
UP News: આજે મંગળવારે( 10 જૂન, 2025) ગાઝિયાબાદના લોની બોર્ડર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. કેનાલ પાસે બિનવારસી સુટકેશ જોઈને લોકોએ પોલીસને જાણ કરી હતી. જ્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સુટકેશ ખોલી તો તેમાં એક મહિલાનો મૃતદેહ મળી આવતાં પોલીસ પણ અચંબામાં મૂકાઈ ગઈ હતી.
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના લોની બોર્ડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંગળવારે એક મૃતદેહ મળી આવતા હંગામો મચી ગયો હતો. અહીં શિવ વાટિકા નજીક કેનાલ પાસે એક સુટકેશમાં એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ફિલ્ડ યુનિટને બોલાવીને ગુનાના સ્થળની સંપૂર્ણ તપાસ કરી હતી. એવી શંકા છે કે મહિલા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને પછી તેની હત્યા કરવામાં છે.
કપાળ પર સિંદૂર અને પગમાં વીંટી
પોલીસના જણાવ્યા અનુસાર આજે 10 જૂનની સવારે કંટ્રોલ રૂમને માહિતી મળી હતી કે બેહતા હાજીપુરથી બંધલા જતા કેનાલ રોડની બાજુમાં એક સુટકેશ પડી છે. શંકા છે કે તેમાં એક મહિલાનો મૃતદેહ છે. જ્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સુટકેશ ખોલી ત્યારે તેમાં લગભગ 25 વર્ષની અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. મહિલાના કપાળ પર સિંદૂર અને પગમાં વીંટી હતી. આ પરથી એવું અનુમાન લગાવવામાં આવ્યું હતું કે મૃતક હિન્દુ સમુદાયની અને કદાચ પરિણીત હતી.
શરીર પર ઈજાના નિશાન
મહિલાના ચહેરા અને શરીર પર ઈજાના નિશાન મળી આવ્યા છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે અને તેની ઓળખ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોલીસે પંચનામા કર્યા બાદ મૃતદેહને કબજે લીધો છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
ઓળખ કરવાના પ્રયાસો ચાલુ: પોલીસ
આ અંગેએસીપી અંકુર વિહાર અજય કુમાર સિંહે જણાવ્યું હતું કે, ‘ફિલ્ડ યુનિટ દ્વારા વૈજ્ઞાનિક રીતે પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે. મહિલાની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ છે અને ટૂંક સમયમાં કેસનો ખુલાસો કરવામાં આવશે અને આરોપીની ધરપકડ કરવામાં આવશે.’ હાલમાં પોલીસ નજીકના સીસીટીવી કેમેરાની તપાસ કરી રહી છે અને મૃતદેહની ઓળખ માટે સ્થાનિક સ્તરે માહિતી પ્રસારિત કરવામાં આવી રહી છે. આ ઘટનાએ વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી છે અને લોકો આઘાતમાં છે કે કોઈ આટલી ક્રૂર હત્યા કરી શકે છે અને મૃતદેહને સુટકેસમાં ફેંકી શકે છે.
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ ઉત્તર પૂર્વ દિલ્હીના દયાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પણ આવો જ એક મામલો સામે આવ્યો હતો. અહીં એક ફ્લેટમાં 9 વર્ષની માસૂમ બાળકીનો લોહીથી લથપથ મૃતદેહ સુટકેશમાંથી મળી આવ્યો હતો. એવું કહેવાય છે કે છોકરી લગભગ બે કલાક સુધી તેમાં હતી. પરિવારને આ વાતની જાણ થતાં જ તેમણે તેને હોસ્પિટલમાં દાખલ કરી. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. શંકા છે કે બાળકી પર બળાત્કાર કર્યા પછી તેને સુટકેશમાં ભરીને ફ્લેટમાં જ છોડી દેવામાં આવી હતી.
આ પણ વાંચો:
Rajkot માં કોરોનાથી પ્રથમ મૃત્યુ: 55 વર્ષીય પુરુષે જીવ ગુમાવ્યો, રહો સાવચેત!
મોદી સરકાર હવે કેટલું ટકશે?, સૌથી મોટો ખુલાસો, જુઓ | Match fixing
City bus demand: નડિયાદમાં ધૂળ ખાતી સીટી બસો શરૂ કરવા પશ્ચિમ નાગરિક સમિતિની માંગ, કોના બહેરા કાન?
US: લોસ એન્જલસ સળગ્યું, ટ્રમ્પે કમાન્ડો તૈનાત કરતાં સ્થિતિ વધુ વણસી, જાણો આખો વિવાદ
MP: 4 બાળકો 60 દિવસ હોસ્પિટલમાં રહ્યા, ડોક્ટરોએ કહ્યું જીવ બચાવવા સરળ ન હતુ!
Rajkot: અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં નવો ખુલાસો, જાણો સગીરાએ શું કહ્યું?
Gondal: અમિત ખૂંટના આપઘાતને લઈ અનેક તર્કવિતર્ક, શું થઈ રહ્યા છે મોટા આક્ષેપ?
kheda: મહુધા પાસેથી બે મિત્રોનું અપહરણ, ‘ચૂપચાપ બેસી રહેજો નહીં તો પતાવી દઈશું’, પછી શું થયું?
Raja Raghuvanshi Murder Case: કોણ છે રાજ કુશવાહા જેના માટે સોનમે પોતાના પતિનો જીવ લીધો
દ્વારકાના લોકો TATA કંપનીના પ્રદૂષણથી મુક્ત કેવી રીતે થઈ શકે?, જુઓ વીડિયો