બીજેપીની જીત, આપની હાર અને આશંકાઓ અંગે શું લખી રહ્યું છે દેશ-દુનિયાનું મીડિયા?

  • બીજેપીની જીત, આપની હાર અને આશંકાઓ અંગે શું લખી રહ્યું છે દેશ-દુનિયાનું મીડિયા?

દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 27 વર્ષ પછી ભાજપની જીત અને આમ આદમી પાર્ટીની હાર પર દેશભર અને દુનિયાભરના મીડિયામાં ઘણી ચર્ચા થઈ રહી છે.

દિલ્હી વિધાનસભામાં 70 બેઠકો છે અને આ વખતે ભાજપે 48 બેઠકો સાથે મોટી જીત મેળવી છે. જ્યારે આમ આદમી પાર્ટી 22 બેઠકો પર સમેટાઈ ગઈ છે.

આ જીત પછી શનિવારે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ મુખ્યાલયમાં કાર્યકરોને સંબોધિત કર્યા હતા.

પીએમ મોદીએ કહ્યું, “આપ-દાવાળા એવું કહીને રાજકારણમાં આવ્યા હતા કે અમે રાજકારણ બદલી નાંખશું. પરંતુ તેઓ અપ્રમાણિક લોકો નીકળ્યા.”

આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે પોતાની હાર સ્વીકારતા કહ્યું, “લોકોનો નિર્ણય અમને સ્વીકાર્ય છે. અમે અમારી હારનો સંપૂર્ણ નમ્રતાથી સ્વીકાર કરીએ છીએ. હું ભાજપને અભિનંદન આપું છું અને આશા રાખું છું કે તેઓ જે અપેક્ષાઓ સાથે જનતાએ તેમને ચૂંટ્યા છે તે પૂર્ણ કરશે.”

આમ આદમી પાર્ટીએ પોતાને જ પૂછવો પડશે પ્રશ્ન

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત અને આમ આદમી પાર્ટીની હારનું વિશ્લેષણ કરતી વખતે, અંગ્રેજી અખબાર ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ એ લખ્યું છે કે આમ આદમી પાર્ટીએ પોતાને પૂછવું પડશે કે બે મોટા જનાદેશ મળ્યા પછી આ વખતે તેણે તક કેવી રીતે ગુમાવી દીધી.

અખબારે તેના તંત્રીલેખમાં લખ્યું છે કે, “એમાં કોઈ શંકા નથી કે આમ આદમી પાર્ટીની એક શક્તિશાળી કેન્દ્ર સરકાર અને તેના દ્વારા નિયુક્ત લેફ્ટનન્ટ ગવર્નર સાથેની દુશ્મનાવટે તેને નુકસાન પહોંચાડ્યું છે.”

અખબારે લખ્યું છે કે “ભ્રષ્ટાચારના આરોપોમાં તેના નેતાઓને આપવામાં આવેલી જેલની સજાને કારણે પણ તે નબળું પડી ગયું હતું,” પરંતુ કેજરીવાલની પાર્ટીએ એ પણ આત્મનિરીક્ષણ કરવું પડશે કે શું તેનું રાજકીય પતન તેના દ્વારા બનાવેલા સંજોગોને કારણે થયું છે.

અંગ્રેજી અખબાર ‘હિન્દુસ્તાન ટાઈમ્સ’ એ ભાજપની જીત પર લખ્યું છે કે આ ચૂંટણીએ બતાવ્યું છે કે કલ્યાણકારી યોજનાઓના રાજકારણની પણ મર્યાદા હોય છે. આ વખતે મધ્યમ વર્ગને પોતાની સાથે લાવવાના ભાજપના પ્રયાસો ફળ્યા છે.

”ભાજપની આ જીતે વિપક્ષ માટે વધુ સમસ્યાઓ ઊભી કરી છે.” હવે ભાજપ સામે સંયુક્ત મોરચો બનાવવાના તેના પ્રયાસોને વધુ એક ફટકો પડશે.

‘હિન્દુસ્તાન ટાઈમ્સ’ એ લખ્યું છે કે, “કોંગ્રેસે દિલ્હીમાં આમ આદમી પાર્ટીનો ખેલ કંઈક અંશે બગાડ્યો છે. આનાથી ભાજપ સામે સંયુક્ત મોરચો બનાવવાની વિપક્ષની રણનીતિ અને ક્ષમતા પર પ્રશ્નો ઉભા થશે. પરંતુ ભાજપની આ જીત દર્શાવે છે કે શહેરી અને પ્રમાણમાં સમૃદ્ધ રાજ્યોમાં કલ્યાણકારી યોજનાઓના રાજકારણની પોતાની મર્યાદાઓ છે.

આ પણ વાંચો- Rajkot: દારુના નશામાં ડ્રાઈવરે વિદ્યાર્થીને કરાવ્યો પ્રવાસ? બસ દિવાલ સાથે ભટકાઈ?

ધારાસભ્યોની એકતા અંગે શંકાઓ

‘ધ હિન્દુ’એ તેના એક વિશ્લેષણમાં લખ્યું છે કે આમ આદમી પાર્ટીનો જન્મ 2012માં ભ્રષ્ટાચાર વિરોધી ચળવળમાંથી થયો હતો. તેણે પોતાને કૌભાંડોના રાજકારણ સામે ઉભેલી પાર્ટી તરીકે વર્ણવી હતી.

વિશ્લેષણ કહે છે, “પરંતુ આજે આમ આદમી પાર્ટી માટે ભ્રષ્ટાચારના આરોપોથી મુક્તિ મેળવવી સરળ નથી. એક મોટો પ્રશ્ન એ છે કે શું અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના 22 વિજેતા ધારાસભ્યોને પોતાની સાથે જોડીને રાખી શકશે કારણ કે અન્ય પક્ષોમાં વર્ષો સુધી તેમની સાથે જોડાયેલા રહ્યા પછી જ લોકોને તક મળે છે. પરંતુ આમ આદમી પાર્ટીમાં લોકોને ખૂબ જ ઝડપથી તક મળી અને તેઓ ધારાસભ્ય બન્યા.

વિશ્લેષણ કહે છે કે હવે અરવિંદ કેજરીવાલ માટે તેમના વરિષ્ઠ નેતાઓને જાળવી રાખવા મુશ્કેલ બનશે કારણ કે તેમાંના ઘણા પર ભ્રષ્ટાચારનો આરોપ છે.

આમ આદમી પાર્ટી માટે સંતોષકારક વાત એ છે કે તેનો વોટ શેર ભાજપ કરતા માત્ર બે ટકા ઓછો છે.

‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ એ લખ્યું છે કે દિલ્હીમાં ભાજપે હવે શાસન સંબંધિત વચનો પૂરા કરવા પડશે કારણ કે તેણે ભ્રષ્ટાચાર અને બિનશાસનના મુદ્દા પર આમ આદમી પાર્ટીને ઘેરી લીધી હતી.

અખબાર લખે છે કે, “ભાજપે જીત માટે જોરદાર ઝુંબેશ ચલાવી અને કહ્યું કે તે ડબલ એન્જિન સરકાર છે અને તેનાથી દિલ્હીમાં ઘણો વિકાસ થશે. તેથી, સૌ પ્રથમ તેને રાજધાનીને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે એક ઝુંબેશ શરૂ કરવી પડશે. તો તેમણે યમુનાની સફાઈ પર કામ કરવું પડશે.

અખબાર લખે છે કે ‘ભાજપે આમ આદમી પાર્ટીની મોટાભાગની કલ્યાણકારી યોજનાઓ જાળવી રાખવાનું વચન આપ્યું છે. ભાજપે આ વચન પૂરું કરવું પડશે. આ ઉપરાંત, તેણે સુશાસન અને સામાજિક શાંતિ પણ જાળવી રાખવી પડશે. દિલ્હીમાં સરેરાશ વાર્ષિક માથાદીઠ આવક 4.60 લાખ રૂપિયા છે. દિલ્હીના લોકોએ ભાજપને દિલ્હીને વધુ સારૂં બનાવવા માટે મત આપ્યા છે.

‘શરૂઆત એક જન આંદોલન તરીકે પણ હવે ફક્ત એક રાજકીય પક્ષ’

વિદેશી મીડિયામાં પણ દિલ્હીમાં ભાજપની જીતની ચર્ચા થઈ રહી છે. કતારના મીડિયા આઉટલેટ ‘અલ જઝીરા’ એ વિશ્લેષક નીલાંજન સરકારના હવાલાથી લખ્યું છે કે આમ આદમી પાર્ટી જે એક સમયે જન આંદોલન તરીકે જન્મી હતી, તે હવે ફક્ત એક રાજકીય પક્ષ બની ગઈ છે.

આ દરમિયાન વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક રશીદ કિદવઈએ અલ જઝીરાને જણાવ્યું હતું કે “દિલ્હી એક ‘નાનું ભારત’ છે. અહીં દેશના વિવિધ ભાગોના લોકોની નોંધપાત્ર વસ્તી છે. ભાજપે બતાવ્યું છે કે જો તે દિલ્હી જીતી શકે છે, તો તે ગમે ત્યાં જીતી શકે છે.”

