
Amritsar Poisonous Liquor: પંજાબના (Panjab) અમૃતસરથી (Amritsar) મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં મજીઠા વિસ્તારમાં ઝેરી દારૂ પીવાથી 14 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આ મામલે અમૃતસર પોલીસના જણાવ્યા અનુસાર, આ સંદર્ભમાં મજીઠા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પંજાબમાં લઠ્ઠાકાંડની ઘટના
આ ઘટના સોમવા રાત્રે બની હોવાનું કહેવાય છે. હાલમાં, પોલીસ ટીમ દારૂના સ્ત્રોતની તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે રવિવાર સાંજે આ જ જગ્યાએથી દારૂ ખરીદવામાં આવ્યો હતો. આમાંથી કેટલાક લોકોના સોમવારે સવારે જ મૃત્યુ થયા હતા, પરંતુ પોલીસને માહિતી મળી ન હતી.
#WATCH मजीठा, अमृतसर (पंजाब): नकली शराब पीने से कई लोगों की मौत पर SSP मनिंदर सिंह ने बताया, “हमें कल रात सूचना मिली की नकली शराब पीने से यहां लोगों की मृत्यु हो रही है। तुरंत कार्रवाई करते हुए हमने 4 लोगों को गिरफ्तार कर लिया है। जांच में हमने मेन सप्लायर परबजीत सिंह को गिरफ्तार… pic.twitter.com/0P4K7Br0pa
— ANI_HindiNews (@AHindinews) May 13, 2025
14 લોકોના મોત, 6ની હાલત ગંભીર
અમૃતસરના એસએસપી મનિન્દર સિંહે ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું, “અમને ગઈકાલે રાત્રે માહિતી મળી હતી કે અહીં ઝેરી દારૂ પીવાથી લોકો મરી રહ્યા છે. તાત્કાલિક કાર્યવાહી કરીને, અમે 4 લોકોની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન, અમે મુખ્ય સપ્લાયર પરબજીત સિંહની ધરપકડ કરી છે. અમે તપાસ કરી રહ્યા છીએ કે દારૂ ક્યાંથી મેળવવામાં આવ્યો છે. અમે આખી સિસ્ટમનો નાશ કરીશું. અમને સરકાર તરફથી સૂચનાઓ મળી છે કે જે લોકો ઝેરી દારૂ પીવે છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. અમે 2 એફઆઈઆર નોંધી છે. આ કેસમાં 14 લોકોના મોત થયા છે, 6 લોકો હોસ્પિટલમાં દાખલ છે.”
આ પણ વાંચોઃ
ધ વાયરની વેબસાઇટ સરકારે બ્લોક કેમ કરી? | The wire
ગોદી મિડિયા સરકારના ડાહ્યા થવામાં ભારતનું અહિત ન કરી દે!, શું છે Media Advisory જુઓ?
Share Market Down: રોકાણકારોને નુકસાન, સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટ્યો, શું છે કારણો?
PIB Fact Check: વાઈરલ થયેલા 7 ખોટા વીડિયો અંગે PIBનું ફેક્ટ ચેક, શું સામે આવ્યું?
Vadodara: ન્યાયના એજન્ડા સાથે લડી રહેલા ભાજપા કોર્પોરેટર આશિષ જોશીને સસ્પેન્શનની બક્ષીશ
The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો: