ભાજપ બંધારણમાંથી Socialist અને Secular શબ્દોને હટાવવવા કેમ માગે છે?

ભારતીય જનતા પાર્ટી (BJP) સરકાર બંધારણની પ્રસ્તાવનામાંથી “સમાજવાદી” (Socialist) અને “ધર્મનિરપેક્ષ” (Secular) શબ્દોને હટાવવાની સતત માગ કરી રહી છે. આ મુદ્દે સતત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને BJPના કેટલાક નેતાઓના નિવેદનો આપતાં રહે છે. આ શબ્દો 1976માં 42મા બંધારણીય સુધારા દ્વારા ઇન્દિરા ગાંધી સરકારે બંધારણની પ્રસ્તાવનામાં ઉમેર્યા હતા.

BJP અને RSSના કેટલાક નેતાઓએ “સમાજવાદી” અને “ધર્મનિરપેક્ષ” શબ્દોને બંધારણની પ્રસ્તાવનામાંથી હટાવવાની હિમાયત કરી છે, દલીલ કરીને કે આ શબ્દો મૂળ બંધારણનો ભાગ ન હતા અને ઇમરજન્સી દરમિયાન ઉમેરાયા હતા. જોકે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે “ધર્મનિરપેક્ષતા” બંધારણની મૂળ રચનાનો હિસ્સો છે. BJPનું સત્તાવાર વલણ એ છે કે તેઓ બંધારણમાં ફેરફાર નહીં કરે, પરંતુ વિપક્ષ આ મુદ્દે સતત સરકારની નીયત પર સવાલ ઉઠાવે છે.

ભાજપ પર મતદારો ખતમ કરવાનો આરોપ

બીજી તરફ હવે બિહારમાં ચૂંટણી આવી રહી છે. ત્યારે એક મહિના પહેલા જ ભારતનું ચૂંટણી પંચ (ECI) નિયમિત અંતરે મતદાર યાદીઓનું સુધારણા કરવા તૈયારી કરી છે. ઈલેક્શન કમિશનનું કહેવું છે કે દરેક યોગ્ય નાગરિકનું નામ યાદીમાં શામેલ થાય અને બિનજરૂરી અથવા ખોટા નામો દૂર થાય. બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણી 2025ને ધ્યાનમાં રાખીને, ચૂંટણી પંચે વિશેષ ગહન પુનરીક્ષણ (Special Intensive Revision – SIR) ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશ 1 જુલાઈ, 2025થી શરૂ થવાની છે, જેમાં ઘરે-ઘરે ચકાસણી અને યોગ્ય મતદારોની ઓળખનો સમાવેશ થાય છે.

જોકે ઈલેક્શન કરમિશનનના આ નિર્ણય સામે પણ વિરોધ થઈ રહ્યો છે. કારણ ઈલેક્શન કમિશન મતદારોની ખરાઈ કરવાનું છે. જેમાં મતદારોને પુરાવા આપવા પડશે. આવું થશે ઘણા મતદારો મતદાન કરી શકશે નહીં. ભાજપ સરકાર પર મતદારો ખતમ કરવાનો આરોપો લગાવવામાં આવી રહ્યા છે. જેનો વિપક્ષ અને લોકો વિરોધ કરી રહ્યા છે.

વિપક્ષી પક્ષો (ખાસ કરીને RJD, કોંગ્રેસ અને મહાગઠબંધનના અન્ય પક્ષો) નો આરોપ છે કે ચૂંટણી પંચે 2003 પછી નોંધાયેલા મતદારો પાસેથી નાગરિકતાના પુરાવા માંગ્યા છે. આને તેઓ “ખફી NRC” (નાગરિકતા રજિસ્ટરની ગુપ્ત પ્રક્રિયા) તરીકે ગણાવે છે.
આવી માંગ ખાસ કરીને લઘુમતી સમુદાયો (જેમ કે મુસ્લિમ અને નબળા વર્ગો) ને નિશાન બનાવવાનો પ્રયાસ હોઈ શકે, જે વિપક્ષના મતદાર આધારને અસર કરી શકે.

