Bangladesh: દેશદ્રોહના કેસમાં જેલમાં બંધ હિંદુ સંત ચિન્મય કૃષ્ણ દાસને મળ્યા જામીન

  • World
  • April 30, 2025
  • 5 Comments

Bangladesh, chinmaya krishna das bail:  દેશદ્રોહના આરોપમાં જેલમાં બંધ બાંગ્લાદેશી હિન્દુ સંત ચિન્મય કૃષ્ણ દાસને 156 દિવસની લાંબી કાનૂની લડાઈ બાદ આખરે રાહત મળી છે. બુધવારે બાંગ્લાદેશ હાઈકોર્ટે તેમને જામીન આપ્યા.

ઉલ્લેખનીય છે કે 25 નવેમ્બર 2024 ના રોજ ઢાકા એરપોર્ટ પરથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. ચિન્મય કૃષ્ણ દાસ પર હિન્દુ રેલી દરમિયાન બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાનો આરોપ હતો. જોકે ભારત અને આંતરરાષ્ટ્રીય સમુદાયે આ ધરપકડ પર તીવ્ર પ્રતિક્રિયા આપી હતી અને તેને ‘ન્યાયિક સતામણી’ ગણાવી હતી.

ચિન્મય દાસ ઇસ્કોનના પૂર્વ પૂજારી છે અને બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર થઈ રહેલા હુમલાઓ સામે સતત અવાજ ઉઠાવતા રહ્યા છે. આ સ્પષ્ટવક્તાને કારણે તેઓ સરકારના નિશાના પર આવી ગયા. તેમની ધરપકડ બાદ, બાંગ્લાદેશ અને ભારત બંનેમાં વિરોધ પ્રદર્શનો થયા હતા. તેમની જામીન અરજીઓ ઘણી વખત ફગાવી દેવામાં આવી હતી અને તે દરમિયાન, જેલમાં તેમની તબિયત બગડતી હોવાના અહેવાલો આવ્યા હતા. વકીલો અપૂર્વ કુમાર ભટ્ટાચાર્ય અને પ્રલાદ દેબનાથે કોર્ટને જણાવ્યું હતું કે આ કેસ રાજકીય દ્વેષથી પ્રેરિત છે અને દાસને તબીબી સુવિધાઓ પણ આપવામાં આવી રહી નથી.

હાઇકોર્ટથી રાહત, સુપ્રીમ કોર્ટમાં મુદ્દો અટવાયો

અરજી પર સુનાવણી કરતા, હાઈકોર્ટની બે સભ્યોની બેન્ચે દાસને જામીન આપ્યા છે. જોકે, સુપ્રીમ કોર્ટનું અપીલ વિભાગ આ નિર્ણય પર સ્ટે મૂકી શકે છે. જો આવું નહીં થાય, તો ચિન્મય દાસ ટૂંક સમયમાં જેલમાંથી મુક્ત થઈ શકે છે.

ભારત સરકારે પણ વિરોધ વ્યક્ત કર્યો

ભારત સરકારે પણ આ મુદ્દો ગંભીરતાથી ઉઠાવ્યો હતો અને બાંગ્લાદેશના અધિકારીઓ પાસેથી જવાબ માંગ્યો હતો. ભારતનું માનવું છે કે શેખ હસીના સરકારના પતન પછી, લઘુમતીઓ વિરુદ્ધ હિંસામાં વધારો થયો છે અને આવી ઘટનાઓ બંને દેશો વચ્ચેના સંબંધોને અસર કરી શકે છે.

બાંગ્લાદેશમાં 8% હિન્દુઓ પર હુમલા થાય છે

બાંગ્લાદેશની 17 કરોડ વસ્તીમાં હિન્દુઓ લગભગ 8% છે અને તાજેતરના મહિનાઓમાં દેશના 50 થી વધુ જિલ્લાઓમાં હિંદુઓ પર હુમલાઓ નોંધાયા છે. ચિન્મય દાસ આ હુમલાઓ સામે અવાજ ઉઠાવી રહ્યા છે. જેથી સરકાર તેમની સામે કેસ કરી કાર્યવાહી હાથ ધરી રહી છે. જોકે દાસ સરકારની આ કાર્યવાહીથી જરાય ડરતાં નથી અને હિંદુઓની સુરક્ષા માટે સતત અવાજ ઉઠાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ

જર, જમીન ને જોરુ, કજિયાનાં છોરું: ગોંડલમાં આ છે ઝઘડાના મૂળ?, જુઓ વીડિયો

સીમા હૈદર પાકિસ્તાનનો કચરો, પાછી મોકલવી જોઈએ, મિથિલેશ ભાટી ગુસ્સે ભરાઈ

Junagadh: અમદાવાદની જેમ જૂનાગઢમાં મોટું દબાણ હટાવવાનું કામ, આ બેઘરોને છત કોણ આપશે?

Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર

Ahmedabad: 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!  

Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું

Related Posts

Australia: ધરપકડ વખતે પોલીસે ગરદન પર ઘૂંટણ ટેકવી દેતાં ભારતીય મૂળના નાગરિકનું મોત
  • June 15, 2025

Australia: ઓસ્ટ્રેલિયાના એડિલેડના રોયસ્ટન પાર્કમાં પોલીસ એન્કાઉન્ટર દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયેલા ભારતીય મૂળના નાગરિક ગૌરવ કુંદી (ઉ.વ. 42)નું અવસાન થયું છે. આ ઘટનાએ ઓસ્ટ્રેલિયન પોલીસ દ્વારા કથિત રીતે વધુ…

Continue reading
Israel Iran War: ઈરાને રાતોરાત ઈઝરાયલમાં મચાવી તબાહી, અનેક શહેરોમાં વિસ્ફોટ, જાણો કેટલું નુકસાન થયું
  • June 14, 2025

Israel Iran War: ઈરાન અને ઇઝરાયલ વચ્ચે લાંબા સમયથી ચાલી આવતી દુશ્મનાવટ હવે ખતરનાક વળાંક લઈ રહી છે. બંને દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે. છેલ્લા બે દિવસથી, ઇઝરાયલ ડ્રોન…

Continue reading

One thought on “Bangladesh: દેશદ્રોહના કેસમાં જેલમાં બંધ હિંદુ સંત ચિન્મય કૃષ્ણ દાસને મળ્યા જામીન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 16 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 22 views
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 12 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

  • June 15, 2025
  • 31 views
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

  • June 15, 2025
  • 18 views
Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