
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 12 વર્ષ પૂર્વે ડબલ હત્યા કરનાર શખ્સને ગાઝીયાબાદથી પકડી લીધો છે. પોલીસે ભારે જહેમત ઉઠાવી અને અનેક વેશ પલટા કરી આરોને ઝડપી પાડ્યો છે.
પોલીસ આરોપીને ગાઝિયા બાદમાંથી ઉઠાવી લાવી
ક્રાઇમ બ્રાન્ચે વેશ પલટો કરી રાજકોટમાં ડબલ મર્ડર કેસના આરોપીને NCRના ગાઝિયાબાદથી ઝડપી પાડ્યો હતો. આરોપી ત્યાં ચાની કેબિન પુત્ર અને પિતા સાથે ચલાવતો હતો. આરોપી પવન ઉર્ફ પ્રવીમ રામશંકર શર્માએ કોઠારીયાના હુડકો ક્વાર્ટરમાં પત્ની અને કાકીની હત્યા કરી હતી.
આરોપી વિરુધ્ધ કડક કાર્યવાહી
આરોપીને ઝડપવા આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જલદીપસિંહ ગોહેલે ફ્રૂટ વેચવાનું કામ પણ કર્યું. ઉપરાંત પેડલ રીક્ષા ચલાવી હેડ કોન્સ્ટેબલ કૃષ્ણદેવસિંહ ઝાલાએ આરોપીને ઝડપી પાડવાનું કામ કર્યું છે. હાલ આરોપી વિરુધ્ધ રાજકોટ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે હત્યારાને ઝડપવા મોટો પ્લાન બનાવ્યો
રાજકોટમાં એક મૂળ ઉત્તર પ્રદેશના પવન ઉર્ફે પ્રવીણ રામશંકર નામના વ્યક્તિ એ આજથી 12 વર્ષ પેહલા એટલે કે 2012માં કોઠરીયાં રોડ ઉપર આવેલ નાડોદાનગર તેની પત્ની અને કાકીની હત્યા કરી હતી. જેમાં પોલીસે તેના ભાઈની તો ધરપકડ કરી પણ પ્રવીણ ક્યાંય રફુચક્કર થઈ ગયો તેની ખબર જ ના પડી તેનો ભાઈ જેલવાસમાંથી બહાર પણ આવી ગયો, તે બાદ પણ પ્રવીણ ક્યાં છે તેની પોલીસને ખબર ના પડી પોલીસે બનવા બન્યાના થોડો સમય તેની તપાસ કરી પણ તે ના પોલીસના હાથે ન આવતા પોલીસે તેને ફરાર જાહેર કર્યો હતો. તે બાદ 12 વર્ષ પછી આ કેસની ધૂળ ખાઈ રહેલી ફાઇલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ ગોંડલીયા અને પી.આઈ ડામોરની ટીમે હાથે લીધી ત્યારે સમગ્ર કેસનો પીએસઆઈ પરમારે ઊંડાણથી અભ્યાસ કર્યો.
મોબાઈલ નંબરથી આરોપીને ટ્રેસ કર્યો
કેસનો અભ્યાસ કરતા આરોપી પ્રવીણને સંતાનમાં બે પુત્ર હોવાની જાણ થઈ. જે બાદ ત્યાં જઈને પોલીસે તેના સંતાનોને પૂછતાછ કરી પરંતુ કોઈ હકીકત ન મળી અંતે પોલીસને પ્રવીણના ભાઈનો મોબાઈલ નંબર મળ્યો. પોલીસે મળેલા નંબરનું સીડીઆર કાઢતાં પ્રવીણ બે પુત્રના ફોન આવતા હોવાનું અને તે બંનેના ફોન ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદથી આવતા હોવાની માહિતી મળી હતી. બંને સંતાનના મોબાઇલ નંબર બાદ પોલીસને પ્રવીણ શર્માના નંબર મળ્યા હતા અને તેના તે નંબરની તપાસમાં પે ફોનમાં દરરોજ રૂ.300 જમા થતા હોવાનું જાણવા મળ્યું હતું, આ બાબતથી પોલીસ એ તર્ક પર પહોંચી હતી કે પ્રવીણ એવો કંઇક ધંધો કરે છે જેમાં તેને રૂ.300 જેટલું ઓનલાઇન પેમેન્ટ થાય છે, આ તપાસમાં પવને ફાઇનાન્સ કંપનીમાંથી લોન લીધી હોવાનું ખુલ્યું હતું,પોલીસે ફાયનાન્સ કંપનીમાંથી પ્રવીણનો ફોટો પણ હાથવગો કર્યો હતો.
આરોપીને પકડવા પોલીસે ઓળખ છૂપાવી
મહતમ હકીકત મળ્યા બાદ પીએસઆઇ પરમારના માર્ગદર્શન હેઠળ ક્રાઇમબ્રાંચના ચાર જવાનો ગાઝિયાબાદ પહોંચ્યા હતા. અને પ્રવીણ શર્મા જે સ્થળે ચાની કેબિન ચલાવતો હતો તેની માહિતી મળી હતી, પોલીસ ત્યાં પહોંચી તો પવનના પિતા રામશંકર અને પ્રવીણના પુત્ર જોવા મળ્યા હતા, પરંતુ પ્રવીણ ત્રણ દિવસથી ત્યાં આવ્યો નહોતો, પોલીસે પોતાની ઓળખ છુપાવી હતી અને કેબિન નજીક રહેવાનો પ્લાન ઘડ્યો હતો.એ.એ.આઈ જલદીપસિંહ ગોહિલે ઇ-રિક્ષા ભાડેથી લીધી હતી, હેડ કોન્સ્ટેબલ કૃષ્ણદેવસિંહ ઝાલાએ પેડલ રિક્ષા લીધી હતી અને એ વિસ્તારમાં આંટાફેરા શરૂ કર્યા હતા, કોન્સ્ટેબલ મોહિલરાજસિંહ ગોહિલે ફ્રૂટની લારી કાઢી હતી તો કોન્સ્ટેબલ હરસુખભાઇ સબાડ ગરમ કપડાની લારી લઇને તે વિસ્તારમાં આંટાફેરા કરતા હતા, અંતે પ્રવીણ શર્મા લારીએ આવ્યો હતો તે તેના પિતા સાથે વાત કરતો હતો તે વખતે જ વેશપલ્ટાથી નજીકમાં જ રહેલા ચારેય પોલીસ કર્મચારીઓ પહોંચી ગયા હતા અને પ્રવીણ શર્માને ઉઠાવી લીધો. હાલ આરોપીને રાજકોટમાં લાવી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.