BJP નેતા અને યુટ્યુબર Manish Kashyap ને હોસ્પિટલમાં ડોક્ટરોએ કેમ માર માર્યો,જાણો શું બની હતી ઘટના?

  • India
  • May 20, 2025
  • 1 Comments

Manish Kashyap: બિહારના પટનાથી આ સમયે મોટા સમાચાર સામે આવ્યા છે. આ મામલો બિહારના પ્રખ્યાત યુટ્યુબર અને ભાજપ નેતા મનીષ કશ્યપ સાથે સંબંધિત છે. મનીષ કશ્યપ વિશે ચર્ચા હતી કે સોમવારે પટના મેડિકલ કોલેજ હોસ્પિટલમાં (PMCH) તેમને માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાથી પટનાની પ્રખ્યાત મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં (PMCH) હોબાળો મચી ગયો હતો. કહેવામાં આવી રહ્યુ છે કે, પીએમસીએચમાં વીડિયો બનાવતી વખતે ઝઘડો થયો જેથી ડોક્ટરોએ ભાજપના નેતા અને યુટ્યુબર મનીષ કશ્યપને માર માર્યો અને તેમનો મોબાઈલ છીનવી લીધો તેમજ તેમને 3 કલાક સુધી રૂમમાં બંધ પણ રાખ્યા હતા. આ ઘટનાથી સમગ્ર શહેરમાં સનસનાટી મચી ગઈ છે.

શું છે આખો મામલો?

સોમવારે (19 મે) બિહારની સૌથી મોટી હોસ્પિટલ પીએમસીએચમાં ભાજપના નેતા અને યુટ્યુબર મનીષ કશ્યપ એક દર્દીની મદદ માટે પીએમસીએચ પહોંચ્યા હતા. આ સમય દરમિયાન, તેમણે હોસ્પિટલની ખામીઓ વિશે વીડિયો બનાવવાનું શરૂ કર્યું. આ દરમિયાન ફરજ પરની એક મહિલા ડૉક્ટર સાથે તેનો ઝઘડો થયો. મામલો એટલો વધી ગયો કે અન્ય ડોક્ટરોએ મનીષનો વિરોધ કર્યો અને તેને ધક્કો માર્યો. ડોક્ટરોએ મનીષનો રેકોર્ડ કરેલો વીડિયો પણ ડિલીટ કરાવી દીધો.જે બાદ મનીષને લગભગ 3 કલાક સુધી રૂમમાં બંધ રાખવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે મનીષે ડોક્ટરોની માફી માંગી હતી, ત્યારબાદ મામલો શાંત થયો. ભાજપના નેતાઓના હસ્તક્ષેપ બાદ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. મનીષ ત્યાંથી તેના મિત્ર મણિ દ્વિવેદી સાથે કાર દ્વારા રવાના થયો.

પોલીસે શું કહ્યું

મનીષ પર હુમલાના સમાચાર ફેલાતા જ તેમના સમર્થકો પીએમસીએચની બહાર એકઠા થઈ ગયા હતા. અને આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. આ મામલે પટના સદરનાં એએસપી દીક્ષાએ જણાવ્યું હતું કે, “હજી સુધી કોઈએ ફરિયાદ નોંધાવી નથી. મારામારીની જાણ થઈ છે. ફરિયાદ મળ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે. જો કે, કહેવામાં આવી રહ્યું છે કે, બાદમાં બંને વચ્ચે મામલો ઉકેલાઈ ગયો. બંનેમાંથી કોઈએ પોલીસ સ્ટેશનમાં કોઈ અરજી આપી નથી. પોલીસે પુષ્ટિ આપી હતી કે ધક્કામુક્કી અને મારપીટ થઈ હતી, પરંતુ કોઈ ગંભીર હુમલો થયો નથી અને બંને પક્ષો દ્વારા કોઈ ફરિયાદ નોંધાઈ નથી.

મનીષ અગાઉ પણ રહી ચૂક્યા છે વિવાદોમાં

મનીષ કશ્યપ અગાઉ તમિલનાડુમાં બિહારી મજૂરો પર થતી હિંસાનો નકલી વીડિયો શેર કરવા બદલ મુશ્કેલીમાં મુકાઈ ચૂક્યા છે. બિહાર પોલીસના આર્થિક ગુના એકમે તેમની વિરુદ્ધ FIR નોંધી હતી. ધરપકડથી બચવા માટે, મનીષ ઘણા દિવસો સુધી ફરાર રહ્યો હતો. 18 માર્ચ, 2023 ના રોજ, બેતિયા પોલીસે તેનું ઘર જપ્ત કરવાનું શરૂ કર્યું, ત્યારબાદ તેણે શિકારપુર પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું. EOU એ તેને કસ્ટડીમાં લીધો અને જેલમાં મોકલી દીધો. ડિસેમ્બર 2023 માં, મનીષને કોર્ટમાંથી જામીન મળ્યા હતા.

આ પણ વાંચોઃ

Panchmahal: સરકાર ગમાણી ગામે અજવાળું ક્યારે કરશે?, 6 પરિવારોને વીજળીના વલખાં!

Jyoti Malhotra બાદ Youtuber Priyanka Senapati પણ પાકિસ્તાની જાસૂસ નિકળી?

Jyoti Malhotra જેવા દેશભક્તિનો ઢોંગ કરતા હજુ કેટલા પાકિસ્તાની જાસૂસો હશે ?

Kheda: ડીજે વગાડતા પહેલા સાવધાન, કલેક્ટરે ડીજે પર પ્રતિબંધ ફરમાવ્યો, થશે કડક કાર્યવાહી

Surat: ગેંગરેપની ઘટનામાં BJPના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાયની ધરપકડ

Dahod Mgnrega Scam: આખરે ભ્રષ્ટાચારનો ઘડો ફૂટ્યો ! મંત્રી બચુ ખાબડનો બીજો પુત્ર પણ પોલીસના સકંજામાં

Pakistan Target on Golden Temple: સેનાએ સુવર્ણ મંદિર અને પંજાબના શહેરોને કેવી રીતે બચાવ્યા?

મમતા બેનર્જીએ મિશન ‘પાક એક્સપોઝ’થી રાખ્યું અંતર, Yusuf Pathan નું પ્રતિનિધિમંડળ સાથે ન જવાનું શું છે કારણ?

ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ધ્વસ્ત કરી દુશ્મનની ચોકીઓ, જુઓ Operation Sindoor નો નવો વીડિયો

 ISRO નું EOS-09 મિશન કેવી રીતે નિષ્ફળ ગયું ? લોન્ચ થયા પછી 9મી મિનિટે થયું આવું…

Delhi: વાવાઝોડામાં રેપિડ મેટ્રો સ્ટેશનની છતનો શેડ ઉડ્યો, 4 મહિના પહેલા મોદીએ કર્યું હતું ઉદ્ઘાટન

Hyderabad Fire incident: ચારમીનાર નજીક ભીષણ આગ, 17 લોકોના મોત

શું Jyoti Malhotra પોતાના જ વીડિયોના કારણે ફસાઈ ગઈ, પાકિસ્તાની કનેક્શન કેવી રીતે ખુલ્યું?

Vadodara: તંત્રની ભૂલ કે સરકારની ચાપલૂસી ! સરકાર સામે અવાજ ઉઠાવનાર આશિષ જોષીને આપેલ નોટીસ પરત ખેંચવી પડી

Solapur Fire: મહારાષ્ટ્રના સોલાપુરમાં ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 થી 6 લોકો ફસાયા

surendranagar: નશાબંધીના કાયદાના લીરેલીરા ઉડાવતા ભાજપ ધારાસભ્ય, શું હવે પોલીસ કરશે કાર્યવાહી ?

ED raids: ભૂતપૂર્વ કોર્પોરેટરના ઘરે ED ના દરોડા, લાકડાના દરવાજા પાછળ કબાટમાં છુપાવ્યા હતા લાખો રુપિયા

Kedarnath Dham Helicopter Crash : મેડિકલ ઇમરજન્સી માટે AIIMSથી પહોંચેલું હેલિકોપ્ટર ક્રેશ, મુસાફરોનું શું થયું?

Gujarat Samachar પરના દરોડા કેસમાં હવે શું મોટુ થવાનું છે ?

surat:ચાલુ કથામાં આગતા સ્વાગતાથી પાટીલના પુત્ર પર કથાકારનો પારો છટક્યો, જાહેરમાં જ કરી નાખી ફજેતી

Edi Rama and Giorgia Meloni: જ્યોર્જિયા મેલોનીના સન્માન માટે ઘૂંટણિયે બેઠાં આલ્બેનિયાના PM,કર્યું હૃદયસ્પર્શી સ્વાગત

Dahod: મનરેગા કૌભાંડનો રેલો મંત્રી પુત્ર સુધી પહોંચ્યો ખરો, બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડને પોલીસે ઝડપ્યો

Doha Diamond League 2025: 90 મીટરથી વધુનો ઐતિહાસિક થ્રો ફેંક્યો છતાં નીરજ ચોપરા ન બન્યા ચેમ્પિયન, શું છે કારણ ?

