Godi media : TRP ની ભૂખમાં મીડિયા બની અસંવેદનશીલ, દુ:ખી માતાની વ્યથાનો ફાયદો ઉઠાવ્યો

  • India
  • July 8, 2025
  • 0 Comments

Godi media : ભારતમાં ઘણી મીડિયા ચેનલો ટીઆરપીની લ્હાયમાં હવે માનવતા ભુલી ગઈ છે અને તેમનામાં હવે સંવેદનશીલતા પણ ન રહી હોય તેવું લાગી રહ્યું છે હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો બિહારના પટણામાં એક પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલ એક માતાનો છે જેમાં એક મહિલાની દુખની ઘડીમાં મીડિયા તેને હેરાન કરીને તેના દુખમાં વધારો કર રહી છે. આ વીડિયો જોઈને સવાલ થાય છે કે, મીડિયા વ્યુઝ માટે આટલી હદ સુધી અસંવેદનશીલ કેવી રીતે થઈ શકે ?

ટીઆરપીની ભૂખમાં મીડિયા બની અસંવેદનશીલ

આ મહિલાના દીકરાને પોલીસે મારી નાખ્યો હોવાનો આરોપ છે. આ મહિલા, જે વીડિયોમાં દેખાય છે, તે ખૂબ જ શોકમાં છે અને તે તેના દીકરાની નિર્દોષતાનું બચાવ કરી રહી છે. પરંતુ આ સમયે, જ્યારે તે મહિલા દુ:ખની ઘડીમાંથી પસાર થઈ રહી છે, ત્યારે મીડિયા જે અસંવેદનશીલતા બતાવી રહી છે તે ચર્ચાનો વિષય બન્યો છે.

 મહિલાની વ્યથાનો ફાયદો ઉઠાવ્યો 

વાયરલ વીડિયોમાં દેખાય છે કે મહિલા પોલીસની ક્રૂરતાની નિંદા કરી રહી છે અને કહી રહી છે કે જો તેના દીકરાએ કોઈ ગુનો કર્યો હોય તો પણ તેને મારી નાખવાનો અધિકાર પોલીસને નથી, કારણ કે તેની સજા કોર્ટે આપવી જોઈએ. પરંતુ આ સમયે મીડિયા, જેની ફરજ છે કે તે સત્યને રજૂ કરે અને સમાજને જાગૃત કરે, તેના બદલે તે મહિલાની વ્યથાનો ફાયદો ઉઠાવી રહ્યું છે. મીડિયા કેમેરાઓ અને માઈક્સ સાથે તે મહિલાને ઘેરાવી રહ્યું છે, જેની સ્થિતિ ખૂબ જ દુઃખદાયક છે.

લોકોએ કરી ભારે ટીકા

સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયા બાદ, ઘણા લોકો અને સામાજિક કાર્યકરોએ મીડિયાની આ પ્રવૃત્તિની ટીકા કરી છે. તેમણે કહ્યું છે કે મીડિયા માટે ટીઆરપી એટલી મહત્વની બની ગઈ છે કે તે દુ:ખી પરિવારોની ભાવનાઓની અવગણના કરી રહ્યું છે. એક વપરાશકર્તાએ લખ્યું, “ગીધ પણ મૃત્યુની ગંભીરતાનું સન્માન કરે છે, પરંતુ આ મીડિયા તેને પણ નથી કરતું.”આ પ્રકારની મીડિયા પ્રવૃત્તિ ફક્ત એકવારની નથી. પાછલા ઘણા વર્ષોમાં, ઘણીવાર જોયું છે કે મીડિયા દુ:ખભરી ઘટનાઓમાં પણ સંવેદનશીલતા દાખવવાને બદલે, તેને સનસનાટીના રૂપમાં રજૂ કરે છે. આ પ્રકારની જર્નાલિઝમ નહીં પણ સેન્સેશનાલિઝમ છે, જે સમાજને નુકસાન પહોંચાડે છે.

 મીડિયાએ પોતાની જવાબદારી સમજવાની જરુર

મીડિયાની આ પ્રવૃત્તિ પર ચિંતા વ્યક્ત કરતા એક સામાજિક કાર્યકરે કહ્યું, “મીડિયાની ફરજ છે કે તે સત્યને રજૂ કરે અને સમાજને જાગૃત કરે, પરંતુ જ્યારે તે દુ:ખી પરિવારોની વ્યથાનો ફાયદો ઉઠાવે છે, ત્યારે તે તેની જવાબદારીથી ભટકી ગયું છે.” તેમણે આગ્રહ કર્યો કે મીડિયા એક્સપર્ટ્સ અને રેગ્યુલેટરી બોડીઝે આ પ્રકારની અસંવેદનશીલતાને રોકવા માટે કડક નિયમો બનાવવા જોઈએ. મીડિયાની મહત્વપૂર્ણ છે, પરંતુ તેને જવાબદારીપૂર્વક ઉપયોગ કરવો જરૂરી છે. દુ:ખી પરિવારોની ભાવનાઓનું સન્માન કરવું અને તેમની પ્રાઈવસીની રક્ષા કરવી મીડિયાની પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ. જ્યાં સુધી મીડિયા આ જવાબદારીને સમજશે નહીં, ત્યાં સુધી આવી ઘટનાઓ ચાલુ રહેશે.

આ પણ વાંચો:
 
 
 
 
 

  • Related Posts

    Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”
    • May 5, 2026

    Asaduddin Owaisi Election Reaction: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ દેશનું રાજકારણ ગરમાયું છે. આ પરિણામોમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન જેવા દિગ્ગજ…

    Continue reading
    Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”
    • May 5, 2026

    Gaurav Gogoi Congress: અસમ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામો જાહેર થયા બાદ રાજ્યના રાજકારણમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. અસમ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ગૌરવ ગોગોઈએ ચૂંટણીમાં પાર્ટીની કારમી હારની સંપૂર્ણ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

    • May 5, 2026
    • 3 views
    Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

    Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

    • May 5, 2026
    • 6 views
    Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

    Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

    • May 5, 2026
    • 8 views
    Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

    Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

    • May 5, 2026
    • 11 views
    Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

    PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

    • May 5, 2026
    • 13 views
    PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

    Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત

    • May 5, 2026
    • 11 views
    Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત