
Jhalawar School Collapse:રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના પીપલોદી ગામમાં 25 જુલાઈ 2025ના રોજ સવારે પ્રાર્થના સભા દરમિયાન રાજકીય ઉચ્ચ પ્રાથમિક શાળાની જર્જરિત ઇમારતની છત અચાનક ધરાશાયી થઈ, જેમાં 7 બાળકોના મોત થયા છે. આ ઘટનામાં 21થી 28 બાળકો ઘાયલ થયા છે, જેમાંથી 9 બાળકોની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવે છે. ઘાયલોની સારવાર ઝાલાવાડ જિલ્લા હોસ્પિટલ અને મનોહરથાના આરોગ્ય કેન્દ્રમાં ચાલી રહી છે.
स्कूल की छत नहीं बनाई…
लेकिन मंत्री जी ने अपने लिए अस्पताल तक VIP सड़क बनवा ली।
ताकि घायल बच्चों को देखने जाना पड़े तो खुद भर्ती न हो जाएं..मंत्री इस्तीफा दे न दे शर्म तो इनकी आत्मा से भी इस्तीफा दे चुकी है।#घोरकलजुग #शिक्षा_मंत्री_इस्तीफा_दो pic.twitter.com/kBx3fQEThL— अपूर्व اپوروا Apurva Bhardwaj (@grafidon) July 25, 2025
સ્કૂલની છત ના બની, પણ મંત્રી માટે રોડ તાત્કાલિક બની ગયો
આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે સરકારે ગરીબ પરિવારોના બાળકો માટે યોગ્ય શાળાઓ બનાવવાને બદલે બેદરકારી દાખવી. કેટલાક લોકોએ આરોપ લગાવ્યો કે મંત્રીઓએ પોતાના માટે વીઆઈપી સુવિધાઓ તૈયાર કરી, પરંતુ શાળાઓની જર્જરિત હાલત પર ધ્યાન આપ્યું નહીં. ઘટના બાદ મૃતક બાળકોના માતા-પિતા ન્યાયની માગણી કરી રહ્યા છે, પરંતુ તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાના અહેવાલો છે, જેના કારણે લોકોમાં રોષ વધુ વધ્યો છે. સોશિયલ મીડિયા પર #ભજનલાલ_ઇસ્તીફા_દો ટ્રેન્ડ શરૂ થયો છે, જેમાં લોકો મુખ્યમંત્રીના રાજીનામાની માગણી કરી રહ્યા છે.
कितने बेशर्म लोग है दुःख बाटने के बजाय डंडे बरसा रहे है बच्चों के माता पिता पर.. राजस्थान में सत्ता अहंकार चरम पर है #घोरकलजुग @SupriyaShrinate @Pawankhera @SachinPilot @ashokgehlot51 pic.twitter.com/xseblq2riD
— अपूर्व اپوروا Apurva Bhardwaj (@grafidon) July 25, 2025
શું આ છે ભાજપની સંવેદનશીલતા ?
આ ઘટનાએ રાજસ્થાનના શિક્ષણ તંત્ર અને સરકારી બેદરકારીના મુદ્દાઓને ઉજાગર કર્યા છે. જ્યાં વડાપ્રધાન, મુખ્યમંત્રીથી લઈને સાંસદ સુધી ભાજપના છે, ત્યાં ગરીબ બાળકો માટે એક સુરક્ષિત શાળા ન બનાવી શકાય, તે ચોંકાવનારું છે. તેનાથી વધારે ચોંકાવનારી વાત તે છે કે, જર્જરિત શાળાને સરખી નથી કરાવી શકાતી પરંતુ હોસ્પિટલમાં નેતાઓ જવાના હોવાથી ત્યાં રસ્તો તાત્કાલિક બની જાય છે. બીજી તરફ વાલીઓ ન્યાયની માંગ કરી રહ્યા છે ત્યારે તેમની પર લાઠીચાર્જ કરવામાં આવે છે. ત્યારે સવાલ તે થાય છે કેે, ક્યાં છે સંવેદનશીલ સરકાર ?
આ પણ વાંચોઃ
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી! જાણો હવામાન વિભાગની આગાહી
Sabarkantha: તલોદ શહેરમાં કંકોડા શાકભાજીની શરૂઆત, જાણો તેના ફાયદા
Ajab Gjab: મહિલાએ એકસાથે 5 બાળકોને આપ્યો જન્મ, જાણો ક્યાનો છે આ ચોંકાવનારો કિસ્સો









