
- અમદાવાદ-રાજકોટ પર ગમખ્વાર અકસ્માત; પાંચ મુસાફરોના ઘટના સ્થળે મોત
ભારત-પાકિસ્તાનની મેચ વચ્ચે એક દુ:ખદ સમાચાર સામે આવી રહ્યાં છે. અમદાવાદ-રાજકોટ હાઈવે ઉપર થયેલા એક અકસ્માતમાં પાંચ લોકોના મોતના સમાચાર મળી રહ્યાં છે. તો અન્ય કેટલાક મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમણે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મળી રહેલી માહિતી અનુસાર, અમદાવાદ-રાજકોટ હાઈવે પર મોરવાડ ગામના પાટિયા પાસે બ્રિજ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મળી રહેલી જાણકારી અનુસાર, રાજકોટથી અમદાવાદ તરફ જતી મીની બસ અને ડમ્પર વચ્ચે થયેલા અકસ્માતમાં 5 લોકોના કરુણ મોત નિપજ્યા છે.
અકસ્માત એટલો ભયાનક હતો કે હાઈવે પર ચિચિયારીઓ ગુંજી ઊઠી હતી. મીની બસમાં સવાર અન્ય 10 મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. અકસ્માતના કારણે હાઈવે પર કેટલાક સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે મૃતકોની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો- IND Vs PAK: પાકિસ્તાન સામે ગુજરાતીઓએ મચાવ્યો તરખાટ; અક્ષર-હાર્દિક-જાડેજાની ત્રિપુટી બની હાવી