પૂર્વ BJP ધારાસભ્ય Suresh Rathore અને અભિનેત્રી Urmila Sanawar એ કર્યા લગ્ન , બંન્ને પહેલેથી જ વિવાહિત

  • India
  • June 18, 2025
  • 0 Comments

Suresh Rathore and Urmila Sanawar wedding : ફિલ્મ અભિનેત્રી ઉર્મિલા અનેના પૂર્વ ભાજપ ધારાસભ્ય અને રવિદાસ આચાર્ય સુરેશ રાઠોડ વચ્ચે છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહેલ વિવાદ હવે એક નવા વળાંક પર પહોંચી ગયો છે. ઉર્મિલા અત્યાર સુધી એકલા જે સંબંધ નિભાવી રહી હતી, તેને હવે સુરેશ રાઠોડે જાહેરમાં સ્વીકારી લીધો છે. તેમણે પોતે ઉર્મિલાને મીડિયા સામે ગુલાબ આપીને પોતાની પત્ની તરીકે સ્વીકારી લીધી હતી.

પૂર્વ ભાજપ ધારાસભ્યના લગ્ન વિવાદમાં

થોડા સમય પહેલા સુધી, આ જ ઉર્મિલાએ સોશિયલ મીડિયા પર સુરેશ રાઠોડ પર આરોપ લગાવતા જોયા હતા. તેણીએ ખુલ્લેઆમ કહ્યું હતું કે તેણીએ નેપાળના એક મંદિરમાં સુરેશ રાઠોડ સાથે લગ્ન કર્યા છે, પરંતુ તે આ સંબંધને જાહેરમાં સ્વીકારતો નથી. ઉર્મિલાએ દરેક જગ્યાએ માંગમાં સિંદૂર લગાવીને અને પોતાને ‘રાઠોડ’ કહીને આ સંબંધનો સ્વીકાર કર્યો હતો, પરંતુ સુરેશ રાઠોડનું મૌન આ સંબંધ પર પ્રશ્નો ઉભા કરતું રહ્યું.થોડા અઠવાડિયા પહેલા, ઉર્મિલાએ સોશિયલ મીડિયા દ્વારા દાવો કર્યો હતો કે કેટલીક મહિલાઓએ તેના ઘર પર હુમલો કર્યો હતો, તોડફોડ કરી હતી અને તેને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. તેણે આ માટે સીધો સુરેશ રાઠોડને દોષી ઠેરવ્યો હતો અને કહ્યું હતું કે તેને તેના પોતાના પતિથી ખતરો છે.

શું UCC નો કાયદો ભાજપના નેતાને લાગું નથી પડતો ?

જોકે, આ સંબંધની જાહેરાત બાદ એવા પ્રશ્નો પણ ઉભા થવા લાગ્યા છે કે ઉત્તરાખંડમા UCC લાગુ છે જેથી કોઈ પણ વ્યક્તિ એક પત્ની જીવીત હોય ત્યાં સુધી બીજા લગ્ન કરી શકે નહીં ત્યારે શું UCC નો કાયદો ભાજપના નેતાને લાગું નથી પડતો ?

ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા (UCC) અમલમાં આવી છે, જે લગ્ન, છૂટાછેડા, મિલકત અને વારસા જેવા મુદ્દાઓમાં બધા નાગરિકોને સમાન કાયદા લાગુ કરે છે. UCC હેઠળ, જ્યારે એક જીવનસાથી જીવિત હોય ત્યારે બીજા લગ્ન કરવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. આ કાયદાનો ઉદ્દેશ બહુપત્નીત્વ જેવી પ્રથાઓને રોકવા અને સામાજિક સમાનતાને પ્રોત્સાહન આપવાનો છે.

ઉર્મિલા સનાવર પણ પહેલાથી જ પરિણીત

ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય સુરેશ રાઠોડે અભિનેત્રી ઉર્મિલા સનાવરને પોતાની પત્ની તરીકે સ્વીકારી અને તેમની પહેલી પત્ની જીવિત હોય ત્યારે બીજી વાર લગ્ન કર્યા હોવાના અહેવાલો આવ્યા છે. આ કૃત્ય UCC ની જોગવાઈઓનું સ્પષ્ટ ઉલ્લંઘન છે, કારણ કે કાયદા મુજબ, જો પહેલું લગ્ન માન્ય હોય તો બીજા લગ્ન ગેરકાયદેસર માનવામાં આવે છે. વધુમાં, ઉર્મિલા સનાવર પણ પહેલાથી જ પરિણીત છે, જે મામલો વધુ જટિલ બનાવે છે.

યુસીસી હેઠળ થઈ શકે છે સજા

કાનૂની દૃષ્ટિકોણથી, આ કૃત્ય ખોટું છે અને UCC હેઠળ સજાને પાત્ર થઈ શકે છે. સામાજિક અને નૈતિક દ્રષ્ટિકોણથી, આ મામલો વિવાદાસ્પદ છે. કેટલાક તેને ખાનગી બાબત માની શકે છે, પરંતુ યુસીસી લાગુ થયા પછી, તે કાનૂની ઉલ્લંઘન તેમજ સામાજિક સમાનતાના સિદ્ધાંતની વિરુદ્ધ છે. સુરેશ રાઠોડે દાવો કર્યો છે કે તેમણે તેમની પહેલી પત્ની અને પરિવારને મનાવી લીધા છે, અને ઉર્મિલા કહે છે કે તેમનો પ્રેમ સાચો હતો. તેમ છતાં, યુસીસી હેઠળ કાયદાની નજરમાં આ વ્યવસ્થા માન્ય નથી, અને તેની માન્યતાને કોર્ટમાં પડકારી શકાય છે.

