
ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડસેની પ્રશંસા કરતી પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકવા બદલ મહિલા પ્રોફેસરને જેલ થઈ હતી. હાલ તે મહિલા જામીન પર જેલ બહાર છે. જો કે આજ મહિલાને આયોજન અને વિકાસ વિભાગમાં ડીન તરીકે નિયક્ત કરતાં ભારે વિરોધનો શૂર ઉઠ્યો છે. આ શૈજા અંદાવન નામના મહિલા કેરળના કાલિકટ સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (NIT)ની પ્રોફેસર છે.
સૂત્ર પાસેથી મળતી માહિતી અનુસાર નિયુક્તિની પસંદગીમાં વરિષ્ઠતાના માપદંડોને અવગણવામાં આવ્યા છે. મતલબ લાગવગથી તેમની નિમણૂક કરાઈ છે. વરિષ્ઠતાને ધ્યાને લેવાઈ નથી.
NITના મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના સિનિયર ફેકલ્ટી સભ્ય શૈજા અંદવને 30 જાન્યુઆરી, 2024ના રોજ શહીદ દિવસ નિમિત્તે ફેસબુક પર એક પોસ્ટ કરી હતી, જેમાં તેમણે લખ્યું હતુ કે ‘ભારતને બચાવવા બદલ ગોડસે પર ગર્વ છે.’
આ પછી, સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI), ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઈન્ડિયા (DYFI), યુથ કોંગ્રેસ અને મુસ્લિમ સ્ટુડન્ટ્સ ફેડરેશન (MSF) સહિત વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં તેમની વિરુદ્ધ અનેક ફરિયાદો દાખલ કરવામાં આવી હતી.
ગયા વર્ષે ગોડશેની પ્રશંસા કરી હતી
ઉલ્લેખનયી છે કે ગયા વર્ષે 20 ફેબ્રુઆરીના રોજ કુન્નામંગલમ કોર્ટે શૈજા અંદવનને જામીન આપ્યા તે પહેલાં તેમની તેમના નિવાસસ્થાન અને પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરવામાં આવી હતી. જોકે વિવાદ પછી તેણે આ ટિપ્પણી ડિલીટ કરી દીધી હતી, પરંતુ તેના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા હતા.
મહિલા પ્રોફેસરે પછી શું આપ્યો હતો જવાબ
ગોડસેની ખોટી પ્રશંસા કરીને ફસાયેલા મહિલા પ્રોફેસર શૈજાએ પત્રકારોને કહ્યું હતું કે, ‘મારી ટિપ્પણી ગાંધીજીની હત્યારાના વખાણ કરવા માટે નહોતી.’ હું ક્યારેય આ કરવા માંગતો ન હતી. મેં ગોડસેનું પુસ્તક ‘વાય આઈ કિલ્ડ ગાંધી’ વાંચ્યું હતું. ગોડસે પણ સ્વતંત્રતા સેનાની હતા.
ગોડેસનું પુસ્તક વાચ્યા બાદ લખ્યું હતુ
તેમણે આગળ કહ્યું, ‘ગોડસેના પુસ્તકમાં ઘણી બધી માહિતી અને ખુલાસાઓ છે જેના વિશે સામાન્ય વ્યક્તિ જાણતો નથી.’ મેં ગોડસેના પુસ્તકની પૃષ્ઠભૂમિમાં વકીલની ફેસબુક પોસ્ટ પર ટિપ્પણી કરી હતી. જ્યારે મને ખ્યાલ આવ્યો કે લોકો મારી ટિપ્પણીને તોડી-મરોડીને રજૂ કરવા લાગ્યા છે, ત્યારે મેં તે ટિપ્પણી ડિલીટ કરી દીધી હતી.
આ પણ વાંચોઃ Waqf Bill 2025: કેબિનેટમાં વક્ફ બિલને મંજૂરી, સરકાર બજેટ સત્રના બીજા તબક્કામાં રજૂ કરી શકે