‘મુર્શિદાબાદમાંથી 400 હિંદુઓ ઘરો છોડી ભાગ્યા’, વક્ફને લઈને હિંસા | West Bengal Violence

  • India
  • April 13, 2025
  • 1 Comments

West Bengal Violence: પશ્ચિમ બંગાળમાં વક્ફ બીલ કાયદો બની જતાં હિંસા ફાટી નીકળી છે. પશ્ચિમ બંગાળમાં હિંસા બેકાબૂ બની છે. મુસ્લીમો વક્ફ કાયદોના ભારે વિરોધ કરી રહ્યા છે. આ હિંસામાં 3 લોકોના મોત છે. ઘણા જાહેર વાહનોમાં આગ ચાંપી દેવામાં આવી છે. હિંસામાં હિંદુઓ પર હુમલા થયા છે. ભાજપ નેતા સુવેન્દુ અધિકારીએ રવિવારે (13 એપ્રિલ, 2025) દાવો કર્યો છે કે વક્ફ કાયદા પર થયેલી હિંસા બાદ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના ધુલિયાનમાં 400 થી વધુ હિન્દુઓ ઘર છોડી સ્થળાંતર કર્યુ છે.

સુવેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની તૃણમૂલ કોંગ્રેસ (TMC) પર તુષ્ટિકરણની રાજનીતિનો આરોપ લગાવ્યો હતો. તેમનું કહેવું છે કે મમતા બેનર્જીની પાર્ટીએ કટ્ટરપંથી તત્વોને પ્રોત્સાહન આપ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા તેમણે કહ્યું, “ધાર્મિક રીતે પ્રેરિત કટ્ટરપંથીઓના ડરથી, મુર્શિદાબાદના ધુલિયાંના 400 થી વધુ હિન્દુઓને નદી પાર કરીને પાર લાલપુર હાઇ સ્કૂલ, દેવનાપુર-સોવાપુર જીપી, વૈષ્ણવનગર, માલદામાં આશ્રય લેવાની ફરજ પડી હતી.” આ પોસ્ટમાં તેણે કેટલાક લોકોના ફોટા અને વીડિયો પણ શેર કર્યા છે.

&

ફોટા અને વીડિયોમાં લોકોએ શું દાવો કર્યો?

ભાજપના નેતાએ જે લોકોના ફોટા અને વીડિયો શેર કર્યા છે તેમાંથી એકે દાવો કર્યો છે કે તેમનું ઘર બળીને ખાખ થઈ ગયું હતું અને પોલીસ અધિકારીઓએ કંઈ મદદ કરી નહીં અને સ્થળ પરથી ભાગી ગયા. ભાજપે વિસ્તારમાં તૈનાત બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) તેમજ જિલ્લા અને રાજ્ય પોલીસને લોકોના સુરક્ષા પુરી પાડવા કહ્યું છે.

સુવેન્દુ અધિકારીએ કહ્યું, “હું જિલ્લામાં તૈનાત કેન્દ્રીય અર્ધલશ્કરી દળો, રાજ્ય પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રને વિનંતી કરું છું કે તેઓ આ વિસ્થાપિત હિન્દુઓનું સુરક્ષિત વળતર સુનિશ્ચિત કરે અને આ જેહાદી આતંકવાદથી તેમના જીવનનું રક્ષણ કરે. બંગાળ સળગી રહ્યું છે. સામાજિક તાંતણું તૂટી ગયું છે. બસ, બસ.”

પોલીસે કહ્યું – પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે

પશ્ચિમ બંગાળ પોલીસે જણાવ્યું હતું કે શુક્રવારે રાત્રે મુર્શિદાબાદમાં વક્ફ (સુધારા) કાયદાને લઈને થયેલી હિંસામાં ત્રણ લોકોના મોત થયાના અહેવાલ છે. ઘણા વાહનોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી અને જો પોલીસનું કહેવું છે કે પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે.

 

આ પણ વાંચોઃ

Jaat Box Office Collection Day 3: સની દેઓલ બોક્સ ઓફિસ પર ચમક્યો, ફિલ્મની કમાણીમાં સતત ત્રીજા દિવસે વધારો

Sabarkantha: પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા પીધી, માતા-પિતાનું મોત, 3 બાળકોની હાલત નાજૂક

Narmda: સાપે ડંખ મારતાં 10 કિમી સુધી ઝોળીમાં યુવકને લઈ જવો પડ્યો, આ છે ગુજરાતીની સ્થિતિ?

Waqf પર દેશભરમાં બબાલ, રાજકીય ખેંચતાણ, CM યોગીએ કોંગ્રેસ પર નિશાન સાધી શું કહ્યું?

 

 

 

 

Related Posts

Earthquake in Peru: પેરુમાં મોડી રાત્રે 6.1 ની તીવ્રતાના આંચકા અનુભવાયા, એકનું મોત, અનેક ઇમારતો ધરાશાયી
  • June 16, 2025

Earthquake in Peru: ફરી એકવાર પ્રચંડ ભૂકંપના કારણે ધરતી ધ્રુજી ઉઠી છે. મોડી રાત્રે, પેસિફિક મહાસાગરના કિનારે દક્ષિણ અમેરિકન દેશ પેરુમાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો.…

Continue reading
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા
  • June 15, 2025

Maharashtra Pune, Indrayani river bridge Collapsed: મહારાષ્ટ્રના પૂણેમાં આવેલા પિંપરી ચિંચવાડમાં ઈન્દ્રાયણી નદી પરનો પુલ તૂટી પડ્યો. ઘટના સમયે ઘટનાસ્થળે ભારે ભીડ હતી અને પ્રારંભિક માહિતી મુજબ 20 થી 25…

Continue reading

One thought on “‘મુર્શિદાબાદમાંથી 400 હિંદુઓ ઘરો છોડી ભાગ્યા’, વક્ફને લઈને હિંસા | West Bengal Violence

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Earthquake in Peru: પેરુમાં મોડી રાત્રે 6.1 ની તીવ્રતાના આંચકા અનુભવાયા, એકનું મોત, અનેક ઇમારતો ધરાશાયી

  • June 16, 2025
  • 3 views
Earthquake in Peru: પેરુમાં મોડી રાત્રે 6.1 ની તીવ્રતાના આંચકા અનુભવાયા,  એકનું મોત, અનેક ઇમારતો ધરાશાયી

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 16 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 23 views
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 14 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

  • June 15, 2025
  • 32 views
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….