journalist Sneha Barve attack: ગેરકાયદે બાંધકામનું રિપોર્ટિંગ કરતી મહિલા પત્રકાર પર હુમલો, બેભાન ન થઈ ત્યાં સુધી છોડી નહીં, જુઓ વીડિયો

  • India
  • July 16, 2025
  • 0 Comments

Pune journalist Sneha Barve on attack: મહારાષ્ટ્રના પુણે જીલ્લામાં એક મહિલા પત્રકાર પર ભયંકર હુમલો કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. 4 જુલાઈના રોજ પુણે જિલ્લાના મંચરના નિગોટવાડી ગામમાં પત્રકાર સ્નેહા બર્વે પર જીવલેણ હુમલો કરાયો હતો. સ્નેહા નદી કિનારે ગેરકાયદેસર બાંધકામનું રિપોર્ટિંગ કરી રહી હતી. કેમેરામાં રેકોર્ડ થયેલી ઘટનામાં તેને લાકડાના લાકડીથી માર મારવામાં આવતો જોઈ શકાય છે. ભયંકર હુમલાને કારણે તે બેભાન થઈ જતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવી પડી હતી.    આ ઘટનાને ઘણા દિવસો વીતી ગયા છે પણ મુખ્ય આરોપીને પોલીસ પકડી શકી નથી.  સ્નેહા બર્વે ‘સમર્થ ભારત’ નામના અખબાર અને SBP યુટ્યુબ ચેનલની સંપાદક છે.

સ્નેહાને 3  દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ રહેવું પડ્યુ

હુમલા પછી સ્નેહા બર્વે ત્રણ દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ હતી. મેડિકલ રિપોર્ટ મુજબ સ્નેહાને માથાના પાછળના ભાગમાં અને કમરના નીચેના ભાગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. રિપોર્ટમાં વધારે લોહી વહી ગયાનું બહાર આવ્યું છે. તેને હુમલા દરમિયાન ઉલટીઓ થઈ હતી. સ્થિતિ એટલી ગંભીર હતી કે તે ઊભી જ ન થઈ શકી કે બોલી પણ શકી નહતી.

ગયા અઠવાડિયે આ ઘટનાનો એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો હતો. જોકે આ પહેલી વાર નથી જ્યારે પત્રકાર સ્નેહાને તેમના કામ માટે ધમકીઓનો સામનો કરવો પડ્યો હોય. પહેલા પણ તેને  ઘણવાર ધમકીઓ મળી ચૂકી છે. જો કે તે નાગરિકોના હિતનું પત્રકારત્વ કરતાં અટકી નથી.

સ્નેહા પહેલા પણ મળી ચૂકી છે ધમકીઓ

ફેબ્રુઆરીની શરૂઆતમાં જ્યારે તેણે તેના ગામ ચાસ-નરોડીમાં ખરાબ રસ્તા અંગે રિપોર્ટ કર્યો હતો, ત્યારે તેને ઓફિસની બહાર પણ હેરાન કરવામાં આવી હતી. જુલાઈ 2024 માં તેણે આરોપ લગાવ્યો હતો કે પૂર્વ સાંસદ શિવારાવ અધલરાવ પાટીલ તરફથી ધમકીભર્યા ફોન આવ્યા હતા. તેણે આ અંગે મંચર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી.

માથામાં મારી બેભાન કરી

તાજેતરના હુમલા અંગે સ્નેહા બર્વેએ કહ્યું, “મને નદી કિનારે ગેરકાયદેસર બાંધકામો વિશે માહિતી મળી હતી. સ્થાનિક લોકોએ મને કહ્યું કે ભારે વરસાદ દરમિયાન પૂર આવી શકે છે, તેથી મેં તેના પર રિપોર્ટ કરવાનું નક્કી કર્યું… મેં કેટલાક ગ્રામજનોનો ઇન્ટરવ્યૂ લીધો હતો અને કેમેરા સામે મારું રિપોર્ટિંગ શરૂ કર્યું હતું ત્યારે અચાનક કોઈએ મારા માથાના પાછળના ભાગમાં લાકડી વડે જોરથી માર માર્યો. તે પછી મને કંઈ યાદ નથી, હું બેભાન થઈ ગઈ હતી.”

સ્નેહાએ આગળ કહ્યું, “જે લોકો બાંધકામના કામમાં સામેલ હતા તેઓએ મને મદદ કરવા આવેલા લોકો પર પણ હુમલો કર્યો. મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને થોડા દિવસો પછી રજા આપવામાં આવી હતી. પરંતુ ડોક્ટરોએ મને આરામ કરવાની અને ઓછુ બોલવાની સલાહ આપી છે”

મુખ્ય હુમલાખોર કોણ છે?

સ્નેહાએ પાંડુરંગ મોરાડેને પોતાનો મુખ્ય હુમલાખોર ગણાવ્યો હતો. પાંડુરંગ એક હિસ્ટ્રીશીટર તરીકે નોંધાયેલો છે. તે આ વિસ્તારમાં બે દારૂના બાર ચલાવે છે. તેની સામે હત્યાનો કેસ નોંધાયેલ છે અને તેના પર અતિક્રમણનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેના રાજકીય પક્ષો સાથે પણ સંબંધો છે. તે એક સમયે અવિભાજિત શિવસેનાના શહેરી પ્રમુખ હતા.

પોલીસે પાંડુરંગ, તેના બે પુત્રો – પ્રશાંત અને નીલેશ અને અન્ય છ લોકો સામે કેસ નોંધ્યો છે. અત્યાર સુધીમાં પાંચની ધરપકડ કરવામાં આવી છે. જેમાં મોરાડેના બે પુત્રોનો પણ સમાવેશ થાય છે. જોકે, મુખ્ય આરોપી પાંડુરંગ હજુ પણ ફરાર છે.

પોલીસે શું કહ્યું?

પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીકાંત કંકલે ન્યૂઝલોન્ડરીને જણાવ્યું હતું કે, “અમે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે અને બાકીનાને ટૂંક સમયમાં પકડીશું. તેમની સામે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં 118(1), 115(2), 189(2), 191(2), 190 અને 351(2)નો સમાવેશ થાય છે.” આ કલમો ઇરાદાપૂર્વક નુકસાન પહોંચાડવા, ગેરકાયદેસર રીતે ભેગા થવા, રમખાણો અને ગુનાહિત ધાકધમકી આપવા સંબંધિત છે.

સ્નેહા બર્વે

સ્નેહાએ કહ્યું, “પાંડુરંગ એક રીઢો ગુનેગાર છે જેના પર અગાઉ હત્યા અને હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનાઓનો આરોપ મૂકવામાં આવ્યો છે. તે હાલમાં જામીન પર છે, પરંતુ તેમ છતાં તે નિર્ભયતાથી ગુનાઓ કરવાનું ચાલુ રાખે છે. તે દિવસે હુમલો કરાયેલા તમામ લોકો માટે સામૂહિક એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, પરંતુ પાંડુરંગ સામે હત્યાના પ્રયાસ જેવી ગંભીર કલમો લાગુ કરવામાં આવી નથી.”

6 મહિનામાં બીજો હુમલો

સ્નેહાએ કહ્યું કે છેલ્લા છ મહિનામાં આ તેના પર બીજો હુમલો છે. સ્નેહાએ કહ્યું, “ફેબ્રુઆરીમાં, જ્યારે મેં ચાસ-નરોડી ગામના ખરાબ રસ્તાઓ પર એક અહેવાલ પ્રકાશિત કર્યો, ત્યારે કેટલાક લોકો મારી ઓફિસની બહાર આવ્યા. તેઓએ મારી સાથે દુર્વ્યવહાર કર્યો, મને થપ્પડ મારવાનો પ્રયાસ કર્યો અને મારા પર ચપ્પલ ફેંક્યા. મેં તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો અને FIR નોંધાવી.”

 સ્નેહા બર્વેએ વધુમાં કહ્યું  જુલાઈ 2024 માં  પૂર્વ સાંસદ શિવરાવ અધલરાવ પાટીલ દ્વારા ધમકી આપવામાં આવી હતી તે પણ યાદ કર્યું. “ચૂંટણી દરમિયાન મારા અહેવાલથી તેમની છબી ખરાબ થઈ હતી અને તેમણે મને ભવિષ્યમાં ફરીથી તેમના વિશે રિપોર્ટ ન કરવાની ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે મારે પરિણામ ભોગવવા પડશે. મેં તે જ સાંજે મંચર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી,”

મને સારું લાગતાં જ હું મેદાનમાં જઈશ

જો કે સતત હુમલા અને ધમકીઓ મળી રહી છે છતાં સ્નેહા તેના રિપોર્ટિંગને લઈ અડગ છે.  તેણે  કહ્યું, “સ્થાનિક મુદ્દાઓ પર રિપોર્ટિંગ કરવા બદલ મને ધમકીઓ અને હુમલાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ હું શાંત નહીં બેસું…હાલ હું મારી ઇજાઓમાંથી સ્વસ્થ થવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છું. મને સારું લાગતાં જ હું મેદાનમાં જઈશ અને મારું કામ કરીશ.”

આ આરોપો પર પ્રતિક્રિયા આપતા, ભૂતપૂર્વ સાંસદ શિવાજીરાવ અધલરાવ પાટીલે ન્યૂઝલોન્ડ્રીને જણાવ્યું હતું કે તેમણે પત્રકારને ફક્ત “તેમનો વાંધો નોંધાવવા” માટે ફોન કર્યો હતો, ધમકાવવા માટે નહીં. “મેં તેમને ફોન કર્યો હતો પણ માત્ર એટલા માટે કે તેમના અહેવાલો એકતરફી હતા અને મારી છબીને નુકસાન પહોંચાડતા હતા. આ અહેવાલ જાણી જોઈને ગેરમાર્ગે દોરનારી રીતે બનાવવામાં આવ્યો હતો. મેં ફક્ત મારો વાંધો વ્યક્ત કર્યો હતો, તેમને ધમકી આપી ન હતી,” પાટીલે કહ્યું.

