Sonam Raghuvanshi અને તેના પ્રેમી રાજની ચેટ સામે આવી, જાણો કેવી રીતે ઘડાયું હતું હત્યાનું કાવતરું

  • India
  • June 10, 2025
  • 0 Comments

Sonam Raghuvanshi: મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં રહેતા ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશીના હત્યા કેસની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ આ કેસમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આ દરમિયાન, એક નવો ખુલાસો થયો છે કે સોનમે રાજા સાથે લગ્ન કર્યાના ત્રણ દિવસ પછી જ તેની હત્યા કરવાની યોજના બનાવી હતી. સોનમ અને રાજ કુશવાહ વચ્ચેની ફોન ચેટમાંથી આ નવો ખુલાસો થયો છે. રાજ કુશવાહના પ્રેમમાં પાગલ સોનમને લગ્ન પછી તેના પતિ રાજા રઘુવંશી તેની નજીક આવે તે ગમતું નહોતું. તેણે પોતે રાજને ચેટ પર આ વાત કહી છે.

સોનમ અને રાજની વાતચીત હત્યાના કાવતરાનો પર્દાફાશ

સોનમ રઘુવંશી અને રાજ કુશવાહા વચ્ચેની ચેટમાં ચોંકાવનારી વાતો સામે આવી છે. રાજ સાથેની ચેટમાં સોનમે લખ્યું હતું કે તેનો પતિ રાજા તેની નજીક આવી રહ્યો છે જે તેને બિલકુલ પસંદ નથી. સોનમ લગ્ન પહેલા પણ રાજાથી અંતર જાળવી રહી હતી. પરંતુ, એવા સંજોગો ઉભા થતા રહ્યા જેના કારણે સોનમ અને રાજા લગ્નના બંધનમાં બંધાઈ ગયા. ચેટ મુજબ, લગ્નના ત્રીજા દિવસે સોનમે રાજ કુશવાહાને રાજાની હત્યા કરવાની વાત કરી હતી.

રાજ કુશવાહા સાથેની ચેટમાં સોનમે શું લખ્યું?

આ દરમિયાન, સોનમ અને રાજ વચ્ચેની કથિત ચેટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ચેટ મુજબ, સોનમે લગ્નના ત્રીજા દિવસે રાજને એક ગુપ્ત સંદેશ મોકલ્યો હતો. તે ચેટમાં તેણે લખ્યું હતું કે તેનો પતિ રાજા તેની નજીક આવી રહ્યો છે. તે તેને સ્પર્શ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેને તે નજીક આવે તે ગમતું નથી. આ પછી જ રાજ અને સોનમે મળીને રાજાને મારવાનો પ્લાન બનાવે છે. આખી હનીમૂન ટ્રીપ ખરેખર એક સુનિયોજિત યોજનાનો ભાગ હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ ચેટએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

સોનમ અને રાજાના 11 મેના રોજ ઇન્દોરમાં થયા હતા લગ્ન

સોનમ અને રાજાના લગ્ન 11 મેના રોજ ઇન્દોરમાં થયા હતા. બંને 20 મેના રોજ હનીમૂન માટે મેઘાલય ગયા હતા, પરંતુ 23 મેના રોજ અચાનક બંને ગુમ થઈ ગયા.

રાજા રઘુવંશીનો  2 જૂનના રોજ મળ્યો હતો મૃતદેહ 

આ પછી, 2 જૂનના રોજ, મેઘાલયના પૂર્વ ખાસી હિલ્સ જિલ્લાના સોહરા વિસ્તારમાં રાજા રઘુવંશીનો મૃતદેહ એક ઊંડા ખાડામાંથી મળી આવ્યો હતો. મૃતદેહની નજીક એક ઝરણું હતું, અને પોસ્ટમોર્ટમમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું હતું કે રાજાની હત્યા તીક્ષ્ણ હથિયારથી કરવામાં આવી હતી.

સોનમ ગાઝીપુર કઈ રીતે પહોંચી ?

સોનમ કયા રસ્તે ગાઝીપુર પહોંચી તે હજુ પણ પોલીસ માટે રહસ્ય છે. તે ચૌબેપુરના કૈથી ખાતે ટોલ પ્લાઝા પાસેના એક ઢાબા પર મળી આવી હતી. આ ટોલ પ્લાઝા વારાણસી-ગાઝીપુર મુખ્ય માર્ગ પર આવે છે અને અહીં સીસીટીવી કેમેરા લગાવેલા છે.

 પોલીસે સીસીટીવીના આધારે શરુ કરી તપાસ 

પોલીસ હવે આ કેમેરાના ફૂટેજની તપાસ કરી રહી છે જેથી જાણી શકાય કે સોનમ કયા વાહનમાં આવી હતી અને કોણે તેને ત્યાં છોડી દીધી હતી. ગાઝીપુર શહેર અને તેની બહારના વિસ્તારોમાં પણ સીસીટીવી તપાસ ચાલી રહી છે. મેઘાલય પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસ હવે સંપૂર્ણપણે હત્યાના પૂર્વ-આયોજિત કાવતરા તરફ ઈશારો કરી રહ્યો છે.

આ પણ વાંચો:

Bharuch: ગામ પાસે ઉદ્યોગોનો ખર્બો રૂપિયાનો વિકાસ છતા ગામમાં પાણી નહીં, ગ્રામજનો લડી લેવાના મૂડમાં

Raghuvanshi murder case: રાજ કુશવાહાની માતા અને બહેન આવ્યા મીડિયાની સામે, જાણો તેમણે શું કહ્યું

Rajkot માં કોરોનાથી પ્રથમ મૃત્યુ: 55 વર્ષીય પુરુષે જીવ ગુમાવ્યો, રહો સાવચેત!

Raja Raghuvanshi Murder Case માં અત્યાર સુધીમાં શું થયું ? જાણો અપડેટ

US Plane Crash: અમેરિકામાં 20 મુસાફરોને લઈ જતું વિમાન ક્રેશ

Sukma IED Blast: છત્તીસગઢના સુકમામાં નક્સલીઓએ કર્યો IED બ્લાસ્ટ, ASP શહીદ , સૈનિકો ઘાયલ

Maharashtra Train Accident: થાણેમાં ખીચોખીચ ભરેલી ટ્રેનમાંથી 10 મુસાફરો પટકાયા, પાંચના મોત

Honeymoon Couple: સિક્કિમમાં હનીમૂન પર ગયેલું નવદંપતી ગુમ, પરિવારે સરકારને કરી અપીલ

Kheda: નડિયાદના ઉત્તરસંડામાં બાઈક સાથે 18 વર્ષિય યુવકને દફનાવ્યો, જાણો કારણ!

વિસાવદર પેટાચૂંટણીમાં ગરમાગરમી, ભાજપા દ્વારા AAP ના ઉમેદવાર ગોપાલ પર હુમલાનો આક્ષેપ

Related Posts

India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી
  • June 16, 2025

India Census: કેન્દ્ર સરકારે ભારતની વસ્તીગણતરી કરવાની તારીખો જાહેર કરી દીધી છે. જોકે સરકારે પહેલા કહ્યું હતુ કે જાતિગત વસ્તી ગણતરી થશે. જો કે આજે બહાર પાડેલા જાહેરનામામાં જાતિગત વસ્તી…

Continue reading
India Census: 2027 માં વસ્તી ગણતરી થશે, જાતિગત વસ્તીગણતરીનો કોઈ ઉલ્લેખ નહીં
  • June 16, 2025

India Census 2027: ભારત સરકારે જાહેરાત કરી છે કે દેશની આગામી વસ્તી ગણતરી(India Census) વર્ષ 2027 માં હાથ ધરવામાં આવશે. આ માટે ગૃહ મંત્રાલય દ્વારા એક સૂચના બહાર પાડવામાં આવી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

  • June 16, 2025
  • 3 views
India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

  • June 16, 2025
  • 7 views
Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

  • June 16, 2025
  • 8 views
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

  • June 16, 2025
  • 11 views
Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

  • June 16, 2025
  • 12 views
Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

Mahesh Jirawala missing: મહેશ જીરાવાલા કોણ છે? જે વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!

  • June 16, 2025
  • 15 views
Mahesh Jirawala missing: મહેશ જીરાવાલા કોણ છે? જે  વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!