MP News: “હજુ એક તગારું લાય ફોટો સારો નથી આવ્યો” ફોટો માટે પોઝ આપવો ભારે પડ્યો!

  • India
  • July 16, 2025
  • 0 Comments

MP News: સોશિયલ મીડિયાની દુનિયામાં, લોકો ઘણીવાર સેલ્ફી અને ફોટોશૂટના શોખને કારણે ખતરનાક અકસ્માતોનો ભોગ બને છે. હવે મધ્યપ્રદેશના સિઓની જિલ્લામાં પણ આવી જ એક દુર્ઘટના બની છે, જેમાં જિલ્લાના જાણીતા ડૉક્ટર અને સામાજિક કાર્યકર ડૉ. પ્રફુલ્લ શ્રીવાસ્તવ ફોટો પડાવતી વખતે ખાડામાં પડી ગયા. તેમનો અકસ્માત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે આ મામલો હવે ચર્ચાનો વિષય બની ગયો છે.

શું બન્યો હતો ઘટનાક્રમ?

સિઓની જિલ્લાના ગણેશ ચોકના ડૉ. પ્રફુલ્લ શ્રીવાસ્તવ પણ આ વિસ્તારમાં એક સામાજિક કાર્યકર તરીકે જાણીતા છે. તેઓ શહેરના મંદિરમાં પોતાની સેવાઓ આપી રહ્યા હતા અને પૂજા કરી રહ્યા હતા. આ સમય દરમિયાન, તેમના સાથીઓએ તેમનું ફોટો સેશન શરૂ કર્યું. આ તકનો લાભ લેવા માટે ડૉક્ટર સાહેબ પણ ફોટા પાડવા આવી પહોંચ્યા હતા અને જ્યારે ડૉક્ટર સાહેબ તગારું (મંદિરના બાંધકામમાં વપરાતું વાસણ) સાથે ખાડામાં સામગ્રી નાખી રહ્યા હતા અને તે જ સમયે તેમણે કહ્યું, ” વધુ એક તગારું લાવો ફોટો સારો નથી આવ્યો!” પછી અચાનક , તે તગારા સાથે 6 ફૂટ ઊંડા ખાડામાં પડી ગયા. આ બધું કેમેરામાં કેદ થઈ ગયું અને થોડી જ વારમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો

ડોક્ટરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ડોક્ટર પ્રફુલ શ્રીવાસ્તવ તગારું ફેંકતા જ પોતાનું સંતુલન ગુમાવી દે છે અને સીધા ખાડામાં પડી જાય છે. નજીકમાં ઉભેલા લોકો તરત જ તેમને મદદ કરવા દોડી જાય છે. વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર આ અકસ્માત અંગે વિવિધ રમુજી ટિપ્પણીઓ અને પ્રતિક્રિયાઓ આવી રહી છે.

પબ્લિસિટીના ચક્કરમાં ઈજ્જતના ધજાગરા

મધ્યપ્રદેશના સિઓની જિલ્લાના એક સામાજિક કાર્યકર એક મંદિર માટે શ્રમદાન કરી રહ્યા હતા. તેઓએ એક ફોટો લીધા પછી, ફોટો સારો ન આવ્યો જેથી તેથી કેમેરામેને ફરીથી લેવાનું કહ્યું. આ દરમિયાન અચાનક ઈંટ ખસી જાય છે અને આ સામાજીક કાર્યકર ખાડામાં પડી જાય છે. આમ તેમને સારો ફોટો ખેચાવવો ભારે પડ્યો જો કે, ફોટો સારો ભલે ન આવ્યો હોય પરંતુ આ સમાજીક કાર્યકર ખાડામાં પડતા સોશિયલ મીડિયામાં છવાઈ ગયા છે અત્યારે તેમની આ રીલ ખુબ વાયરલ થઈ રહી છે જેમાં લોકો તેમની મજા લઈ રહ્યા છે.

ડૉ. પ્રફુલ્લ શ્રીવાસ્તવે શું કહ્યું ?

આ વીડિયો અંગે ડૉ. પ્રફુલ્લ શ્રીવાસ્તવે કહ્યું, “ફોટો લેતી વખતે આ અકસ્માત થયો હતો, જેમાં મને સામાન્ય ઈજાઓ થઈ હતી. જોકે, સોશિયલ મીડિયા પર આ વીડિયો વિશે ઘણી અફવાઓ અને વિવિધ પ્રકારની વાતો ચાલી રહી છે. પરંતુ વાસ્તવમાં હું ઠીક છું.”

આ પણ વાંચો:  
 
 
 
 
 
 
  • Related Posts

    Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ
    • October 29, 2025

    Gold Ban: આપણા દેશમાં સોનુ પ્રાચીન કાળથી સંસ્કૃતિ અને સમાજ સાથે વણાયેલું હતું. દીકરીના લગ્ન હોયકે કોઈ ધાર્મિક પ્રસંગ સોનુ આપવાની પ્રથા પ્રાચીન કાળથી ચાલી આવતી હતી ત્યારે સોનાના ભાવો…

    Continue reading
    Cyclone Montha Hits Andhra Coast: ચક્રવાત મોન્થા 110ની સ્પીડે આંધ્રના દરિયાકિનારે લેન્ડફોલ થયું!અનેક વૃક્ષો ધરાશાયી,ત્રણના મોત
    • October 29, 2025

    Cyclone Montha Hits Andhra Coast :  ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, ચક્રવાત મોન્થા બુધવારે (29 ઓક્ટોબર) સવારે આંધ્રપ્રદેશના દરિયાકાંઠેથી પસાર થયું હતું. IMD એ જણાવ્યું હતું કે ચક્રવાત પસાર…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

    • October 29, 2025
    • 7 views
    Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

    Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

    • October 29, 2025
    • 12 views
    Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

    Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

    • October 29, 2025
    • 9 views
    Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

    Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

    • October 29, 2025
    • 24 views
    Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

    ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે ફરી કહ્યું, ‘હા મેં જ મોદીને ફોન કરી પાકિસ્તાન સામેનું યુદ્ધ અટકાવ્યું હતું!’, BJP ટ્રમ્પથી પરેશાન! | Donald Trump

    • October 29, 2025
    • 13 views
    ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે ફરી કહ્યું, ‘હા મેં જ મોદીને ફોન કરી પાકિસ્તાન સામેનું યુદ્ધ અટકાવ્યું હતું!’, BJP ટ્રમ્પથી પરેશાન! | Donald Trump

    કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh

    • October 29, 2025
    • 17 views
    કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh