Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર

  • Gujarat
  • April 30, 2025
  • 1 Comments

Ahmedabad Chandola, Lake Demolition:  અમદાવાદના ચંડોળા તળાવ નજીક છેલ્લા 40 વર્ષથી રહેલાં લોકોના ઘરો-ઝુંપડાં તોડવાનું ગઈકાલ(29 એપ્રિલ) સાવારથી શરુ કર્યું છે. આજે બીજા દિવસે પણ ડિમોલેશનનું કામ ચાલું છે. 1 મે સુધી આ ડિમોલેશન કામગીરી ચાલુ રહેશે. અમદાવાદના ઈતિહાસની સૌથી મોટી ડિમોલેશનની કામગીરી ગણવામાં આવે છે. જો કે લોકો સવાલ કરી રહ્યા છે કે 40 વર્ષ કરતાં વધુ સમયનો વીતી ગયો પણ કાર્યવાહી ન કરી. હવે પહેલગામ હુમલો થયો ત્યારે દબાણ હટાવવાની કામગીરી તંત્ર કરી રહ્યું છે. અત્યાર સુધી અંદાજે 2 હજાર ઝૂંપડા પાડી દેવામાં આવ્યા છે.

આ મુદ્દાને લઈ અરજદારો ગઈકાલે હાઈકોર્ટના દ્વારે પહોંચ્યા હતા. જો કે ત્યાથી હાતશા સાપડી છે. હાઇકોર્ટે દબાણો હટાવવાની કામગીરી પર સ્ટે મૂકવા ઇનકાર કર્યો છે. જેથી ડિમોલેશનની કામગીરી ચાલુ રહેશે. આ મામલે હાઇકોર્ટ અન્ય મુદ્દાઓ પર 19 જૂને સુનાવણી કરશે.

સરકાર અહીં બાગ્લાદેશીઓની ગેરકાદે વસાહત કહી દબાણો તોડી પાડી રહી છે. જો કે સરકારને અત્યારે દબાણો હટાવવાનું કેમ સૂજ્યું તે પણ સવાલ છે. ચંડોળા તળાવ વિસ્તારના ઝૂંપડાં તોડી પાડતાં લોકો બેઘર બન્યા છે. લોકો કહે છે અમે બાંગ્લાદેશી નથી. લોકોની આજીજી છતાં સરકારે ઝૂંપડા તોડી પાડવાનું યથાવત રાખ્યું છે.

મહિલાએ રડતાં રડતાં શું કહ્યું?

એક મહિલાએ કહ્યું અમે બચપનથી અહીં રહીએ છીએ. અમારા છોકરાઓના લગ્ન પણ અહીં થયા છે. મહિલાએ રડતાં રડતાં કહ્યું અમને તંત્ર દ્વારા સામન પણ બહાર ન કાઢવા દીધો. અમે  આ તાપમાં ક્યા જઈશું. અમારી પાસે લાઈટ બીલ છે, જન્મ, સ્કૂલ લિવિંગ સર્ટીફિકેટ છે.

બંદોબસ્તમાં પોલીસની તબિયત લથડી તો કાયમી છત ગુમાવનારની શું હાલત થશે?

બંદોબસ્ત દરમિયાન મહિલા કોન્સ્ટેબલની તબિયત લથડી હોવાની વિગતો સામે આવી છે.  ડિમોલિશનના બંદોબસ્ત દરમિયાન મહિલા કોન્સ્ટેબલની તબિયત લથડતા તાત્કાલિક સારવાર માટે મેડિકલ વાન પાસે મોકલવામાં આવ્યા છે. જો સવાલ  એ છે કે માત્ર આટલાં સમયમાં પોલીસકર્મીઓની તબિયત બગડી જતી હોય તો આ તાપમાં છત ગુમાવનાર લોકોની શું હાલત થશે. તેમના બાળકોનું શું થશે. જેના ઘર તોડાયા છે એ કહી રહ્યા છે કે અમને સમય પણ ન આપવામાં આવ્યો કે નોટીસ પણ ન આપી.

 

આ પણ વાંચોઃ

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

Related Posts

Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું
  • April 30, 2025

Amreli Accident: રાજકોટથી અમેરલી જતાં ડીઝલ ટેન્કરમાં એકાએક બ્લાસ્ટ થઈ ગયો છે. બાબરા-અમેરલી રોડ પર લુણકી ગામ નજીક ડિઝલ ટેન્કરમાં બ્લાસ્ટ થતાં ડ્રાઈવર સળગી જતાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયું…

Continue reading
China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ
  • April 29, 2025

China Restaurant Fire:  ચીનના લિયાઓનિંગમાં એક દુ:ખ દુર્ઘટના ઘટી છે. અહીં એક રેસ્ટોરન્ટમાં આગ લાગવાથી 22 લોકોના મોત થયા છે. આગમાં ભયંકર રીતે 3 લોકો દાઝી ગયા છે. આગ લાગવાના…

Continue reading

One thought on “Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ahmedabad માં 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!  

  • April 30, 2025
  • 2 views
Ahmedabad માં 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!  

Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું

  • April 30, 2025
  • 9 views
Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું

નેશનલ ચેનલ 4PM બંધ કરી, બે મહિલાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ, મોદી સીધા સેનાને છૂટ આપી શકે?

  • April 30, 2025
  • 13 views
નેશનલ ચેનલ 4PM બંધ કરી, બે મહિલાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ, મોદી સીધા સેનાને છૂટ આપી શકે?

Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર

  • April 30, 2025
  • 17 views
Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

  • April 29, 2025
  • 27 views
China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

  • April 29, 2025
  • 36 views
Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?