આ પણ વાંચો:

Bulandshahr Accident: બુલંદશહેરમાં ભયાનક અકસ્માત, કારમાં આગ લાગતા એક જ પરિવારના 5 લોકો જીવતા ભળથું

Ahmedabad Plane Crash: ભારતમાં થયેલા અકસ્માતની તપાસ માટે વિદેશી એજન્સીઓ કેમ આવી?

Gujarat Weather Update: ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી

ટિકટોક સ્ટાર Kirti Patel ની અમદાવાદથી ધરપકડ, 2 કરોડની ખંડણી કેસમાં હતી ફરાર

Visavadar by-elections: વિસાવદરમાં રાજકારણ ચરમસીમાએ, દારુ, પૈસા સાથે ગંદી રાજનીતિનો કોણ ખેલે છે ખેલ?

Ahmedabad Plane Crash: 177 DNA સેમ્પલ થયા મેચ, 133 મૃતદેહ પરિવારજનોને સોંપાયા

 

  • Related Posts

    Hisar Farmer Protest: સ્વાતંત્ર્ય દિવસે ખેડૂતો પર લાઠીઓ કેમ? હિસારમાં CM સૈનીના કાર્યક્રમ પહેલાં પોલીસ-ખેડૂત અથડામણ
    • August 15, 2026

    Hisar Farmer Protest: હરિયાણાના હિસારમાં સ્વાતંત્ર્ય દિવસની સવાર તણાવપૂર્ણ રહી હતી. મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીના ધ્વજારોહણ કાર્યક્રમનો વિરોધ કરવા એકત્ર થયેલા ખેડૂતો અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. ઘટનામાં અનેક…

    Continue reading
    CAG રિપોર્ટનો મોટો ખુલાસો, Green India Mission પોતાના લક્ષ્યથી 97.57% પાછળ
    • August 15, 2026

    Green India Mission: ભારત સરકારના મહત્વાકાંક્ષી ગ્રીન ઇન્ડિયા મિશનના અમલીકરણ અંગે નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (CAG)ના ઓડિટમાં ગંભીર ખામીઓ સામે આવી છે. ગુરુવાર, 13 ઓગસ્ટે સંસદમાં રજૂ કરવામાં આવેલી CAGની…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Hisar Farmer Protest: સ્વાતંત્ર્ય દિવસે ખેડૂતો પર લાઠીઓ કેમ? હિસારમાં CM સૈનીના કાર્યક્રમ પહેલાં પોલીસ-ખેડૂત અથડામણ

    • August 15, 2026
    • 3 views
    Hisar Farmer Protest: સ્વાતંત્ર્ય દિવસે ખેડૂતો પર લાઠીઓ કેમ? હિસારમાં CM સૈનીના કાર્યક્રમ પહેલાં પોલીસ-ખેડૂત અથડામણ

    CAG રિપોર્ટનો મોટો ખુલાસો, Green India Mission પોતાના લક્ષ્યથી 97.57% પાછળ

    • August 15, 2026
    • 4 views
    CAG રિપોર્ટનો મોટો ખુલાસો, Green India Mission પોતાના લક્ષ્યથી 97.57% પાછળ

    UP Election 2027: UP માં મહિલા મતદારો માટે મોટો દાવ! ₹50,000ની કેશ સહાય યોજના પર વિચારણા, અખિલેશ યાદવનો મોટો આરોપ

    • August 15, 2026
    • 7 views
    UP Election 2027: UP માં મહિલા મતદારો માટે મોટો દાવ! ₹50,000ની કેશ સહાય યોજના પર વિચારણા, અખિલેશ યાદવનો મોટો આરોપ

    Nagaland Vande Mataram controversy: નાગાલેન્ડમાં ‘વંદે માતરમ્’ના ફરજિયાત ગાયન સામે વિરોધ, ચર્ચ બાદ વિદ્યાર્થી સંગઠનો પણ મેદાનમાં

    • August 15, 2026
    • 9 views
    Nagaland Vande Mataram controversy: નાગાલેન્ડમાં ‘વંદે માતરમ્’ના ફરજિયાત ગાયન સામે વિરોધ, ચર્ચ બાદ વિદ્યાર્થી સંગઠનો પણ મેદાનમાં

    Narendra Modi Speech: 75 મિનિટના ભાષણમાં મોદીનો ‘દિમાગી નક્સલ’થી રિફોર્મ એક્સપ્રેસ સુધીનો સંદેશ, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

    • August 15, 2026
    • 8 views
    Narendra Modi Speech: 75 મિનિટના ભાષણમાં મોદીનો ‘દિમાગી નક્સલ’થી રિફોર્મ એક્સપ્રેસ સુધીનો સંદેશ, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

    Assam flood causes: અસમના વિનાશક પૂર પાછળ આબોહવા પરિવર્તન નહીં, માનવસર્જિત કારણો જવાબદાર – WWA રિપોર્ટ

    • August 15, 2026
    • 10 views
    Assam flood causes: અસમના વિનાશક પૂર પાછળ આબોહવા પરિવર્તન નહીં, માનવસર્જિત કારણો જવાબદાર – WWA રિપોર્ટ