Gujarat: હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા અને ચિરાગ પટેલ સામે નોંધાયેલા રાજદ્રોહના કેસો સરકારે પરત ખેંચ્યા

  • Gujarat
  • February 7, 2025
  • 0 Comments

Gujarat News: પાટીદાર અનામત આંદોલન  મામલામાં રાજદ્રોહના કેસ પરત ખેંચી લેવામાં આવ્યા છે.  ગુજરાતમાં હાર્દિક પટેલ, દિનેશ બાંભણીયા,અલ્પેશ કથીરિયા, ચિરાગ પટેલ સામે નોંધાયેલ રાજદ્રોહ સહિતના કેસો સરકારે પરત ખેંચ્યા છે.

અંતે સરકારે હાર્દિકને આપેલું વચન પાળ્યું છે. હાર્દિક પટેલ સહિત અનેક લોકો સામે થયેલા કેસ પાછા ખેંચ્યા છે. હાર્દિક પટેલ હાલ ભાજપ પાર્ટીમાંથી ધારાસભ્ય છે.

દિનેશ બાંભણીયાએ ટ્વીટ પર આ માહિતી આપી છે. તેમણે મુખ્યમંત્રીને આભાર વ્યક્ત કરી પોસ્ટ શેર કરી છે. 14 જેટલા કેસ પરત ખેંચાઈ તેવી શક્યાતો છે.   જો કે હજુ સુધી સરકાર દ્વારા સત્તાવાર રીતે જાહેરાત થઈ નથી.

હાર્દિક પટેલે શું કહ્યું?

હાર્દિક પટેલે X પર લખ્યું આજે, ભૂપેન્દ્ર પટેલની સરકારે ગુજરાતમાં પાટીદાર આંદોલન દરમિયાન મારા સહિત સમાજના ઘણા યુવાનો સામે દાખલ કરાયેલા ગંભીર રાજદ્રોહના કેસ સહિતના કેસો પાછા ખેંચી લીધા છે. સમાજ વતી, હું ગુજરાતની ભાજપ સરકારનો ખાસ આભાર માનું છું.

પાટીદાર આંદોલનને કારણે ગુજરાતમાં બિન-અનામત વર્ગો માટે કમિશન-નિગમની રચના થઈ, 1000 કરોડ રૂપિયાની યુવા સ્વાવલંબન યોજના લાગુ કરવામાં આવી અને દેશમાં ઉચ્ચ જાતિઓને આર્થિક ધોરણે 10% અનામતનો લાભ મળ્યો. હું ફરી એકવાર પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદી, ગૃહ અને સહકાર મંત્રી   અમિતભાઈ શાહ અને રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર માનું છું.

શું હતી ઘટના?

વર્ષ 2015માં GMDC ગ્રાઉન્ડમાં હાર્દિક પટેલે મોટી રેલીનું આયોજન કર્યું હતું. જેમાં લાખોની સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યા હતા.   ધરણા યોજવાની જાહેરાત થતા જ પોલીસે ટોળાને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો અને હાર્દિક પટેલની અટકાયત થતા રાજ્યભરમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. આ આંદોલન હિંસક બન્યું હતું. જેમાં કેટલીક સરકારી મિલકતોને નુકસાન થયું હતુ. ત્યારબાદ રાજ્ય સરકારે પાટીદાર અનામત આંદોલનના કેટલાક આંદોલનકારીઓ પર કેસો કર્યા હતા.  જેમાં હાર્દિક પટેલ, દિનેશ બાંભણીયા,અલ્પેશ કથીરિયા, ચિરાગ પટેલ સામે  રાજદ્રોહ સહિતના કેસો થયા હતા.

  • Related Posts

    મહેશ જીરાવાલા કોણ છે? જે અમદાવાદ વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!
    • June 16, 2025

    મહેશ જીરાવાલા, જેને મહેશ કલાવડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક ગુજરાતી ફિલ્મ નિર્માતા અને મ્યુઝિક વિડીયો ડિરેક્ટર છે. તેમણે 2019 ની ગુજરાતી ફિલ્મ ‘કોકટેલ લવર પેગ ઓફ રીવેન્જ’નું…

    Continue reading
    Banaskantha: લૂંટ વિથ ડબલ મર્ડરની ઘટના, લૂંટારુઓએ ઊંઘમાં જ PI ના માતા-પિતાનું ઢીમ ઢાળી દીધું
    • June 16, 2025

    Banaskantha: ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે, સામાન્ય માણસતો સુરક્ષિત નથી જ પરંતુ હવે પોલીસ તેમજ પોલીસ પરિવાર પણ સુરક્ષિત નથી રહ્યો. થોડા સમય પહેલા…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    મહેશ જીરાવાલા કોણ છે? જે અમદાવાદ વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!

    • June 16, 2025
    • 0 views
    મહેશ જીરાવાલા કોણ છે? જે અમદાવાદ વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!

    Banaskantha: લૂંટ વિથ ડબલ મર્ડરની ઘટના, લૂંટારુઓએ ઊંઘમાં જ PI ના માતા-પિતાનું ઢીમ ઢાળી દીધું

    • June 16, 2025
    • 9 views
    Banaskantha: લૂંટ વિથ ડબલ મર્ડરની ઘટના, લૂંટારુઓએ ઊંઘમાં જ PI ના માતા-પિતાનું ઢીમ ઢાળી દીધું

    Surat Airport: સુરતમાં ગટર પરથી વિમાન ઉડે છે, પછી શું થાય!

    • June 16, 2025
    • 10 views
    Surat Airport: સુરતમાં ગટર પરથી વિમાન ઉડે છે, પછી શું થાય!

    Iran-israel War: ઈરાન-ઇઝરાયલ યુદ્ધથી ભારતને કયા પડકારોનો સામનો કરવો પડશે?

    • June 16, 2025
    • 5 views
    Iran-israel War: ઈરાન-ઇઝરાયલ યુદ્ધથી ભારતને કયા પડકારોનો સામનો કરવો પડશે?

    India Census: 2027 માં વસ્તી ગણતરી થશે, જાતિગત વસ્તીગણતરીનો કોઈ ઉલ્લેખ નહીં

    • June 16, 2025
    • 19 views
    India Census: 2027 માં વસ્તી ગણતરી થશે, જાતિગત વસ્તીગણતરીનો કોઈ ઉલ્લેખ નહીં

    Surat: કુમાર છાત્રાલયની હોસ્ટેલમાં 14 વર્ષીય વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાધો, સુસાઈડ નોટમાં શું લખ્યું?

    • June 16, 2025
    • 8 views
    Surat: કુમાર છાત્રાલયની હોસ્ટેલમાં 14 વર્ષીય વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાધો, સુસાઈડ નોટમાં શું લખ્યું?