અલ જઝીરાએ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના રાજકીય વિજ્ઞાનના પ્રોફેસર નિવેદિતા મેનનને ટાંકીને કહ્યું, “એવું લાગે છે કે ભાજપ હવે ક્યારેય કોઈ ચૂંટણી હારશે નહીં. તેમણે સિસ્ટમ પર સંપૂર્ણ કબજો કરી લીધો છે.”

પાકિસ્તાનના અખબાર ‘ડોન’એ લખ્યું છે કે સામાન્ય ચૂંટણી પહેલા કેજરીવાલ વિપક્ષી ગઠબંધનનો એક મહત્વપૂર્ણ સ્તંભ હતા.

અખબારે નવી દિલ્હી સ્થિત થિંક ટેન્ક સેન્ટર ફોર પોલિસીના ફેલો રાહુલ વર્માને ટાંકીને કહ્યું કે કેજરીવાલના ગઢ દિલ્હીમાં થયેલા પરાજયથી ભાજપ ફરી “ખૂબ જ મજબૂત સ્થિતિમાં” આવી ગઈ છે.

રાહુલ વર્માએ કહ્યું, “હવે એવું લાગે છે કે સામાન્ય ચૂંટણીમાં જે બન્યું તે ભાજપની કામચલાઉ ભૂલ હતી. દિલ્હીમાં ભાજપની જીતે આમ આદમી પાર્ટીને ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકી દીધી છે.”

‘ડોને’ લખ્યું કે અઠવાડિયા સુધી ચાલેલા ચૂંટણી પ્રચાર દરમિયાન દિલ્હીના ગંભીર વાયુ પ્રદૂષણ સંકટ વિશે બહુ ઓછું કહેવામાં આવ્યું હતું. આ પ્રદૂષણ મહિનાઓ સુધી શહેરને ખતરનાક ધુમાડામાં ડૂબેલું રાખે છે.

આ પણ વાંચો- Delhi: દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ રાજીનામું આપ્યું, LGએ વિધાનસભાનો કર્યો ભંગ

ધુમ્મસની દ્રષ્ટિએ નવી દિલ્હીને વિશ્વના સૌથી ખરાબ રાજધાની શહેરોમાંનું એક ગણવામાં આવે છે.

હવે જ્યારે કેન્દ્ર અને રાજધાની દિલ્હીમાં ભાજપની સરકાર બનશે ત્યારે જોવાનું એ રહે છે કે તે આ ખતરનાક સંકટનો શું ઉકેલ શોધે છે?

ગલ્ફ ન્યૂઝે લખ્યું, “હરિયાણા અને મહારાષ્ટ્ર રાજ્યોમાં વિજય પછી દિલ્હીમાં વિજય છેલ્લા ચાર મહિનામાં ભાજપ માટે ત્રીજી મોટી ચૂંટણી સફળતા છે. આ જીત ભાજપને ગયા વર્ષની રાષ્ટ્રીય ચૂંટણીઓમાં મળેલા પરાજયમાંથી બહાર નીકળવામાં મદદ કરશે એટલું જ નહીં, પરંતુ એ પણ સંકેત આપશે કે મતદારોએ બજેટમાં મોદી સરકારે મધ્યમ વર્ગને આપેલી કર રાહતનો ખુશીથી સ્વીકાર કર્યો છે.

અખબારે સેન્ટર ફોર પોલિસી રિસર્ચના ફેલો રાહુલ વર્માને ટાંકીને કહ્યું કે, “ભાજપના ખાતામાં વધુ એક સિદ્ધિ ઉમેરાઈ છે.” દિલ્હી જીતવું તેના માટે મોટી વાત છે.

બાંગ્લાદેશના અખબાર ‘ઢાકા ટ્રિબ્યુન’ એ પણ દિલ્હીમાં પ્રદૂષણનો મુદ્દો ઉઠાવ્યો છે. એવું લખવામાં આવ્યું છે કે વાયુ પ્રદૂષણની દ્રષ્ટિએ દિલ્હી સૌથી ખરાબ રાજધાનીઓમાંની એક છે. આ વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના ધોરણો કરતા 60 ગણું વધારે છે.

અખબારે લખ્યું કે “પ્રદૂષણની સમસ્યાને ઉકેલવા માટે વર્ષોથી ટુકડા-ટૂકડાઓઓમાં સરકારની પહેલ નિષ્ફળ ગઈ છે. ભાજપ આ સમસ્યાનો ઉકેલ લાવી શકશે કે નહીં તે જોવાનું બાકી છે.”

