Vadodara:કમાટીબાગમાં 4 વર્ષની બાળકી પર જોય ટ્રેન ફરી વળી, ઘટના પાછળ કોણ જવાબદાર?

vadodara: ગઈ કાલે વડોદરામાં એક કરુણ ઘટના બની હતી જેમાં કોર્પોરેશનના કમાટી બાગમાં ચાલતી જોય ટ્રેનમાં બાળકી આવી જવાથી 4 વર્ષની બાળકીનું મોત થયું હતું. આ બાળકી કમાટીબાગ ખાતે વેકેશનમાં પરિવાર સાથે ફરવા આવી હતી. ત્યારે બાળકી પર જોય ટ્રેન ફરી વળી બાળકીની કીલકારી ચીચયારીમાં ફેરવાઈ ગઈ હતી. આ ઘટના પછી ટ્રેનનો ડ્રાઈવર ભાગી ગયો હતો.

કમાટીબાગમાં 4 વર્ષની બાળકી પર જોય ટ્રેન ફરી વળી

પ્રાપ્ત માહિતી મુજબ જંબુસરના સોગંદવાડીમાં રહેતો પઠાણ પરિવાર વેકેશનમાં જંબુસરથી કમાટીબાગમાં મજા માણવા આવ્યો હતો. આ દરમિયાન તેમના પરિવારે બાળકોને જોય ટ્રેનમાં મુસાફરી કરાવી હતી જે બાદ જ્યારે આ પરિવાર સાંજે પરત જંબુસર જઈ રહ્યો હતો ત્યારે કમાટીબાગ જોય ટ્રેનના સ્ટેન્ડ પાસે આ પરિવારની 4 વર્ષની બાળકી જોય ટ્રેનની અડફેટે આવી જતી તેનું ચગદાઇ જવાથી મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસ અને કોર્પોરેશનનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

કમાટીબાગ જોય ટ્રેનનો વિવાદ

વડોદરાના કમાટીબાગ જોય ટ્રેન પહેલી વાર વિવાદમા આવી નથી પરંતુ અવાર – નવાર વિવાદમાં આવતી રહે છે. જોય ટ્રેન અકસ્માતની આ ત્રીજી ઘટના બની છે. તેમજ છેલ્લા 7 વર્ષમાં જોય ટ્રેન ચાર વખત બંધ પણ કરવી પડી હતી. જો કે કોઈ ઘટના બને પછી સરકારના અલગ – અલગ વિભાગોની મંજૂરી લઇને ફરીથી ટ્રેન દોડતી થાય છે પરંતુ અકસ્માતની ઘટનાઓ બંધ થતી નથી.

જવાબદારો સામે ક્યારે કાર્યવાહી થશે ?

મહત્વનું છે કે, આ જોય ટ્રેનની સ્પીડ એકદમ ઓછી હોય છે તેમાં એન્જિનમાં ડ્રાઇવર અને એક સિક્યુરિટી ગાર્ડ હોય છે. તેમનું કામ આગળના ટ્રેક પર નજર રાખવાનું હોય છે. તેમજ ટ્રેનના ઝડપ પ્રતિ કલાક 7 થી 8 કિલોમીટરની જ હોય છે. ત્યારે સવાલ તે થાય છે કે, આ બાળકી ટ્રેક પર આવી ગઇ તો ડ્રાઇવરે બ્રેક કેમ ના મારી? અકસ્માત બાદ ડ્રાઈવર કેમ ભાગી ગયો ? શહેરમાં હરણીબોટ કાંડ જેવી ઘટનાઓ બાદ પણ તંત્ર આવી જગ્યાએ બાળકોની સુરક્ષામાં કેમ બેદરકારી દાખવેછે ?   જો સમયસર નિયમિત દેખરેખ અને સુરક્ષા વ્યવસ્થા હોત તો કદાચ આ દુઃખદ ઘટના ન બની હોત. આ સમગ્ર મામલે તપાસ કરવી ખુબ જરુરી બને છે. આ મામલે જવાબદારો સામે ક્યારે કાર્યવાહી થાય છે અને આવી ઘટના ફરી ન બને તેના માટે તંત્ર શું પગલા લે છે તે જોવું રહ્યું…

