હુમલા અને હત્યા કરાવી હતી, જે માનવતા વિરુદ્ધનો ગુનો હોઈ શકે છે.

સંયુક્ત રાષ્ટ્રએ તપાસ કરેલો રિપોર્ટ માનવાધિકાર કાર્યાલયમાં સોંપેલો છે, જેમાં કહેવાયું છે કે, વડાપ્રધાન શેખ હસીનાની સરકારે દેખાવો પર દમન કર્યું છે. આ દરમિયાન ખોટી રીતે અનેક હત્યાઓ થઈ છે.

હત્યાઓ પાછળ શેખ હસીનાની સરકાર, તેમની પાર્ટી, સુરક્ષા-ગુપ્તચર એજન્સીનો હાથ

સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર કાર્યાલયે બાંગ્લાદેશમાં પહેલી જુલાઈથી 15 ઓગસ્ટ-2024 વચ્ચે થયેલી હિંસાની ઘટનાઓની તપાસ કરી હતી, જેમાં સામે આવ્યું છે કે, પૂર્વ સરકાર દ્વારા હત્યા, ત્રાસ, કેદ અને અન્ય અમાનવીય કૃત્યો કરવામાં આવ્યા છે, જેમાં શેખ હસીનાની સરકાર, તેમની આવામી લીગ પાર્ટીના હિંસક તત્વો અને બાંગ્લદેશી સુરક્ષા તેમજ ગુપ્તચર એજન્સીઓનો હાથ હતો.

આ પણ વાંચો- બનાસકાંઠા: દાંતીવાડા નજીક ભયંકર અકસ્માત; બે આશાસ્પદ પિતરાઇ ભાઇઓના મોત

1400 લોકોના મોત

યુએનના રિપોર્ટમાં કહેવાયું છે કે, બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામત વિરુદ્ધ દેખાવો થયા હતા. ત્યારબાદ શેખ હસીનાના રાજીનામાની માંગ થઈ હતી. રિપોર્ટમાં અંદાજો લગાવાયો છે કે, લગભગ 1400 લોકોના મોત અને હજારો લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમાં એમ પણ કહેવાયું છે કે, બાંગ્લાદેશમાં સુરક્ષા દળોની ફાયરિંગના કારણે મોટોભાગના લોકોના મોત થયા છે, જેમાં બાળકો પણ સામેલ છે. મૃતકોમાં 12થી 13 ટકા બાળકો હતા.

મહિલાઓ અને બાળકો પર હિંસા-અત્યાચાર

રિપોર્ટમાં આક્ષેપ કરાયો છે કે, સુરક્ષા દળોએ શેખ હસીના સરકારનું સમર્થન કર્યું હતું અને દેખાવોને દબાવવા માટે હિંસક રસ્તો અપનાવ્યો હતો, જેમાં મહિલાઓ વિરુદ્ધ યૌન હિંસા અને બાળકો પર અત્યાચાર સામેલ છે. પોલીસ અને અન્ય સુરક્ષા દળોએ બાળકોને માર માર્યો અને તેમની અમાનવીય પરિસ્થિતિમાં ધરપકડ કરી ત્રાસ ગુજાર્યો હતો.

હજારો વ્યક્તિઓની હત્યા, ધરપકડ અને યાતનાઓ

સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર પ્રમુખ વોલ્કર ટર્કે કહ્યું કે, ‘જન વિરોધનો સામનો કરી રહેલી પૂર્વ સરકારે સત્તા જાળવવા માટે સુઆયોજિત અને સંકલિત ષડયંત્ર કરી બર્બરતા અપનાવી હિંસાત્મક વલણ અપનાવ્યું હતું. આ સમયગાળા દરમિયાન રાજકીય નેતૃત્વ અને વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓની જાણમાં હજારો વ્યક્તિઓની હત્યા, ધરપકડ અને યાતનાઓ કરવામાં આવી હતી.

આ પણ વાંચો- UPની વસ્તી કરતાં ડબલ લોકોએ મહાકુંભમાં લગાવી ડૂબકી; CM યોગીએ આપી જાણકારી

Related Posts

Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ
  • April 29, 2025

Power outage: યુરોપના ઘણા દેશોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. જેમાં મુખ્યત્વે ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલ જેવા દેશોનો સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર, સ્પેન અને પોર્ટુગલમાં સોમવારે મોટા પાયે વીજળી…

Continue reading
પાકિસ્તાનના PM શાહબાઝ શરીફ હોસ્પિટલમાં દાખલ, ગૃપ્ત લેટરમાં શું થયો ખુલાસો? | Shahbaz Sharif
  • April 29, 2025

Pakistan PM Shahbaz Sharif hospital admitted: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક વલણ અપનાવ્યું છે. ભારતમાં રહેતા પાકિસ્તાનીઓને દેશ છોડી દેવા કહ્યું છે. આ દરમિયાન  સમાચાર આવી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

સીમા હૈદર પાકિસ્તાનનો કચરો, પાછી મોકલવી જોઈએ, મિથિલેશ ભાટી ગુસ્સે ભરાઈ

  • April 30, 2025
  • 12 views
સીમા હૈદર પાકિસ્તાનનો કચરો, પાછી મોકલવી જોઈએ, મિથિલેશ ભાટી ગુસ્સે ભરાઈ

Junagadh: અમદાવાદની જેમ જૂનાગઢમાં મોટું દબાણ હટાવવાનું કામ, આ બેઘરોને છત કોણ આપશે?

  • April 30, 2025
  • 16 views
Junagadh: અમદાવાદની જેમ જૂનાગઢમાં મોટું દબાણ હટાવવાનું કામ, આ બેઘરોને છત કોણ આપશે?

Char Dham Yatra: ગંગોત્રી-યમુનોત્રીના દ્વાર ખૂલ્યા, CMએ પહેલી પૂજા મોદીના નામે કરી

  • April 30, 2025
  • 15 views
Char Dham Yatra: ગંગોત્રી-યમુનોત્રીના દ્વાર ખૂલ્યા, CMએ પહેલી પૂજા મોદીના નામે કરી

Ahmedabad: 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!  

  • April 30, 2025
  • 32 views
Ahmedabad: 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!  

Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું

  • April 30, 2025
  • 34 views
Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું

નેશનલ ચેનલ 4PM બંધ કરી, બે મહિલાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ, મોદી સીધા સેનાને છૂટ આપી શકે?

  • April 30, 2025
  • 34 views
નેશનલ ચેનલ 4PM બંધ કરી, બે મહિલાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ, મોદી સીધા સેનાને છૂટ આપી શકે?