UCC લાગુ થશે તો આદિવાસીઓનું રાજકીય અને શૈક્ષણિક આરક્ષણ ખતમ થશે: ચૈતર વસાવા

  • Gujarat
  • March 28, 2025
  • 0 Comments

આજે નર્મદા જિલ્લા ખાતે સમાન સિવિલ કોડ (UCC) સમિતિની બેઠક યોજાઈ હતી. એ બેઠકમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાજર રહ્યા હતા. ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા યુસીસી આદિવાસી સમાજ પર લાગુ કરવામાં ન આવે તે મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી.

આ મુદ્દા પર ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે વિવિધતામાં એકતા એ ભારત દેશની ઓળખ છે. આપણો દેશ અને રાજ્ય વિભિન્ન ધર્મ સંપ્રદાયો અને જાતિઓમાં વહેંચાયેલો છે અને તમામના પોતાના અલગ અલગ સામાજિક અને ધાર્મિક નિયમો છે. અમારું માનવું છે કે યુસીસી લાગુ થવાથી સૌથી વધારે અસર આદિવાસી અને અલ્પસંખ્યકો પર થશે. જો આદિવાસી સમાજ પર યુસીસી લાગુ કરવામાં આવશે તો બંધારણમાં અનુસૂચિ પાંચ, પેસા એક્ટ, આદિવાસીઓને મળતું શૈક્ષણિક અને રાજકીય આરક્ષણ ખતમ થઈ જશે માટે અમે આના સખત વિરોધમાં છીએ.

આ પણ વાંચોઃ 2023માં શરુ થયેલી શિક્ષકોની ભરતી ટલ્લે, 24,700 શિક્ષકોની ભરતી અંગે ચૈતર વસાવાએ ઉઠાવ્યો સવાલ | Chaitar Vasava

‘અંગ્રેજોના રાજમાં ન થયું હતુ તે ભાજપના રાજમાં થાય છે’

અગાઉ મુસ્લિમોના 500 વર્ષના શાસન દરમિયાન અને અંગ્રેજોના 175 વર્ષના શાસન દરમિયાન પણ આદિવાસી સમુદાયના રીત રિવાજમાં કોઈ પણ પ્રકારની દખલગીરી કરવામાં આવી ન હતી. પરંતુ હાલ ભાજપ સરકાર યુસીસી લાવીને આદિવાસીઓ વિરોધી પગલું ભરી રહી છે.

આદિવાસીઓની પ્રથાઓ પર તરાપ મારવાનો આરોપ

વર્તમાનમાં 705 જેટલી અનુસૂચિત જનજાતિના સમુદાયો આપણા દેશમાં છે અને કુલ 13 કરોડ જેટલી વસ્તી છે. આ તમામ લોકોના સામાજિક, ધાર્મિક, રીતરિવાજો, પ્રથાઓ, પરંપરાઓ, લગ્ન પ્રથા, વારસાઈ, છૂટાછેડા જેવી અનેક બાબતો માટે અલગ અલગ નિયમો છે. પરંતુ અમારું માનવું છે કે સમાન નાગરિક સંહિતા એટલે કે યુસીસી લાગુ થશે તો આદિવાસી સમાજની અલગ અલગ રૂઢિપ્રથાઓ અને રીતરિવાજો આપોઆપ નષ્ટ થઈ જશે. માટે આદિવાસી સમાજની સંસ્કૃતિ અને અસ્તિત્વ બચાવવા માટે અમારી માંગણી છે કે સમાન નાગરિક સંહિતા (UCC)માંથી રાજ્યના આદિવાસી સમાજને બાકાત રાખવામાં આવે. અમુક આદિવાસી સમાજના લોકો જ હાલ યુસીસી લાગુ કરવાની વાત કરી રહ્યા છે. જે ખૂબ જ નિંદનીય છે. હાલ અમે કોઈ નેતાનું નામ નથી લેતા, પરંતુ એટલું સ્પષ્ટ કહી શકે આદિવાસીઓનું ભલું ઇચ્છનાર કોઈપણ આદિવાસી માણસ કે આદિવાસી નેતા યુસીસીના સમર્થનમાં નથી. જેથી ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી સમાજ પર યુસીસી લાગુ કરવામાં ન આવે તેવી માંગ કરી છે.

આ પણ વાંચોઃ જગ્ગી વાસુદેવ પર મહિલાઓએ બળાત્કારના આરોપો મૂક્યા! | Video | Jaggi Vasudev

આ પણ વાંચોઃ 2023માં શરુ થયેલી શિક્ષકોની ભરતી ટલ્લે, 24,700 શિક્ષકોની ભરતી અંગે ચૈતર વસાવાએ ઉઠાવ્યો સવાલ | Chaitar Vasava

આ પણ વાંચોઃ Banaskantha: હવે ડીસાની શાળામાં બાળકોએ હાથમાં કાપા કર્યા

આ પણ વાંચોઃ Tesla: અમેરિકામાં ટેસ્લાની કારને લોકો આગ લગાવી રહ્યા છે, જાણો કારણ?

  • Related Posts

    Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ
    • June 16, 2025

    Bhavnagar: ગુજરાતમાં હાલ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ જોવા મળી રહી છે. ત્યારે આજે ભાવનગરમાં પણ વરસાદે ભુક્કા બોલાવ્યા છે.…

    Continue reading
    Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી
    • June 16, 2025

    Visavadar, Kadi By-Election 2025: ગુજરાતની વિસાવદર (જૂનાગઢ) અને કડી (મહેસાણા) વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન 19 જૂન, 2025 (ગુરુવાર)ના રોજ યોજાશે, જ્યારે મતગણતરી અને પરિણામ 23 જૂન, 2025 (સોમવાર)ના રોજ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

    • June 16, 2025
    • 4 views
    Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

    Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

    • June 16, 2025
    • 5 views
    Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

    Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

    • June 16, 2025
    • 9 views
    Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

    Mahesh Jirawala missing: મહેશ જીરાવાલા કોણ છે? જે વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!

    • June 16, 2025
    • 6 views
    Mahesh Jirawala missing: મહેશ જીરાવાલા કોણ છે? જે  વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!

    Banaskantha: લૂંટ વિથ ડબલ મર્ડરની ઘટના, લૂંટારુઓએ ઊંઘમાં જ PI ના માતા-પિતાનું ઢીમ ઢાળી દીધું

    • June 16, 2025
    • 13 views
    Banaskantha: લૂંટ વિથ ડબલ મર્ડરની ઘટના, લૂંટારુઓએ ઊંઘમાં જ PI ના માતા-પિતાનું ઢીમ ઢાળી દીધું

    Surat Airport: સુરતમાં ગટર પરથી વિમાન ઉડે છે, પછી શું થાય!

    • June 16, 2025
    • 19 views
    Surat Airport: સુરતમાં ગટર પરથી વિમાન ઉડે છે, પછી શું થાય!