રાજકીય કારસો

બિહારમાં NDA (ભાજપ અને જેડીયુ) અને મહાગઠબંધન વચ્ચે તીવ્ર રાજકીય સ્પર્ધા છે. વિપક્ષનું માનવું છે કે આ ઝુંબેશ NDAના રાજકીય હિતોને અનુકૂળ થવા માટે હાથ ધરવામાં આવી છે, જેમાં વિપક્ષના મતદાર આધાર (ખાસ કરીને લઘુમતી અને ગરીબ વર્ગ) ને નબળો પાડવાનો પ્રયાસ થઈ શકે.

આ ઝુંબેશને 2025ની વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકીય ફાયદો મેળવવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે.

ત્યારે વધુ ચર્ચા જુઓ આ વીડિયોમાં.

આ પણ વાંચો:
 

 

Related Posts

RSS માં શું મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે?, જુઓ વીડિયો
  • August 18, 2025

હાલ ચર્ચાઓ થઈ રહી છે કે RSS ના વર્તમાન સંચાલક મોહન ભાગવત નિવૃતિ લઈ શકે છે. અત્યાર સુધી કોઈ જીવતે જીવત નિવૃતિ લીધી નથી. જો કે મોહન ભાગવત લઈ શકે…

Continue reading
Bengaluru: PM મોદીનો નવો ચમત્કાર, રવિવારે સ્કૂલે જતાં વિદ્યાર્થીઓને મળ્યા
  • August 10, 2025

Bengaluru: આજે બેંગલુરુના કેએસઆર રેલવે સ્ટેશન પર ત્રણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી. આ વિદ્યાર્થીઓ વંદે ભારત…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: હાથથી દબાવી સાપને મારી નાખ્યો, પછી યુવકના કેવા થયા હાલ?

  • August 18, 2025
  • 5 views
UP: હાથથી દબાવી સાપને મારી નાખ્યો, પછી યુવકના કેવા થયા હાલ?

UP: યુવકે બ્રિટિશ નાગરિક બની યુવતીને છેતરી, અશ્લીલ વીડિયો વાયરલ થવાની ધમકીથી યુવતીએ જીવન ટુંકાવ્યું

  • August 18, 2025
  • 4 views
UP: યુવકે બ્રિટિશ નાગરિક બની યુવતીને છેતરી, અશ્લીલ વીડિયો વાયરલ થવાની ધમકીથી યુવતીએ જીવન ટુંકાવ્યું

UP: 10 વર્ષના પિતરાઈ ભાઈનું અપહરણ કર્યું, પકડાઈ જવાના ડરથી માસૂમને મારી નાખ્યો, પોલીસે એન્કાઉન્ટરમાં આરોપીને બંન્ને પગમાં ગોળી મારી

  • August 18, 2025
  • 4 views
UP: 10 વર્ષના પિતરાઈ ભાઈનું અપહરણ કર્યું, પકડાઈ જવાના ડરથી માસૂમને મારી નાખ્યો, પોલીસે એન્કાઉન્ટરમાં આરોપીને બંન્ને પગમાં ગોળી મારી

Rajasthan: ડ્રમમાં પતિનો મૃતદેહ, ઓગળવા માટે મીઠું નાખ્યું, પત્ની-બાળકો ઘરમાલિકના પુત્ર સાથે ફરાર

  • August 18, 2025
  • 12 views
Rajasthan: ડ્રમમાં પતિનો મૃતદેહ, ઓગળવા માટે મીઠું નાખ્યું, પત્ની-બાળકો ઘરમાલિકના પુત્ર સાથે ફરાર

GST News: GST મામલે ગોદી મીડિયાના સુત્રો મોદી કરતા મોખરે!

  • August 18, 2025
  • 16 views
GST  News: GST મામલે ગોદી મીડિયાના સુત્રો મોદી કરતા મોખરે!

visits India: ચીની વિદેશ મંત્રી વાંગ યીની ભારતની મુલાકાતે, શું સીમા વિવાદ ઉકેલાશે?

  • August 18, 2025
  • 22 views
visits India: ચીની વિદેશ મંત્રી વાંગ યીની ભારતની મુલાકાતે, શું સીમા વિવાદ ઉકેલાશે?