Amreli: વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ કર્યો આપઘાત, આરોપી ભાજપ ઉપપ્રમુખની ધરપકડ

ચુકવાતા સયાજી હોસ્પિ.ના સફાઈ કર્મીઓના ધરણાં, ઉચ્ચારી આંદોલનની ચીમકી

Gujarat Samachar પર રેડ પડવા પાછળ સરકાર વિરોધી લખાણ નહીં, આ છે અસલી કારણો!

tsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

 

  • Related Posts

    India Census: 2027 માં વસ્તી ગણતરી થશે, જાતિગત વસ્તીગણતરીનો કોઈ ઉલ્લેખ નહીં
    • June 16, 2025

    India Census 2027: ભારત સરકારે જાહેરાત કરી છે કે દેશની આગામી વસ્તી ગણતરી(India Census) વર્ષ 2027 માં હાથ ધરવામાં આવશે. આ માટે ગૃહ મંત્રાલય દ્વારા એક સૂચના બહાર પાડવામાં આવી…

    Continue reading
    New Delhi: લીગલ રાઈટ્સ કાઉન્સિલ ઈન્ડિયાની ઐતિહાસિક બેઠક: મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન, નવા નેતૃત્વની પસંદગી
    • June 16, 2025

    New Delhi: નવી દિલ્હીના કોન્સ્ટિટ્યુશનલ ક્લબ ખાતે લીગલ રાઈટ્સ કાઉન્સિલ ઈન્ડિયાની રાષ્ટ્રીય અને રાજ્ય કાર્યકારિણીની બેઠક અત્યંત સફળતાપૂર્વક સંપન્ન થઈ. આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્યામ જાજુ…

    Continue reading

    One thought on “BJP નેતા અને યુટ્યુબર Manish Kashyap ને હોસ્પિટલમાં ડોક્ટરોએ કેમ માર માર્યો,જાણો શું બની હતી ઘટના?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    સુરત એરપોર્ટના જોખમો: વિમાનના રનવે નીચે ગટર, ONGC પાઇપલાઇન, પછી શું થાય!

    • June 16, 2025
    • 0 views
    સુરત એરપોર્ટના જોખમો: વિમાનના રનવે નીચે ગટર, ONGC પાઇપલાઇન, પછી શું થાય!

    Iran-israel War: ઈરાન-ઇઝરાયલ યુદ્ધથી ભારતને કયા પડકારોનો સામનો કરવો પડશે?

    • June 16, 2025
    • 4 views
    Iran-israel War: ઈરાન-ઇઝરાયલ યુદ્ધથી ભારતને કયા પડકારોનો સામનો કરવો પડશે?

    India Census: 2027 માં વસ્તી ગણતરી થશે, જાતિગત વસ્તીગણતરીનો કોઈ ઉલ્લેખ નહીં

    • June 16, 2025
    • 10 views
    India Census: 2027 માં વસ્તી ગણતરી થશે, જાતિગત વસ્તીગણતરીનો કોઈ ઉલ્લેખ નહીં

    Surat: કુમાર છાત્રાલયની હોસ્ટેલમાં 14 વર્ષીય વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાધો, સુસાઈડ નોટમાં શું લખ્યું?

    • June 16, 2025
    • 6 views
    Surat: કુમાર છાત્રાલયની હોસ્ટેલમાં 14 વર્ષીય વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાધો, સુસાઈડ નોટમાં શું લખ્યું?

    New Delhi: લીગલ રાઈટ્સ કાઉન્સિલ ઈન્ડિયાની ઐતિહાસિક બેઠક: મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન, નવા નેતૃત્વની પસંદગી

    • June 16, 2025
    • 11 views
    New Delhi: લીગલ રાઈટ્સ કાઉન્સિલ ઈન્ડિયાની ઐતિહાસિક બેઠક: મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન, નવા નેતૃત્વની પસંદગી

    Pune Train Fire: મહારાષ્ટ્રમાં પેસેન્જર ટ્રેનમાં આગ લાગતા અફરાતફરી, આગ લાગવાનું આ કારણ આવ્યું સામે

    • June 16, 2025
    • 4 views
    Pune Train Fire: મહારાષ્ટ્રમાં પેસેન્જર ટ્રેનમાં આગ લાગતા અફરાતફરી,  આગ લાગવાનું આ કારણ આવ્યું સામે