રાજધાનીના શાસન પર રહેશે નજર

બ્રિટિશ અખબાર ‘ગાર્ડિયન’ એ લખ્યું છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણી ભાજપ માટે એક મોટા પ્રોત્સાહન તરીકે જોવામાં આવી રહી છે, જે ગયા વર્ષે લોકસભામાં પોતાના દમ પર બહુમતી મેળવવામાં નિષ્ફળ રહી હતી.

આ અખબાર લખે છે, “જોકે, ગયા વર્ષે હરિયાણા અને મહારાષ્ટ્રમાં બે વિધાનસભા ચૂંટણી જીતીને તેણે ગુમાવેલું સ્થાન પાછું મેળવ્યું છે. દિલ્હી ચૂંટણી પહેલા ભાજપે પગારદાર મધ્યમ વર્ગને ટેક્સ ભેટ આપી છે અને આમ આદમી પાર્ટી દ્વારા ચલાવવામાં આવતી મફત યોજનાઓ કરતાં વધુ સારી યોજનાઓની જાહેરાત કરી છે.

અખબારે લખ્યું, “બીજી બાજુ કથિત દારૂ કૌભાંડમાં પાર્ટીના એક વરિષ્ઠ નેતા સાથે કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. જોકે, કેજરીવાલે કહ્યું હતું કે આ એક રાજકીય ષડયંત્રનો ભાગ છે. ભ્રષ્ટાચાર કૌભાંડો પર લોકોના ગુસ્સાનો લાભ લઈને કેજરીવાલે 2012 માં આમ આદમી પાર્ટીની રચના કરી હતી.

“કેજરીવાલની ગરીબ-લક્ષી નીતિઓ સરકારી શાળાઓમાં સુધારો કરવા અને સસ્તી વીજળી, મફત આરોગ્યસંભાળ અને મહિલાઓ માટે બસ સેવાઓ પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.” હવે આપણે જોવાનું છે કે રાજધાની દિલ્હીમાં ભાજપ સરકારનું શાસન કેવું રહેશે.

અમેરિકન અખબાર ‘વોશિંગ્ટન પોસ્ટે’ એસોસિએટેડ પ્રેસને ટાંકીને અમિત શાહનું વિજય પછીનું નિવેદન પ્રકાશિત કર્યું છે.

અમિત શાહે કહ્યું કે તેમની પાર્ટીની જીત દર્શાવે છે કે લોકોને દરેક વખતે જુઠ્ઠાણાથી ગેરમાર્ગે દોરી શકાતા નથી.

તેમણે કહ્યું કે મોદીના નેતૃત્વમાં ભાજપ તમામ વચનો પૂરા કરશે અને નવી દિલ્હીને વિશ્વની નંબર 1 રાજધાની બનાવશે.

આમ આદમી પાર્ટીની હાર બાદ તેના કન્વીનર અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું, “અમે છેલ્લા દસ વર્ષમાં દિલ્હીમાં આરોગ્ય, શિક્ષણ અને માળખાગત સુવિધાઓના ક્ષેત્રમાં ઘણું કામ કર્યું છે. અમે ફક્ત રચનાત્મક વિપક્ષની ભૂમિકા જ નહીં ભજવીએ પણ લોકોની વચ્ચે રહીશું અને તેમની સેવા કરતા રહીશું.

આ પણ વાંચો- દિલ્હીમાં હાર પછી આમ આદમી પાર્ટીની આગળની વ્યૂહરચના શું હશે?

Related Posts

TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?
  • April 29, 2025

TATA company Dwarka devastation: દ્વારકામાં ટાટા કેમિકલ કંપનીનો કહેર વર્તાયો છે. કંપનીનું ગંદુ પાણી છોડતાં 12થી 13 ગામોની જમીન બગડી ગઈ છે. કૂવાના પાણી ખારા થઈ ગયા છે. જેથી અહીં…

Continue reading
Ahmedabad: ચંડોળામાં વર્ષો પછી કેમ દેખાયું સરકારને દબાણ?
  • April 29, 2025

Ahmedabad: અમદાવાદમાં દબાણો હટાવવાનું કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે. આજ સવારથી અમદાવાદના ચંડોળા વિસ્તારમાં અત્યાર સુધીનું સૌથી મોટું દબાણ હટાવવાનું કામ થઈ રહ્યું છે. બીજી બાજુ દબાણો હટાવવાની કામગીરીનો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

  • April 29, 2025
  • 5 views
China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

  • April 29, 2025
  • 14 views
Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

  • April 29, 2025
  • 19 views
Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

  • April 29, 2025
  • 21 views
MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

  • April 29, 2025
  • 29 views
TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

  • April 29, 2025
  • 33 views
Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના