Surat Fire: સુરતના વેપારીઓને મદદ કરવા કિશોર કનાણીએ CMને પત્ર લખ્યો

  • Gujarat
  • February 28, 2025
  • 0 Comments

 Surat Fire 2025: સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં 25 ફેબ્રુઆરીથી લાગેલી આગ 27 ફેબ્રુાઆરી બપોર સુધી કાબૂમાં લેવામાં આવી હતી. બે દિવસ સુધી લાગતી રહેલી આગમાં વેપારીઓને કોરોડનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ આગ પર કાબુ લેવા માટે 40થી વધુ ફાયર ફાઇટર્સે 40 લાખ લિટર સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

ત્યારે આજે આગ કાબૂમાં આવ્યા બાદ વેપારીઓ માર્કેટમાં પહોંચ્યા છે. જ્યા જઈને પોતાની દુકાનોની સ્થિત જોઈ રહ્યા છે. જોકે બે દિવસ સુધી ભભૂકતી રહેલી આગમાં બધુ જ બળીને રાખ થઈ ગયું છે. ત્યારે હવે આ વેપારીઓને સાથે સુરત વરાછા રોડ વિસ્તારના ધારાસભ્ય કિશોર કનાણી આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી વેપારીઓને મદદ કરવા માગ કરી છે.

ધારાસભ્ય કિશોર કનાણીએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે જ દુઃખદ વેદનાથી જણાવવાનું કે, સુરતની શિવશક્તિ ટેક્ષટાઇલ માર્કેટમાં 25મી ફેબ્રુઆરીનાં રોજ સવારે 7 વાગ્યાની આસપાસ આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આ આગે એક વિકરાળ સ્વરૂપ ધારણ કરી દીધું હતું. જે આગ લાગ્યથી 32 ક્લાકે માંડમાંડ કાબૂમાં આવી છે.

800 દુકાનોને ભારે નુકસાન

જેમાં શહેરભરમાંથી 40 લાખ લિટરથી વધુ પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો અને 40 થી વધુ ગાડીઓ દ્વારા 150 જેટલા ફાયર ફાઇટરો સતત પાણીનો મારો કરવામાં આવ્યો છે. આગને કારણે 800 જેટલી દુકાનો ભીષણ આગની ચપેટમાં આવી ગઈ છે. જેમાંથી 450 દુકાનો સંપૂર્ણ બળી ગઈ છે. ધુમાડામાં ગુંગળામણનાં કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

વેપારીઓને વેદનાયમ રીતે રડતાં જાયા: ધારાસભ્ય

કિશોર કનાણીએ પત્રમાં વેપારીઓની વેદનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે આ દુકાનોનાં 800 જેટલા પરિવારો પણ અચાનક આભ તૂટી પડ્યું છે. અસરગ્રસ્ત વેપારીઓને ખુબ જ દુ:ખી અને વેદનામય રીતે રડતા જોયા છે. કેટલાક વેપારીઓની જિંદગીભરની કમાણી આગમાં ખાખ થઇ રોડ ઉપર આવી જવાય તેવી પરિસ્થિતી નિર્માણ થઈ છે. દિવસ-રાત્ર ચાલેલ આ ભયાવહ આગમાં નાના-મોટા વેપારીઓને કરોડો રૂપિયાનું નુક્શાન થયું છે. તે વેપારીઓ માનસિક તેમજ આર્થિક રીતે તૂટી ગયા છે. હજારો લોકોને રોજીરોટી આપતી આ સુરતની શિવશક્તિ ટેક્ષટાઇલ માર્કેટનાં વેપારીઓની રોજીરોટી છીનવાઇ ગઇ છે.

વેપારીઓને સરકાર પાસે મદદની અપેક્ષા

જેમ નાનું બાળક મુશ્કેલીમાં પ્રથમ માતા-પિતાને યાદ કરે તેમ આ અસરગ્રસ્ત વેપારીઓને સરકાર પાસે મદદની અપેક્ષા રાખી બેઠા છે. તેઓ ફરીથી વેપાર ધંધામાં ઉભા થાય અને શહેરની પ્રગતિમાં હિસ્સો બને તે માટે તેઓને પગભર કરવા આપણી સરકાર કટિબદ્ધ રહે તેવી અપેક્ષાએ સાથે સરકાર દ્વારા મદદ કરવામાં આવે તેવી મારી વિનંતી છે.

 

 

આ પણ વાંચોઃ Surat Fire: અગ્નિકાંડે વેપારીઓને રડાવ્યા, જોયેલા સપ્નાઓ ચકનાચૂર, જુઓ શુ થઈ છે સ્થિતિ?

આ પણ વાંચોઃ Ambaji: અંબાજીમાં રોપ વે 6 દિવસ બંધ, પગથિયા ચઢીને જવું પડશે

આ પણ વાંચોઃ DWARKA: શિવલિંગ ચોરો ઝડપાયા, યુવતીને સ્વપ્ન આવતાં 7 શખ્સો શિવલિંગને હિંમતનગર ઉઠાવી ગયા!

આ પણ વાંચોઃ Gujarat bicycle scam: રાજસ્થાનમાં 3857માં મળતી સાયકલ ગુજરાતમાં રુ. 4444માં, હજુ વિદ્યાર્થિનીઓને નથી મળી સાયકલ

 

 

Related Posts

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?
  • June 16, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદના મેઘાણીનગર ખાતે 12 જૂનના રોજ થયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસે ઝડપી અને આયોજનબદ્ધ બચાવ કામગીરી હાથ ધરી હતી. ચીફ ફાયર ઓફિસર અમિત…

Continue reading
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ
  • June 16, 2025

Bhavnagar: ગુજરાતમાં હાલ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ જોવા મળી રહી છે. ત્યારે આજે ભાવનગરમાં પણ વરસાદે ભુક્કા બોલાવ્યા છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

  • June 16, 2025
  • 9 views
Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

  • June 16, 2025
  • 15 views
India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

  • June 16, 2025
  • 12 views
Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

  • June 16, 2025
  • 11 views
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

  • June 16, 2025
  • 26 views
Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

  • June 16, 2025
  • 20 views
Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી