“VIRAL GURU” અનિરુદ્ધાચાર્યનાં અધૂરા ઘડાંમાં કાણું પાડતાં જ્ઞાની પંડિત

  • Dharm
  • July 18, 2025
  • 0 Comments
  • સોશિયલ મિડીયા પર છવાયેલા રહેતાં અનિરુદ્ધાચાર્યની મૂર્ખતાને વૃદ્ધ પંડિતે ઉઘાડી પાડી

Aniruddhacharyaji Maharaj – સોશિયલ મિડીયા પર જેમની રીલ્સની ભરમાર છવાયેલી છે. જે સલમાન ખાનના રિયાલીટી શો બીગ બોસના સેટ પર પગલાં પાડી આવ્યાં છે અને જેમની પાસે અબૂધ ભક્તો અજગ ગજબ અને સાવ તર્ક વગરના પ્રશ્નો પુછવા પહોંચી જાય છે અને તેના એટલાં જ ચિત્ર – વિચિત્ર જવાબો આ વાઈરલ ગુરુ આપે છે. એ બધું તો ભારતની ભોળી પ્રજાને અભિભૂત કરવા માટે પુરતું છે.

તાજેતરમાં અનિરુદ્ધાચાર્યનો અખિલેશ યાદવ સાથે વિવાદ સામે આવ્યો હતો. વિવાદ અંગેના વિડીયોમાં જોવા મળે છે કે, અખિલેશ યાદવે પુછ્યું કે ભગવાન શ્રી કૃષ્ણનું સૌથી પહેલું નામ કયું? તો એના ઉત્તરમાં અનિરુદ્ધાચાર્ય ગોળ ગોળ જવાબો આપીને વાતને આડે પાટે ચડાવવાનો પ્રયાસ કરે છે પણ જવાબ નથી આપી શકતાં. બાદમાં વાયરલ ગુરુએ આ વિવાદ અંગે પણ રિલ બનાવીને અખિલેશ યાદવને નીચે દેખાડવાનો પ્રયાસ કર્યો હતો. પણ, ચોક્કસ જવાબ તો આપવામાં વાઈરલ ગુરુ સફળ થયાં હોય તેવું ક્યાંય જાણવા કે જોવા મળતું નથી.

વાઈરલ ગુરુ અનિરુદ્ધાચાર્યનો હાલ એક નવો વિડીયો સામે આવ્યો છે. જેમાં તેમના અજ્ઞાનની પોલ એક વૃદ્ધ પંડિત જાહેર મંચ પરથી ઉઘાડી પાડી રહ્યાં છે. ગુજરાતીમાં કહેવાય છે કે, અધૂરો ઘડો છલકાય ઘણો અને પ્રસિદ્ધિને કારણે છલકવામાં માપ ચુકી ગયેલા આ ઘડા પર વૃદ્ધ પંડિતે મોટો કાંકરો મારીને કાણું પાડ્યું હોય તેવું વિડીયો જોતાં જણાય છે.

વિડીયોમાં જોવા મળે છે કે, શ્રીમદ્ ભાગવત અંગેની ચર્ચા ચાલી રહી છે. જેમાં શરૂઆતમાં જ વૃદ્ધ પંડિતજી કહે છે કે, ભાગવતમાં ક્યાંય રાધાનું નામ હશે તો હું કોઈને મોં નહીં બતાવું. ત્યારબાદ પંડિતજી સ્પષ્ટીકરણ આપે છે કે, અનિરુદ્ધાચાર્યએ કહ્યું કે શ્રીમદ્ ભાગવતમાં રાધાનું નામ છે એટલે મારે બોલવું પડ્યું. બાકી, હું ક્યારેય ના બોલત.

બાદમાં વૃદ્ધ પંડિતજી વિરોધ વ્યક્ત કરવા માટે પણ ક્ષમા માંગે છે. આમ તો આ ભાગ કદાચ સમગ્ર ચર્ચાનો એક ભાગ હોઈ શકે છે જે એડિટ કરીને આગળ મુકવામાં આવ્યો છે. પણ, વાઈરલ થયેલા વિડીયોમાં બાદમાં જોવા મળે છે કે, અનિરુદ્ધાચાર્ય શ્રીમદ્ ભાગવતના આઠમા સ્કંધના 10માં અધ્યાયનાં શ્લોક નંબર 40નો ઉલ્લેખ કરીને રાધાવન્તો શબ્દ ભાગવતમાં હોવાનું સાબિત કરવા જાય છે.

