
Surendranagar News: સુરેન્દ્રનગરના થાન તાલુકામાં મગળફીના ગોડાઉનમાં ભયંકર આગ લાગતાં 50 હજાર કિલોથી વધુ મગફલી બળીને રાખ ઈ ગઈ છે. આખા આખું ગોડાઉન ધગધગ સળગી ઉઠ્યું છે. ટેકાના ભાવે ખરીદેલી મગફળી ગોડાઉનમાં ભરી હતી.
થાન તાલુકાના FCI ગાડાઉનામાં આગ લાગવાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો દોડતી થઈ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રાયસો હાથ ધરાયા છે. અડધી આગ કાબૂમાં આવી છે. જાણકારી મળી રહી છે કે આ વિકરાળ આગમાં 50 હજાર કિલો મગફળી બળીને રાખ થઈ છે. જેથી કરોડોનું નુકસાન થયું છે. મગફળીનો જથ્થો ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદેલો હતો.
ઘટના સ્થળે ફાયર ટીમ સહિત અધિકારીઓ પણ દોડી આવ્યા છે. સાથે સાથ લોકોના ટોળેટોળા એકઠાં થઈ ગયા છે. આ આગની ઘટનામાં ગોડાઉનમાં કોઈ હાજર ન હોવાથી જાન હાનિ થઈ નથી. હાલ સંપૂર્ણપણે આગ બૂઝાવવાના પ્રયાસ ચાલુ છે.
આ પણ વાંચોઃ ટ્રમ્પ, હિટલર અને ચર્ચિલ… ન્યુઝીલેન્ડના હાઈ કમિશનર એવું શું બોલી ગયા કે એક જ ઝાટકે ખુરશી ગુમાવી દીધી?
આ પણ વાંચોઃ અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા; લૂંટફાટ કરવા આવેલા લૂંટારૂંઓએ મારી ગોળી
આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ટ્રક-ઈકો વચ્ચે ગમખ્વાર અકસ્માત; ત્રણ લોકોના મોત 4 ગંભીર