Waqf Bill: વિપક્ષના હોબાળા વચ્ચે JPCએ વકફ સુધારા Billને આપી મંજૂરી, 14 ફેરફારો કરાશે

  • India
  • January 27, 2025
  • 0 Comments

Waqf Amendment Bill Approves: આજે સોમવારે વક્ફ(સુધારા) બિલની તપાસ કરી રહેલી જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી( JPC)એ શાસક ભાજપની આગેવાની હેઠળના એનડીએ સભ્યો દ્વારા પ્રસ્તાવિત તમામ સુધારાઓને સ્વીકારી લીધા છે. જ્યારે વિપક્ષી સભ્યોએ હોબાળો કરી રજૂ કરેલા દરેક સુધારાને નકારી કાઢ્યા છે. JPC એ જાહેરાત કરી કે ડ્રાફ્ટ રિપોર્ટ 28 જાન્યુઆરી સુધીમાં પ્રસારિત કરવામાં આવશે અને પછી 29 જાન્યુઆરીએ ઔપચારિક રીતે અપનાવવામાં આવશે.

લોકશાહી પ્રક્રિયાનો નાશ કરવાનો આરોપ

જોઈન્ટ પાર્લામેન્ટ કમિટીના અધ્યક્ષ જગદંબિકા પાલે બેઠક બાદ પત્રકારોને જણાવ્યું હતું કે સમિતિ દ્વારા અપનાવવામાં આવેલા સુધારા કાયદાને વધુ સારો અને અસરકારક બનાવશે. જોકે, વિપક્ષી સાંસદોએ બેઠકની કાર્યવાહીની ટીકા કરી અને જગદંબિકા પાલ પર લોકશાહી પ્રક્રિયાનો ‘નાશ’ કરવાનો આરોપ લગાવ્યો.

‘પાલે સરમુખત્યારશાહી રીતે કામ કર્યું’

ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ પત્રકારોને જણાવ્યું હતું કે, આજે તેમણે તે બધું કર્યું જે તેમણે પહેલા નક્કી કર્યું હતું. તેમણે કહ્યું  અમને કંઈ કહેવા ન દીધુ, કોઈ નિયમો અને પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું નથી. અમે સુધારાઓની દરેક કલમ ચર્ચા કરવા માંગતા હતા, પરંતુ અમને બોલવાની મંજૂરી આપવામાં આવી ન હતી.”

લોકશાહી માટે ખરાબ દિવસ

બેનર્જીએ વધુમાં કહ્યું કે JPCના અધ્યક્ષ જગદંબિકા પાલે સુધારા રજૂ કર્યા અને પછી અમારા મંતવ્યો સાંભળ્યા વિના તેની જાહેરાત કરી. આ લોકશાહી માટે ખરાબ દિવસ છે. તે જ સમયે, પાલે આ આરોપોને નકારી કાઢ્યા અને કહ્યું કે સમગ્ર પ્રક્રિયા લોકશાહી હતી અને બહુમતીના અભિપ્રાયને પ્રાથમિકતા આપવામાં આવી હતી.

NDAના બધા સુધારા સ્વીકારાયા, વિપક્ષના ન કર્યા

પાલે જણાવ્યું હતું કે બિલના 14 કલમોમાં NDA સભ્યો દ્વારા રજૂ કરાયેલા સુધારાઓને સ્વીકારવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે વિપક્ષી સભ્યોએ પણ અનેક સુધારા રજૂ કર્યા હતા. જોકે, તે બધાને નકારી કાઢવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે વકફ (સુધારા) બિલ 8 ઓગસ્ટ 2024 ના રોજ કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુ દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં તેને શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવે તેવી અપેક્ષા હતી પરંતુ વિગતવાર ચકાસણી માટે તેને JPC પાસે મોકલવામાં આવ્યું હતું.

આ પણ જુઓ:

Related Posts

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા
  • June 15, 2025

Maharashtra Pune, Indrayani river bridge Collapsed: મહારાષ્ટ્રના પૂણેમાં આવેલા પિંપરી ચિંચવાડમાં ઈન્દ્રાયણી નદી પરનો પુલ તૂટી પડ્યો. ઘટના સમયે ઘટનાસ્થળે ભારે ભીડ હતી અને પ્રારંભિક માહિતી મુજબ 20 થી 25…

Continue reading
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!
  • June 15, 2025

Adani’s Haifa port attack: ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનો સંઘર્ષ વધુ તીવ્ર બની રહ્યો છે. શનિવારે ઈરાને ઈઝરાયલના દરિયાકાંઠાના શહેર હાઈફાને નિશાન બનાવીને અનેક બેલિસ્ટિક મિસાઈલો છોડી હતી. હાઈફા ઈઝરાયલનું એક…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 16 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 22 views
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 12 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

  • June 15, 2025
  • 31 views
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

  • June 15, 2025
  • 18 views
Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