Nagpur Violence: વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ સામે FIR

  • India
  • March 19, 2025
  • 0 Comments

Nagpur Violence: મહારાષ્ટ્રના નાગપુરમાં મુઘલ સમ્રાટ ઔરંગઝેબની કબર હટાવવાની માંગણી સાથે થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના આરોપમાં પોલીસે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના કેટલાક અગ્રણીઓ સામે કેસ નોંધ્યો છે.  મંગળવારે (18 માર્ચે) હારાષ્ટ્ર અને ગોવાના VHPના પ્રભારી સચિવ ગોવિંદ શેંડે અને અન્ય લોકો સામે ગણેશપેઠ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.

કુરાન બાળવાનો આરોપ

ઉલ્લેખનીય છે કે સોમવારે સાંજે લગભગ 7.30 વાગ્યે સેન્ટ્રલ નાગપુરના મહલ વિસ્તારમાં આવેલા ચિટનીસ પાર્કમાં હિંસા ફાટી નીકળી હતી. પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિસ્તારમાં એક અફવા ફેલાઈ હતી કે છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં ઔરંગઝેબની કબર દૂર કરવાની માંગણી સાથે ચાલી રહેલા VHP આંદોલન દરમિયાન એક સમુદાયના ધાર્મિક ગ્રંથ કુરાનને બાળી નાખવામાં આવ્યું હતુ.

પોલીસે જણાવ્યું હતું કે આંદોલન પછી, વિરોધીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં તેમના પર એક સમુદાયની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ગણેશપેઠ પોલીસ સ્ટેશનના એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ફરિયાદના આધારે FIR નોંધવામાં આવી છે.

FIR કોના નામ?

પોલીસે મીડિયાને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે VHP અને બજરંગ દળના લોકો સામે FIR નોંધવામાં આવી છે. જેમાં અમોલ ઠાકરે, ડૉ. મહાજન, તાયણી, રજત પુરી, સુશીલ, વૃષભ આર્ચેલ, શુભમ અને મુકેશ બારાપાત્રેનું  નામ સામેલ છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

18 માર્ચની સવારથી કર્ફ્યુ

સોમવારે રાત્રે શહેરમાં હિંસા ફાટી નીકળ્યા બાદ પોલીસે મંગળવારે સવારે 4.30 વાગ્યે કર્ફ્યુ લાદ્યો હતો. કોટવાલી, ગણેશપેઠ અને લાકડાગંજ સહિત અનેક વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે, જ્યાં ફક્ત આવશ્યક અવરજવરની મંજૂરી છે. સુરક્ષા દળો શહેરના 11 અત્યંત સંવેદનશીલ સ્થળોએ પેટ્રોલિંગ કરી રહ્યા છે અને સમગ્ર શહેરમાં નાકાબંધી કરવામાં આવી છે.

 

આ પણ વાંચોઃ પૃથ્વી પર પાછા ફર્યા બાદ સુનિતા વિલિયમ્સને શું થયું? નાસાએ વીડિયો જાહેર કર્યો | Sunita Williams Return

આ પણ વાંચઃ સુનિતા વિલિયમ્સ સહિત 4 અવકશાયાત્રી ધરતી પર સુરક્ષિત ઉતર્યા | Sunita Williams Return

આ પણ વાંચોઃ Ahmedabad: અમદાવાદમાં કારચાલકે પોલીસકર્મીઓને કચડી નાખાવાનો પ્રયાસ કર્યો

આ પણ વાંચોઃ Anand: આણંદમાં બેદરકારી દાખવતી 3 રેસ્ટોરન્ટ્સ સીલ, બહારનું ખાતા પહેલા ચેતજો

 

Related Posts

Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા
  • February 1, 2026

Union Budget 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે પહેલી ફેબ્રુઆરી 2026ને રવિવારે પોતાનું સળંગ નવમું બજેટ રજૂ કર્યું હતું.ગયા વર્ષની સરખામણીમાં જોઈએ તો વર્ષ 2025ના બજેટમાં 12 લાખ રૂપિયા સુધીની આવકને…

Continue reading
The Epstein File: “જેક્રી એપસ્ટેઇન ફાઇલ્સ”માં નરેન્દ્ર મોદીનું નામ ઉછળતા ખળભળાટ! એપસ્ટેઇનના ઇમેઇલમાં મોદીનો ઉલ્લેખ શુ સૂચવે છે?કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
  • February 1, 2026

●અમેરિકામાં સગીરાઓનું શારીરિક શોષણ કરવું અને કરાવવાના પ્રકરણમાં દોષિત રેપીસ્ટ જેક્રી એપસ્ટેઇનની ફાઇલ્સમાં નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ હોવાનો કોંગ્રેસે આરોપ મૂકી તેનો જવાબ આપવા જણાવ્યું છે. કોંગ્રેસ નેતા પવન ખેડાએ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gandhiji: શુ ગાંધીજીનો ઇતિહાસ બદલવામાં આવી રહ્યો છે?જાણો,ચૂસ્ત ગાંધીવાદી હેમંત શાહે શુ કહ્યું

  • February 2, 2026
  • 3 views
Gandhiji: શુ ગાંધીજીનો ઇતિહાસ બદલવામાં આવી રહ્યો છે?જાણો,ચૂસ્ત ગાંધીવાદી હેમંત શાહે શુ કહ્યું

World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

  • February 1, 2026
  • 4 views
World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

  • February 1, 2026
  • 12 views
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

  • February 1, 2026
  • 10 views
Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી   એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

  • February 1, 2026
  • 9 views
Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

  • February 1, 2026
  • 9 views
Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’