Ahmedabad: ભૂપેન્દ્ર પટેલ સત્તા બચાવવા માગતા હોય તો લોકોના ઘર ફરીથી બનાવી દે: ઈસુદાન ગઢવી

  • Gujarat
  • January 27, 2025
  • 0 Comments

Ahmedabad: અમદાવાદમાં હાલ અનેક સ્થળો પર લોકોને બેઘર કરી તંત્ર દબાણો હટાવી રહ્યું છે. ઓઢવ વિસ્તારમાં આવેલી રબારી વસાહતના મકાનો તાનાશાહી ઢબે તોડી પાડવામાં આવ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે પહેલા ગાય છોડાવી હવે ઘર છીનવી લીધા. અમારી પાસે ટેક્સ પણ વસૂલાયો છે. જો વસાહત ગેરકાયદેસર હોત તો ટેક્સ કેવી રીતે વસૂલ્યો તેવા સવાલ કર્યા છે. રબારી સમાજનો આક્ષેપ છે કે પહેલા શહેરમાં ગાયો ન રાખી શકો તેમ કહી ગાયો કઢાવી હવે, તે જગ્યા પર અમે ઘરો બનાવ્યા હતા. હવે આ જગ્યા પર બનાવેલા ઘરો તોડી પાડવામાં આવ્યા.   જેથી તાનાશાહી તંત્ર સામે રબારી સમાજે ફિટકાર વરસાવી છે. સાથે જ વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી આપવામાં કરી છે. તેમનો આક્ષેપ છે કે અમારા દબાણો તોડી અહીં બગીચો બનાવવા માગે છે.

 

બેઘર બનેલા રબારી સામજના લોકોની AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી(Isudan Gadhvi)એ મુલાકાત લીધી છે. ઓઢવ વિસ્તારમાં રબારી કોલોનીની આવેલી છે. જ્યા રબારી સમાજના મકાનો તોડી પાડવામાં આવ્યા છે. અહીં મુલાકાત લઈ ઈસુદાન ગઢવીએ કહ્યું કે ગુજરાતની સ્થાપના થઈ તે પહેલાના મકાનોને હિટલરશાહી રૂપે તોડી નાખવામાં આવ્યા છે. સરકાર, કોર્પોરેશન અને નેતાઓની મિલીભગતના કારણે લોકોના મકાનો તોડવામાં આવ્યા છે. આ મુદ્દે તમામ લોકો પર ફરિયાદ થઈ શકે છે.

 

 

માલધારીઓના ઘર પાછા નહીં બને તો ભાજપના નેતાઓના ગેરકાયદેસરના મકાનો તોડીશું

વધુમાં ઈસુદાન ગઢવીએ કહ્યું આ મુદ્દા પર થોડા સમય બાદ ફેસબૂક પર 5000 માલધારીઓ લાઈવ થઈશું. વિજય રૂપાણીએ ગુજરાત છોડવું પડ્યું તેમ ભૂપેન્દ્ર પટેલે પણ ગુજરાત છોડવું પડશે. ઈસુદાન ગઢવીએ કહ્યું 2027 પહેલા ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી પદેથી હટાવીશું. ભૂપેન્દ્ર પટેલ તેમની સત્તા બચાવવા માગતા હોય તો આ તમામ લોકોના ઘર ફરીથી બનાવી દે. કેટલાય ભાજપના નેતાઓએ ગેરકાયદેસર મકાનો બનાવ્યા છે, તો માલધારીઓના મકાન ફરીથી નહીં બનાવવામાં આવે તો ભાજપના નેતાઓના ગેરકાયદેસર મકાનો તોડીશું.

 

આ પણ જુઓઃ

આ પણ વાંચોઃ Surendranagar: નસબંધીના ઓપરેશન સમયે થયેલા મહિલાના મોત મામલે તપાસના આદેશ

  • Related Posts

    Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર
    • April 30, 2025

    Ahmedabad Chandola, Lake Demolition:  અમદાવાદના ચંડોળા તળાવ નજીક છેલ્લા 40 વર્ષથી રહેલાં લોકોના ઘરો-ઝુંપડાં તોડવાનું ગઈકાલ(29 એપ્રિલ) સાવારથી શરુ કર્યું છે. આજે બીજા દિવસે પણ ડિમોલેશનનું કામ ચાલું છે. 1…

    Continue reading
    China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ
    • April 29, 2025

    China Restaurant Fire:  ચીનના લિયાઓનિંગમાં એક દુ:ખ દુર્ઘટના ઘટી છે. અહીં એક રેસ્ટોરન્ટમાં આગ લાગવાથી 22 લોકોના મોત થયા છે. આગમાં ભયંકર રીતે 3 લોકો દાઝી ગયા છે. આગ લાગવાના…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર

    • April 30, 2025
    • 6 views
    Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર

    China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

    • April 29, 2025
    • 13 views
    China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

    Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

    • April 29, 2025
    • 24 views
    Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

    Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

    • April 29, 2025
    • 29 views
    Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

    MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

    • April 29, 2025
    • 28 views
    MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

    TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

    • April 29, 2025
    • 37 views
    TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?