અનિરુદ્ધાચાર્યની આ વાત સાંભળતાં જ પંડિતજી વાંચીને કહે છે નાશ ના કરશો… આ રાધાવન્તો નહીં આધાવન્તઃ લખ્યું છે. એનો અર્થ થાય છે દોડતાં દોડતાં. આ સંધી થઈ ગઈ છે. ત્યારબાદ અનિરુદ્ધાચાર્ય ફરી પોતાની વિદ્વત્તા સાબિત કરવાનો નિષ્ફળ પ્રયાસ કરે છે અને વિદ્વાન પંડિત તેમની દરેક બાબતોનું સચોટ ખંડન કરે છે.

જાહેરમાં અપમાન થયું હોવા છતાં વાયરલ ગુરુ માત્ર મોં પર ખોટું સ્મિત ચોંટાડીને વારંવાર પોતાના ગુરુના નામે પોતાની વાત સાબિત કરવાનો નિરર્થક પ્રયાસ કરતાં રહે છે. પણ જ્ઞાની પંડિત સામે તેમનો કોઈ જ તર્ક ચાલતો નથી.

બાદમાં તો અન્ય લોકોએ પણ વચ્ચે પડવું પડે છે. હાલ લગભગ પોણા ચાર મીનીટનો આ વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે. જોકે, આ વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તે અંગે ચોક્કસ માહિતી પ્રાપ્ત થતી નથી. પરંતુ, સોશિયલ મિડીયામાં જે દેખાડવામાં આવે છે એ બધું સાચું જ છે અને જ્ઞાનવર્ધક છે એવું માનવું સદંતર ખોટું છે.

ધર્મને ધંધો બનાવી ભારતની જનતા સામે સસ્તી પ્રસિદ્ધિ મેળવતાં લોકોને ખોટા સાબિત કરવા માટે દરેક શ્રદ્ધાળુએ પણ પોતાની મેળે સાચી વાત શોધવાનો પ્રયાસ કરવો જોઈએ. માત્ર રીલ જોઈને જે – તે બાબા – સાધુ કે પછી કોઈ નેતા વિશે અભિભૂત થવાનું હવે છોડવું બહું જ જરૂરી બને છે.

 

Related Posts

Dharma: દાનનો મહિમા, અંગરાજ કર્ણ દાનવીર કેવી રીતે કહેવાયા?
  • July 19, 2025

Dharma:  કળિયુગમાં મનુષ્યના કલ્યાણ માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય દાન છે, એ કાલે આપણે સમજ્યા. શાસ્ત્રોમાં દાન કોને, ક્યારે અને ક્યાં આપવું, એનું માહાત્મ્ય પણ સમજાવ્યું છે. એ પ્રમાણે શુભ સ્થળે,…

Continue reading
Dharma: દુર્ગા સપ્તશતીનું માહાત્મ્ય, સાચા હૃદયથી માની ભક્તિ કરવાથી અવશ્યપણે પ્રાપ્ત થાય છે માના આશીર્વાદ
  • July 18, 2025

Dharma: મા દુર્ગાની પરમ કૃપા મેળવવા માટે અનેક સ્તુતિ-સ્તોત્રો લખાયાં છે અને એનું પઠન, ગાયન અને શ્રવણ મનને શક્તિ આપે છે પરંતુ દુર્ગા સપ્તશતી એ સૌમાં સૌથી શ્રેષ્ઠ, ઉત્તમ ફળદાયી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

  • August 6, 2025
  • 10 views
Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

  • August 6, 2025
  • 5 views
Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ

  • August 6, 2025
  • 10 views
Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ

Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો, પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?

  • August 6, 2025
  • 19 views
Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો,  પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?

Surat: લગ્નના 10 દિવસ પછી ફરાર થયેલી લૂંટેરી દુલ્હન 7 મહિને પકડાઈ, પતિનું આઘાતથી મોત, જાણો હચમાવી નાખતો કિસ્સો

  • August 6, 2025
  • 31 views
Surat: લગ્નના 10 દિવસ પછી ફરાર થયેલી લૂંટેરી દુલ્હન 7 મહિને પકડાઈ, પતિનું આઘાતથી મોત, જાણો હચમાવી નાખતો કિસ્સો

Kheda: ઠાસરામાં વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલવા 21 હજારનું ઈનામ જાહેર, જાણો સમગ્ર ઘટના

  • August 6, 2025
  • 10 views
Kheda: ઠાસરામાં વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલવા 21 હજારનું ઈનામ જાહેર, જાણો સમગ્ર ઘટના