Valsad: મેલડી માતા આવ્યા!, 22 યુવતીના શરીર પર દીવડા પ્રગટાવ્યા, દાઝી જતાં મોત

  • Gujarat
  • April 18, 2025
  • 5 Comments

Valsad Crime: ગુજરાતમાં રોજે રોજ અંધશ્રધ્ધાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેમાં લોકોના જીવ જઈ રહ્યા છે. ત્યારે વલસાડ જીલ્લામાં એક 22 વર્ષિય યુવતીનો અંધશ્રધ્ધામાં જીવ ગયો છે. યુવતીએ માતાજી આવ્યા છે કહી પોતાના શરીર પર રુના દીવડા પ્રગટાવવા પરિવારને કહ્યું હતુ. જેથી યુવતીના કહ્યા મુજબ કરતાં તે ગંભીર રીતે દાઝી જતાં મોતને ભેટી છે. જેથી તેના પિતા, બે બહેન, બનેવી વિરુધ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

મેલડી માતા આવતાં રૂનાં દીવડાં મૂકાવ્યા

પારડી તાલુકાનું પલસાણા ગામે આદિવાસી સમાજે અંધશ્રધ્ધામાં આવી દીકરી ગુમાવી દીધી છે. મૃતકની માતા પન્નાબેન હળપતિ (ઉં.વ.44)એ પોલીસને જણાવ્યું હતુ કે ગત 30 માર્ચે ચૈત્ર માસના નોરતા હતા. અમારા ઘરે માતાજીની સ્થાપના કરી હતી. અમે રાતના આરતી કરતાં હતાં, ત્યારે મારી દીકરી દિવ્યા(ઉ.વ.22)એ મને મેલડી માતા આવે છે એમ જણાવ્યું હતું. 3 એપ્રિલના રોજ મારી મોટી દીકરી પ્રિયંકા તથા જમાઈ જિજ્ઞેશ પણ અમારા ઘરે આવ્યાં હતાં અને ઘરે રાત રોકાયાં હતાં.  4 એપ્રિલે સાંજના સાતેક વાગે અમારા ઘરે માતાજીની સ્થાપના કરી અમે આરતી કરતાં હતાં, એ દરમિયાન દિવ્યાએ મને મેલડી માતા આવ્યાં એમ કહ્યું હતું.

બાદમાં રાડ પાડી નીચે સૂઈ ગઈ અને બૂમો પાડી કહ્યું, મારા કપાળ, ગળા, પેટ, બંને હાથની હથેળી ઉપર અને બંને પગના પંજાના ભાગે સળગતી જ્યોત પ્રગટાવો, જેથી મારા પતિ અર્જુન તથા મારી દીકરી ઇશિતા તથા મારી મોટી દીકરી પ્રિયંકા અને જમાઇ જિજ્ઞેશે દિવ્યાના કહ્યા મુજબ માતાજી આવેલાં છે, એમ માની રૂની જ્યોત બનાવવા લાગ્યાં તો મેં તેમને આમ કરવા ન કહ્યું હતુ. છતાં દીકરીના શરીર પર દીવા પ્રગટાવી દીધા હતા. જેથી દિવ્યા ગંભીર પ્રકારે દાઝી ગઈ હતી. જેથી સારવાર દરમિયાન મોત થઈ ગયું છે. હાલ પોલસે ખુદ ફરિયાદી બની તપાસ હાથ ધરી છે.

આશંકા એવી પણ સેવાઈ રહી છે કે યુવતીને ડામ આપવામાં આવ્યા છે.

આરોપીઓના નામ

અર્જુન સુખાભાઈ હળપતિ (ઉં.વ. 45)
ઇશિતાઅર્જુનભાઈ સુખાભાઈ હળપતિ (ઉં.વ. 20)
જિજ્ઞેશ વસંતભાઈ નાયકા (ઉં.વ. 30)
પ્રિયંકા જિજ્ઞેશ વસંતભાઈ નાયકા (ઉં.વ. 25)

આ પણ વાંચોઃ

Andhra Pradesh: પતિએ ગર્ભવતી પત્નીની કરી હત્યા, 3 વર્ષ પહેલા કર્યા હતા પ્રેમલગ્ન

Ahmedabad: 45 લાખની ચોરીનો આરોપી ફરાર થઈ જતાં 2 પોલીસકર્મી સસ્પેન્ડ, હોસ્પિટલમાંથી ભાગ્યો!

‘રાષ્ટ્રપતિને મજબૂર કરવા યોગ્ય નથી’, ઉપરાષ્ટ્રપતિ અને પૂર્વ ન્યાયાધીશે સુપ્રીમ કોર્ટ પર સવાલ ઉઠાવ્યા! | Jagdeep Dhankhar

શું ગુજરાત DRUGSનું હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે?

Gujarat: ભાજપના ભ્રષ્ટાચાર સામે બોલી ન શકતી કોંગ્રેસ ચૂંટણી જીતી શકે?

Related Posts

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ
  • April 29, 2025

China Restaurant Fire:  ચીનના લિયાઓનિંગમાં એક દુ:ખ દુર્ઘટના ઘટી છે. અહીં એક રેસ્ટોરન્ટમાં આગ લાગવાથી 22 લોકોના મોત થયા છે. આગમાં ભયંકર રીતે 3 લોકો દાઝી ગયા છે. આગ લાગવાના…

Continue reading
MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ
  • April 29, 2025

135 લોકોની જીવ લેનારી મોરબી(Morbi) પુલ દુર્ઘટનામાં આરોપીઓ છટક બારીઓ શોધી રહ્યા છે. જોકે તેમને એક બાદ એક ઝટકા મળી રહ્યા છે. મોરબી સેશન્સ કોર્ટમાં આરોપીઓએ તેમની સામે નોંધાયેલી આઈપીસી…

Continue reading

One thought on “Valsad: મેલડી માતા આવ્યા!, 22 યુવતીના શરીર પર દીવડા પ્રગટાવ્યા, દાઝી જતાં મોત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

  • April 29, 2025
  • 5 views
China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

  • April 29, 2025
  • 14 views
Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

  • April 29, 2025
  • 19 views
Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

  • April 29, 2025
  • 21 views
MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

  • April 29, 2025
  • 29 views
TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

  • April 29, 2025
  • 33 views
Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના