
Surat Child Death in Drainage: સુરત પાલિકાના ન્યૂ કતારગામ વિસ્તારમાં ગટરના મેનહોલમાં પડેલા બે વર્ષિય બાળકનું મોત થયું છે. જેથી હવે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. જવાબદાર ગણાતા રાંદેર ઝોનના કાર્યપાલક ઈજનેર સહિત 4 અધિકારીઓને કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી છે. આ અધિકારીઓને બે દિવસથી માંડીને સાત દિવસમાં નોટિસનો જવાબ આપવા તાકીદ કરી છે.
આ અધિકારીઓને નોટીસ
આ ઘટના બાદ સુરત પાલિકાએ આ ઘટનામાં રાંદેર ઝોનના કાર્યાપાલક ઈજનેર તેજસ પટેલને નોટિસ આપી 7 દિવસમાં જવાબ આપવાની તાકીદ કરી છે. ઉપરાંત ડેપ્યુટી ઈજનેર નીતિન ચોધરી અને જુનિયર ઈજનેર રાકેશ પટેલને નોટિસ આપી પાંચ દિવસમાં જવાબ આપવા તાકીદ કરી છે, જ્યારે સુપરવાઈઝર ચેતન રાણાને શો કોઝ નોટિસનો જવાબ બે દિવસમાં રજૂ કરવા જણાવ્યું છે.
મનુષ્યવધનો ગુનો દાખલ
પરિવાર અને સમાજની આજીજી બાદ આક્રોશ સાથે ધરણા પર બેસતા આખરે અમરોલી પોલીસે પાલિકાના ગટર વિભાગના જવાબદાર અધિકારી-કર્મચારી વિરુદ્ધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો છે.
આ પણ વાંચોઃ Jammu-Kashmir: સેનાના ગોળીબારમાં શંકાસ્પદ ટ્રક ડ્રાઇવરનું મોત, કેમ કરાયો ગોળીબાર! જાણો કારણ
આ પણ વાંચોઃ શિવસેનાએ સામનામાં કહ્યું- “હવે વિશ્વગુરૂના ફુગ્ગામાં હવા રહી નથી”