
AAP પાર્ટીના નેતાં ઈસુદાન ગઠવીએ ભાજપ પર આકરા આરોપો લગાવ્યા છે. તેમણે કહેવું છે કે ભાજપે અને તંત્રએ માલધારીઓની જમીન પચાવી પાડી છે. દ્વારકા જિલ્લાના ભાણવડમાં DCC કંપની સાથે મળીને ભાજપના નેતાઓ અને તંત્ર ખેડૂત અને માલધારી સમાજ પર જે અત્યાચાર કરી રહ્યા છે તેને સહન કરવામાં નહીં આવે તેમ ગઢવીએ જણાવ્યું છે. સાથે જ આ મામલે આવેદનપત્ર આપવામાં આવશે તેમ જણાવ્યું છે.
ઈસુદાન ગઢવીએ કહ્યું કે હું ખંભાળિયા વિધાનસભામાં ચૂંટાયો નથી પરંતુ આજે પણ હું ખંભાળિયાના લોકો માટે હંમેશા ઊભો છું. જે લોકો અત્યાર સુધી ભાજપને વોટ આપતા હતા, તેમની જ જમીન ઝૂંટવી લેવા માટે કંપનીઓ અને ભાજપના લોકો ઊભા થયા છે. પ્રદેશ મહામંત્રી સાગર રબારી અને ધારાસભ્ય હેમંત ખવા આવતીકાલે માલધારી સમાજ પર કરવામાં આવેલા અત્યાચાર વિરૂદ્ધ AAP અને માલધારી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપશે અને કાર્યક્ર કરશે.
તેમણે વધુમાં કહ્યું કે દ્વારકા જિલ્લાને વારંવાર લૂંટવામાં આવ્યો છે, પોર્ટ, જમીન, ખનીજ એમ અનેક જગ્યાએ દ્વારકા જિલ્લા પર લૂંટ ચલાવવામાં આવી છે. સમગ્ર દ્વારકા જિલ્લા સાથે અને માલધારી સમાજના લોકો સાથે અમે ઊભા છીએ, અમે એક કાંકરી પણ ખસવા નહીં દઈએ. જો તંત્રએ DCC કંપની વિરુદ્ધ પગલાં ન લીધા તો આગામી સમયમાં મહાસંમેલન કરવામાં આવશે. જો તંત્રએ માલધારી સમાજ અને ખેડૂતોને પરેશાન કર્યા તો આવનારા સમયમાં તંત્રના તમામ ભ્રષ્ટાચારો ખોલવામાં આવશે અને હું ઉપવાસ પર ઉતરીશ.
ઈસુદાનના આકરા પ્રહાર બાદ દ્વારકા જીલ્લામાં જમીનનો મુદ્દો ગરમાતો જઈ રહ્યો છે.