
Surat Poisonous Water: સુરતમાં ઝેરી પાણી પીધા બાદ ગંભીર અસર થઈ છે. કાપોદ્રા વિસ્તારના મિલેનિયમ બિલ્ડીંગમાં આવેલી અનભ જેમ્સ નામની કંપનીના શ્રમિકોને અસર થઈ છે. પાણી પીધા બાદ 70 જેટલા રત્નકલાકારોનું સ્વાસ્થ્ય બગડતાં તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા છે.
વોટર ફિલ્ટર પ્લાટની ટાંકીમાં દવા ભેળવી હોવાનું અનુમાન છે. અનાજની દવા વોટર ફિલ્ટર પ્લાટમાં નાખી હોવાનું પ્રાથિક તારણ છે. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. અસરગ્રસ્તોની સંખ્યા 70 સુધી પહોંચી છે. તમામની હાલત સ્થિર છે.
જાણવા મળી રહ્યુ છ કે અનભ જેમ્સની કંપનીમાં 100 જેટલા રત્નકલાકારો કામ કરે છે. જેમાંથી 70ની તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પીવાના પાણીના ફિલ્ટર પ્લાન્ટની ટાંકીમાં અસમાજિક તત્વએ સેલ્ફોસ નામની દાવાની પડીકી નાખી હોવાનું જાણવા મળ્યું છે. જેથી આ હરકત કરનારા લોકોને શોધવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