પ્રેસ ક્લબે હુમલાની નિંદા કરી

આ હુમલાની પ્રેસ ક્લબ ઓફ ઈન્ડિયાએ પત્રકાર સ્નેહા પરના આ હુમલાની સખત નિંદા કરી છે. પ્રેસ ક્લબ ઓફ ઈન્ડિયાએ આ ઘટનાને કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતાની ગંભીર નિશાની ગણાવી હતી અને મહારાષ્ટ્ર સરકારને કડક કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. ક્લબે ભારપૂર્વક જણાવ્યું હતું કે પત્રકારો સામે હિંસા કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી અને ગુનેગારોને શક્ય તેટલી વહેલી તકે ન્યાયના કઠેડામાં લાવવા જોઈએ.

આ પણ વાંચોઃ

Vadodara: માંજલપુરમાં ડિવાઇડરની અધૂરી કામગીરી, ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે નાગરિકોનું આંદોલનનું એલાન?

Telangana: ખંડેર ઘરમાં બોલ શોધવા ગયેલા યુવાનના હાડપિંજર જોઈ ઉડી ગયા હોશ, પાસે પડેલા નોકિયા ફોનમાં પડ્યા હતા 84 મિસ્ડ કોલ્સ

Kanti Amritiya: ખેડૂતો ગાંધીનગર જાય તો પોલીસ દંડા મારે પણ ભાજપ MLA કાંતિ અમૃતિયા સામે પોલીસ નતમસ્તકે પડી જાય

Gujarat Roads Corruption: માર્ગો પર ભ્રષ્ટાચારના ખાડા પુરતો ભાજપ, ગુજરાતના રસ્તા મોતનો માર્ગ બની ગયા

સુખીએ દુઃખી કર્યાં: કુંવર બાવળીયાએ નહેરનું રૂ. 225 કરોડનું કામ શરૂ કરાવ્યું તે તૂટ્યુ, નહેર ધોવાઇ ગઈ | Chhota Udepur

Kheda: પુત્રની લાલચમાં ક્રૂર પિતાએ પુત્રીનો જીવ લીધો, કેનાલમાં ફેકી દીધી, પત્નીની હચમાચાવી નાખતી વાતો

UP Murder: પતિના મોત પછી મહિલાને પાડોશી સાથે પ્રેમ કરવો ભારે પડ્યો, પુત્રીની સામે જ છરી મારી મોતને ઘાટ ઉતારી

UP Crime: શિવ વર્મા કપાળ પર તિલક લગાવી કાસિબ પઠાણ બન્યો, હિન્દુ છોકરી પર 2 વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યો, જાણો સમગ્ર ઘટના

UP Crime: રીલ અને રુમાલે દંપતિનું જીવન બરાબાદ કરી નાખ્યું, રાધાએ પરિવારોને રડતાં મૂકી દુનિયા છોડી દીધી, જાણો શું થયું?

 

 

Related Posts

Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા
  • February 1, 2026

Union Budget 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે પહેલી ફેબ્રુઆરી 2026ને રવિવારે પોતાનું સળંગ નવમું બજેટ રજૂ કર્યું હતું.ગયા વર્ષની સરખામણીમાં જોઈએ તો વર્ષ 2025ના બજેટમાં 12 લાખ રૂપિયા સુધીની આવકને…

Continue reading
The Epstein File: “જેક્રી એપસ્ટેઇન ફાઇલ્સ”માં નરેન્દ્ર મોદીનું નામ ઉછળતા ખળભળાટ! એપસ્ટેઇનના ઇમેઇલમાં મોદીનો ઉલ્લેખ શુ સૂચવે છે?કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
  • February 1, 2026

●અમેરિકામાં સગીરાઓનું શારીરિક શોષણ કરવું અને કરાવવાના પ્રકરણમાં દોષિત રેપીસ્ટ જેક્રી એપસ્ટેઇનની ફાઇલ્સમાં નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ હોવાનો કોંગ્રેસે આરોપ મૂકી તેનો જવાબ આપવા જણાવ્યું છે. કોંગ્રેસ નેતા પવન ખેડાએ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

  • February 1, 2026
  • 3 views
World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

  • February 1, 2026
  • 10 views
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

  • February 1, 2026
  • 9 views
Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી   એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

  • February 1, 2026
  • 8 views
Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

  • February 1, 2026
  • 8 views
Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?

  • February 1, 2026
  • 14 views
BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?