Uttarkashi Accident: ગુજરાતના 33 યાત્રીઓને કેદારનાથ લઈ જઈ રહેલી બસ પલટી, 18 ઈજાગ્રસ્ત

Uttarkashi Accident: ઉત્તરકાશીથી કેદારનાથ જતી ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસને અકસ્માત નડ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. અહીં એક બસ અચાનક પલટી ગઈ અને રસ્તા પર અથડાઈ ગઈ. આ બસમાં 30 થી વધુ લોકો સવાર હતા ત્યારે બસ પલટી જતા 18 લોકોને ઈજા પહોંચી છે. આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ ટીમ અને SDRF ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ઘાયલોને હોસ્પિટલ લઈ ગઈ હતી.

ઉત્તરકાશી નજીક બસનો અકસ્માત

મળતી માહિતી મુજબ, આજે બુધવારે એક બસ ઉત્તરકાશીથી કેદારનાથ જઈ રહી હતી. આ દરમિયાન નવા ટિહરી-ઘંસાલી મોટર રોડ પર ટીપરીથી લગભગ 1.5 કિમી આગળ ડાબા ખાલે નામના સ્થળે પહોંચતા, બસ નિયંત્રણ બહાર ગઈ અને રસ્તા પર પલટી ગઈ. આ અકસ્માત દરમિયાન બસમાં લગભગ 35 મુસાફરો હતા. જેમાંથી લગભગ 18લોકો ઘાયલ થયા છે.

પોલીસ ટીમ અને SDRF ટીમ ઘટનાસ્થળે પહોંચી

સ્થાનિક લોકોએ આ અકસ્માત અંગે પોલીસ પ્રશાસનને જાણ કરી હતી, અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ટીમ અને SDRF ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ ટીમ અને SDRF ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને બચાવ્યા હતા. આ અકસ્માતમાં બસ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ છે.

 ત્રણ મુસાફરો ગંભીર રીતે ઘાયલ

આ અકસ્માતમાં બસમાં સવાર ત્રણ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમાં એક પુરુષ, એક મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. બચાવ ટીમે તેમને બચાવી લીધા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવાની મદદથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નંદગાંવમાં સારવાર માટે મોકલ્યા હતા. આ ઉપરાંત, આ બસ અકસ્માતમાં લગભગ 15 મુસાફરોને નાની-મોટી ઇજાઓ થઈ છે, આ બધા મુસાફરો ગુજરાતના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો:

UP NEWS: સોનમ પાર્ટ- 2, પતિની હત્યા કરી નદીમાં ફેંકી દીધો મૃતદેહ, આવી રીતે ઉકેલાયો હત્યાનો ભેદ

કોંગ્રેસ નેતા Bharatsinh Solanki ના ઘરનો ઝઘડો પોલીસ મથકે પહોંચ્યો, પત્ની રેશ્મા પટેલે કોંગ્રેસ અને અમિત ચાવડાને લીધા આડેહાથ

La Curfew: ટ્રમ્પની ઇમિગ્રેશન કડક કાર્યવાહીનો લોસ એન્જલસમાં ઉગ્ર વિરોધ, કર્ફ્યુ લાગુ

ગુજરાત, દિલ્હી અને રાજસ્થાનમાં ED ના દરોડા, 2700 કરોડની છેતરપિંડી મામલો

UP NEWS: સોનમ પાર્ટ- 2, પતિની હત્યા કરી નદીમાં ફેંકી દીધો મૃતદેહ, આવી રીતે ઉકેલાયો હત્યાનો ભેદ

Raja Raghuvanshi Case: પોલીસ સોનમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગશે, રાત્રે જ મેડિકલ તપાસ કરાઈ

Raja Raghuvanshi Case: શું સોનમે ‘મંગળ દોષ’ના કારણે તેના પતિની હત્યા કરાવી? જાણો તેના પિતાએ તેને શું કહ્યું

Gujarat Weather News: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે છુટાછવાયા વરસાદની આગાહી

  • Related Posts

     Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
    • October 28, 2025

    Amreli: અમરેલીના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક વહેતી ધાતરવડી નદીમાં ન્હાવા જતા ચાર યુવાનો પાણીમાં ડૂબી ગયા હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. આ યુવાનો રાજુલા તાલુકાના બર્બટાણા ગામના રહેવાસી…

    Continue reading
    કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees
    • October 28, 2025

    Kutch  Mangrove Trees: કચ્છ નજીક આવેલ પાકિસ્તાનના બોર્ડરના જંગલ વિસ્તારમાં મોટાપાયે મેન્ગ્રોવના વૃક્ષોનો નાશ થયો છે. સ્થાનિક લોકો અને વન વિભાગ કબૂલે છે અહીં વૃક્ષો ઓછા થયા છે. જો કે…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

    • October 28, 2025
    • 2 views
    Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

     Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

    • October 28, 2025
    • 10 views
     Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

    કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

    • October 28, 2025
    • 13 views
    કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

    BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!

    • October 28, 2025
    • 6 views
    BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!

    8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ

    • October 28, 2025
    • 14 views
    8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ

    Ahmedabad: લગ્ન પહેલા બ્લાઉઝ ના સીવી આપવો દરજીને ભારે પડ્યુ, 7 હજારનો ફટાકર્યો દંડ, જાણો સમગ્ર મામલો

    • October 28, 2025
    • 18 views
    Ahmedabad: લગ્ન પહેલા બ્લાઉઝ ના સીવી આપવો દરજીને ભારે પડ્યુ, 7 હજારનો ફટાકર્યો દંડ, જાણો સમગ્ર મામલો