
Bangladesh, chinmaya krishna das bail: દેશદ્રોહના આરોપમાં જેલમાં બંધ બાંગ્લાદેશી હિન્દુ સંત ચિન્મય કૃષ્ણ દાસને 156 દિવસની લાંબી કાનૂની લડાઈ બાદ આખરે રાહત મળી છે. બુધવારે બાંગ્લાદેશ હાઈકોર્ટે તેમને જામીન આપ્યા.
ઉલ્લેખનીય છે કે 25 નવેમ્બર 2024 ના રોજ ઢાકા એરપોર્ટ પરથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. ચિન્મય કૃષ્ણ દાસ પર હિન્દુ રેલી દરમિયાન બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાનો આરોપ હતો. જોકે ભારત અને આંતરરાષ્ટ્રીય સમુદાયે આ ધરપકડ પર તીવ્ર પ્રતિક્રિયા આપી હતી અને તેને ‘ન્યાયિક સતામણી’ ગણાવી હતી.
ચિન્મય દાસ ઇસ્કોનના પૂર્વ પૂજારી છે અને બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર થઈ રહેલા હુમલાઓ સામે સતત અવાજ ઉઠાવતા રહ્યા છે. આ સ્પષ્ટવક્તાને કારણે તેઓ સરકારના નિશાના પર આવી ગયા. તેમની ધરપકડ બાદ, બાંગ્લાદેશ અને ભારત બંનેમાં વિરોધ પ્રદર્શનો થયા હતા. તેમની જામીન અરજીઓ ઘણી વખત ફગાવી દેવામાં આવી હતી અને તે દરમિયાન, જેલમાં તેમની તબિયત બગડતી હોવાના અહેવાલો આવ્યા હતા. વકીલો અપૂર્વ કુમાર ભટ્ટાચાર્ય અને પ્રલાદ દેબનાથે કોર્ટને જણાવ્યું હતું કે આ કેસ રાજકીય દ્વેષથી પ્રેરિત છે અને દાસને તબીબી સુવિધાઓ પણ આપવામાં આવી રહી નથી.
હાઇકોર્ટથી રાહત, સુપ્રીમ કોર્ટમાં મુદ્દો અટવાયો
અરજી પર સુનાવણી કરતા, હાઈકોર્ટની બે સભ્યોની બેન્ચે દાસને જામીન આપ્યા છે. જોકે, સુપ્રીમ કોર્ટનું અપીલ વિભાગ આ નિર્ણય પર સ્ટે મૂકી શકે છે. જો આવું નહીં થાય, તો ચિન્મય દાસ ટૂંક સમયમાં જેલમાંથી મુક્ત થઈ શકે છે.
ભારત સરકારે પણ વિરોધ વ્યક્ત કર્યો
ભારત સરકારે પણ આ મુદ્દો ગંભીરતાથી ઉઠાવ્યો હતો અને બાંગ્લાદેશના અધિકારીઓ પાસેથી જવાબ માંગ્યો હતો. ભારતનું માનવું છે કે શેખ હસીના સરકારના પતન પછી, લઘુમતીઓ વિરુદ્ધ હિંસામાં વધારો થયો છે અને આવી ઘટનાઓ બંને દેશો વચ્ચેના સંબંધોને અસર કરી શકે છે.
બાંગ્લાદેશમાં 8% હિન્દુઓ પર હુમલા થાય છે
બાંગ્લાદેશની 17 કરોડ વસ્તીમાં હિન્દુઓ લગભગ 8% છે અને તાજેતરના મહિનાઓમાં દેશના 50 થી વધુ જિલ્લાઓમાં હિંદુઓ પર હુમલાઓ નોંધાયા છે. ચિન્મય દાસ આ હુમલાઓ સામે અવાજ ઉઠાવી રહ્યા છે. જેથી સરકાર તેમની સામે કેસ કરી કાર્યવાહી હાથ ધરી રહી છે. જોકે દાસ સરકારની આ કાર્યવાહીથી જરાય ડરતાં નથી અને હિંદુઓની સુરક્ષા માટે સતત અવાજ ઉઠાવી રહ્યા છે.
આ પણ વાંચોઃ
જર, જમીન ને જોરુ, કજિયાનાં છોરું: ગોંડલમાં આ છે ઝઘડાના મૂળ?, જુઓ વીડિયો
સીમા હૈદર પાકિસ્તાનનો કચરો, પાછી મોકલવી જોઈએ, મિથિલેશ ભાટી ગુસ્સે ભરાઈ
Junagadh: અમદાવાદની જેમ જૂનાગઢમાં મોટું દબાણ હટાવવાનું કામ, આ બેઘરોને છત કોણ આપશે?
Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર
Ahmedabad: 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!
Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું