
તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારી નોકરીને લઈ આપેલા નિવેદનથી ગુજરાતભરમાં રોષ ફેલાયો છે. તેમણે કહ્યું હતુ કે મુખ્યમંત્રી પોતાના દિકરા પણ લાગવગથી નોકરી પર રાખી શકે નહીં. તેટલી પાર્દર્શિકતા આવી ગઈ છે. આ વાત પર ‘ધ ગુજરાત રિપોર્ટ’ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. કે ખરેખર ગુજરાતમાં શું સ્થિતિ છે? શું ગુજરાતમાં ખરેખરે એટલી પારદર્શિતા આવી ગઈ છે કે સરકારી નોકરીઓમાં કોઈ જ લાગવત થતી નથી? ગુજરાતમાં ગ્રાઉન્ડ સ્થિતિ શું છે તેના વિશે વાત કરી રહ્યા છે ધ ગુજરાતના ફાઉન્ડર એડિટર મયુર જાની..