ગુજરાતીઓનું દિલ ચૂકી રહ્યું છે ધબકારા; કેમ અમદાવાદીઓના દિલ થઇ રહ્યાં છે કમજોર?

  • Gujarat
  • December 16, 2024
  • 1 Comments

ગુજરાતમાં હૃદયને લગતી સમસ્યાઓના કેસમાં ભયંકર રીતે વધારો થયો છે. ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં હાર્ટને લગતી ઈમરજન્સીના 14701 કેસ નોંધાયા છે. આમ આ બે મહિનામાં હૃદયને લગતી ઈમરજન્સીના પ્રતિ કલાકે 10 કેસ સામે આવ્યા છે. આ સાથે જ ગયા વર્ષની સરખામણીએ હૃદયની ઈમરજન્સીના કેસમાં 14 ટકા જેટલો વધારો થયો છે.

ઈમરજન્સી સેવા 108 પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, હૃદયને લઈને સમસ્યામાં ઈમરજન્સીના ઓક્ટોબર 2023માં 6763 કેસ, જ્યારે ઓક્ટોબર 2024માં 7722 કેસ નોંધાયા હતા. આમ ગત વર્ષના ઓક્ટોબર કરતાં ઈમરજન્સીમાં 14.18 ટકાનો વધારો થયો છે.

આ જ રીતે નવેમ્બર 2024માં 6979 અને નવેમ્બર 2023માં 6254 કેસ સામે આવ્યા હતા. ગત વર્ષના નવેમ્બર કરતાં આ વખતે ઈમરજન્સીના કેસમાં 12.94 ટકા જેટલો વધારો થયો છે. આ બે મહિનાના આધારે જોવામાં આવે તો ગુજરાતમાં પ્રતિ દિવસે સરેરાશ 241 લોકોને હૃદયની ઈમરજન્સીને કારણે 108 સેવાની મદદ લેવી પડી છે.

આ પણ વાંચો- કેમ શંકરસિંહે કહ્યું- ગુજરાતમાંથી દારૂબંધી હટાવી દેવી જોઈએ

અમદાવાદીઓના દિલ થઇ રહ્યા છે કમજોર

ગુજરાતમાં હૃદયની ઈમરજન્સીના જે કેસ નોંધાયા છે તેમાંથી 30 ટકા કેસ તો એકમાત્ર અમદાવાદ જિલ્લાના છે. અમદાવાદમાં વર્ષ 2023 ઓક્ટોબરમાં 1987 કેસ, જ્યારે વર્ષ 2024 ઓક્ટોબરમાં 2235 કેસ નોંધાયા હતા. ગત વર્ષના ઓક્ટોબર કરતાં અમદાવાદમાં હૃદયની ઈમરજન્સીના કેસ 12.48 ટકા વધ્યા છે.

નવેમ્બર 2023માં 1718 કેસ સામે નવેમ્બર 2024માં હૃદયની ઈમરજન્સીના 1920 કેસ નોંધાયા હતા. બે મહિનામાં અમદાવાદમા હૃદયની ઈમરજન્સીના 4155 કેસ સામે આવ્યા છે.

આ વર્ષે ગુજરાતમાં જાન્યુઆરીથી નવેમ્બર સુધી 77427 વ્યક્તિને દિલને લગતી ઈમરજન્સીની સારવાર લેવી પડી છે. જેની સરખામણીએ ગત સમગ્ર વર્ષે 72573 કોલ આવ્યા હતા. આમ, હજુ ડિસેમ્બર મહિનો બાકી છે ત્યાં જ ગત વર્ષ કરતાં હૃદયની ઈમરજન્સીના કેસમાં વધારો થયો છે.

આ પણ વાંચો- ગુજરાતના 25 જિલ્લાઓમાં ભૂગર્ભજળ પીવાલાયક નથી

Related Posts

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?
  • June 15, 2025

મહેશ ઓડ Ahmedabad plane crash: 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન ક્રેશની ઘટનામાં ‘ભગવત ગીતા’ પુસ્તક બચી ગયાના દાવા થઈ રહ્યા છે. આને લોકો ધર્મ, ભગવાન સાથે જોડીને કહે છે કે…

Continue reading
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….
  • June 15, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદમાં દુર્ગટનાગ્રસ્ત થયેલા એર ઇન્ડિયાના બોઇંગ 787-8 વિમાનના જાળવણીના દાવાને તુર્કીએ ફગાવી દીધો છે. તુર્કીએ કહ્યું કે તુર્કીએ ટેકનિક વિમાનના જાળવણીમાં સામેલ નથી. આ દરમિયાન અમેરિકાની NTSB…

Continue reading

One thought on “ગુજરાતીઓનું દિલ ચૂકી રહ્યું છે ધબકારા; કેમ અમદાવાદીઓના દિલ થઇ રહ્યાં છે કમજોર?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 16 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 22 views
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 12 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

  • June 15, 2025
  • 31 views
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

  • June 15, 2025
  • 18 views
Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