આ પણ વાંચોઃ

India Pakistan War:પાકિસ્તાને હુમલામાં ભારતને કેટલું નુકસાન પહોંચાડ્યું? સેના અને વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સમાં આપી મહત્વની જાણકારી

India-Pakistan Tension: ભારત-પાકિસ્તાન હુમલાને લગતા સમાચાર પ્રસારિત કરતા પહેલા મીડિયાને આ નિર્દેશોનું કરવું પડેશે પાલન, નહીં તો થશે કાર્યવાહી

India-Pakistan Tension: ભારત-પાકિસ્તાન હુમલાને લગતા સમાચાર પ્રસારિત કરતા પહેલા મીડિયાને આ નિર્દેશોનું કરવું પડેશે પાલન, નહીં તો થશે કાર્યવાહી

World Migratory Bird Day 2025 : પક્ષીઓને પણ પાકિસ્તાનમાં નથી ગમતું! લાખો પક્ષીઓ સ્થળાંતર કરીને ગુજરાતમાં આવી ગયા

ધ વાયરની વેબસાઇટ સરકારે બ્લોક કેમ કરી? | The wire

‘બહુ ઊંચા થતાં હોય તો ચેતજો’, ડેપ્યુટી કલેક્ટરને ફરી બનવું પડ્યું મહેસૂલ અધિકારી, 1 લાખનો દંડ | Andhra Pradesh

ગોદી મિડિયા સરકારના ડાહ્યા થવામાં ભારતનું અહિત ન કરી દે!, શું છે Media Advisory જુઓ?

Share Market Down: રોકાણકારોને નુકસાન, સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટ્યો, શું છે કારણો?

 PIB Fact Check: વાઈરલ થયેલા 7 ખોટા વીડિયો અંગે PIBનું ફેક્ટ ચેક, શું સામે આવ્યું?

Vadodara: ન્યાયના એજન્ડા સાથે લડી રહેલા ભાજપા કોર્પોરેટર આશિષ જોશીને સસ્પેન્શનની બક્ષીશ

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

Related Posts

Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…
  • August 7, 2025

Vote Theft: કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO)એ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પત્ર લખીને અયોગ્ય મતદારો ઉમેરવા અને લાયક મતદારોના નામ દૂર કરવાના આરોપો પર સોગંદનામું માંગ્યું છે. મુખ્ય ચૂંટણી અધિકારીએ…

Continue reading
Surat: ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ
  • August 7, 2025

Surat: શ્રાવણ મહિનાથી શરુઆતથી જ સમગ્ર દેશમાં તહેવારોની રમઝટ ચાલુ થઈ જાય છે. આગામી દિવસોમાં રક્ષાબંધનનાં પવિત્ર તહેવારને ધ્યાને રાખી વધુ એક વખત સુરત મહાનગર પાલિકાનાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…

  • August 7, 2025
  • 7 views
Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…

Surat: ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ

  • August 7, 2025
  • 10 views
Surat:  ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ

Bhavnagar: વૃધ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, દારુ પીવા 50 રુપિયા ના આપતાં છરીના ઘા ઝીક્યા, હચમચાવી નાખતી ઘટના

  • August 7, 2025
  • 26 views
Bhavnagar: વૃધ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, દારુ પીવા 50 રુપિયા ના આપતાં  છરીના ઘા ઝીક્યા, હચમચાવી નાખતી ઘટના

Gujarat: હાઇકોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં ત્રીજીવાર આસારામના જામીન લંબાવ્યા

  • August 7, 2025
  • 36 views
Gujarat: હાઇકોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં ત્રીજીવાર આસારામના  જામીન લંબાવ્યા

Ahmedabad: ઝાડા-ઉલટીના દર્દી સાથે બેડ પર જવાની ના પાડતા દર્દીને માર માર્યો, મામલો પહોંચ્યો પોલીસ મથકે

  • August 7, 2025
  • 21 views
Ahmedabad: ઝાડા-ઉલટીના દર્દી સાથે બેડ પર જવાની ના પાડતા દર્દીને માર માર્યો, મામલો પહોંચ્યો પોલીસ મથકે

આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ

  • August 7, 2025
  • 43 views
આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